શોધખોળ કરો

Banaskantha: લ્યો બોલો! બનાસકાંઠામાં જીવીત વ્યક્તિને મૃત જાહેર કરી પાડ્યો લાખોનો ખેલ

બનાસકાંઠા:  કાંકરેજના કસરામાં હયાત વ્યક્તિને મૃત બતાવ્યાની ઘટના સામે આવી છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના હેઠળ ઇન્સ્યોરન્સ પાસ કરાવવા રમેશજી ઠાકોર નામના વ્યક્તિને મૃત બતાવવામાં આવ્યા હતા.

બનાસકાંઠા:  કાંકરેજના કસરામાં હયાત વ્યક્તિને મૃત બતાવ્યાની ઘટના સામે આવી છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના હેઠળ ઇન્સ્યોરન્સ પાસ કરાવવા રમેશજી ઠાકોર નામના વ્યક્તિને મૃત બતાવવામાં આવ્યા હતા. મજુરી કામ કરતા વ્યક્તિનું ડેથ સર્ટીફીકેટ લાવી બે લાખ મંજૂર કરાવ્યા હોવાનું સામે આવ્યું છે. મરણના ખોટા ડોક્યુમેન્ટ બતાવી આરોપીઓએ વારસદાર બની ખોટી સહી કર્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે પરિવાર સાથે ફ્રોડ કરનાર એક શખ્સની અટકાયત કરી અન્યની શોધખોળ હાથ ધરી છે. જયંતિ ઠાકોર અને કરમશી દેસાઈ વિરુદ્ધ શિહોરી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

44 ડિગ્રી તાપમાન વચ્ચે ટ્રાફિકની જવાબદારી સંભાળી રહ્યા છે ગુજરાત પોલીસના જવાનો

ગુજરાતમાં હાલ આકાશમાંથી જાણે અગન વર્ષા થતી હોય તેવી પરિસ્થિતિ છે. બપોરના 11 વાગ્યા બાદ ગરમીનો પારો 40 ને વટીને સતત વધતો જાય છે ત્યારે પોલીસ જવાનો 42 થી 44 ડીગ્રી તાપમાનમાં પણ પોતાની ફરજ બજાવતા હોય છે.

સૌ પ્રથમ વાત કરીએ તો બોટાદની તો અહીં શહેર તેમજ જિલ્લાના ટ્રાફિક જવાનો, ટીઆરબી તેમજ હોમ ગાર્ડના જવાનો હાલમાં 42 ડીગ્રી તાપમાન વચ્ચે પણ પોતાની ફરજ બજાવતા હોય છે. ત્યારે બોટાદ શહેરના હવેલી ચોક ખાતે હાલ બોટાદ શહેરના ટ્રાફિક પોલીસ જવાનો તેમજ ટ્રાફિક ઈન્ચાર્જ પી.એસ.આઈ. સહિતનો સ્ટાફ ટ્રાફિક નિયંત્રણની કામગીરી કરતા જોવા મળ્યા હતા. ટ્રાફિક પોલીસ દ્રારા શહેરમાં સતત વાહનો પસાર થતા હોય છે જે ગમે ત્યાં પાર્કિંગ તેમજ લોકો વન વે પાર્કિંગમાં નિયમ ભંગ ન કરે અને અન્ય વાહન ચાલકોને તકલીફ ન પડે તેને લઈ ટ્રાફિક પોલીસ દ્રારા કામગીરી કરવામાં આવી રહી છે. માત્ર પોલીસના જવાનો નહિ પણ ટી.આર.બી. તેમજ હોમ ગાર્ડના જવાનો પણ પોલીસની આ કામગીરીમાં ધોમધખતા તાપમાં પણ પોતાની ફરજ પર કામ કરી રહ્યા છે.

 

આ બાબતે ટ્રાફિક પોલીસના ઈન્ચાર્જ દ્રારા જણાવવામાં આવેલ કે, વર્ષ દરમ્યાન શિયાળો હોય ચોમાશું હોય કે ઉનાળો હોય ફરજ પર કામ કરવું પડે તેના ભાગ રૂપે અમે કામ કરી રહ્યા છીએ અને કોઈ કુદરતી આફત હોય વાવાજોડું હોય અમે કામ કરતા હોય છે.  હાલ ખૂબ ગરમી હોય તેમ છતાં અમે કામ કરીએ છીએ અને આ તાપથી બચવા ઠંડા પાણી, શરબત સહિતનો સહારો પણ લેવો પડતો હોય અને લોકોને પણ એ.બી.પી. ના માધ્યમ થી અપીલ કરીએ છીએ કે જો, કામ ન હોય તો બપોરના સમયે સિનિયર સીટીઝન અને બાળકોને બહાર ન નીકળવું જોઈએ.  હાલ તો ગરમી વચ્ચે બહાર નીકળવું પણ ખૂબ કઠિન છે ત્યારે પોતાની ફરજ સમજી કામ કરતા ટ્રાફિક પોલીસની કામગીરીને સો સો સલામ.

તો બીજી તરફ અમરેલી જિલ્લામાં ગરમીનો પારો ઊંચકાયો છે. 44 ડિગ્રી તાપમાન નોંધાય છે ત્યારે ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાનો ભર ઉનાળે કાળજાળ ગરમી વચ્ચે ખડેપગે પોતાની ફરજ બજાવી રહ્યા છે. જિલ્લાભરમાં તાપમાનનો પારો ઊંચકાયો છે અગન વર્ષા થતી હોય તે પ્રકારની કાળજાળ ગરમી પડી રહી છે. લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે પોલીસ જવાન ખડેપગે પોતાની ડ્યુટી બજાવી રહ્યા છે. લોકોને અગવડતા ટ્રાફિકની નો પડે તે માટે ધોમ ધખતા તાપ ટ્રાફિક પોઇન્ટ ઉપર ફરજ બજાવી રહ્યા છે.

 ફરજની સાથો સાથ સેવાકીય પ્રવૃત્તિ પણ કરી રહ્યા છે. ભર ઉનાળે લોકો પાણી અને ઠંડા પીણા લઈને ગરમીથી રાહત મેળવી રહ્યા છે ત્યારે સાવરકુંડલાના બસ સ્ટેન્ડ પોઈન્ટ વિસ્તારમાં પોલીસ પરિવાર દ્વારા પોલીસ ચોકીની બાજુમાં એક મોટો પાણીનો પરબ બનાવવામાં આવ્યો હતો. પશુ પંખીઓ માટે પાણીની કુંડી મૂકવામાં આવી હતી. થોડા દિવસ પહેલા શહેરમાં ડીમોલેશન આવતા પોલીસ ચોકી અને પાણીનો પરબ કાઢી નાખવામાં આવેલ. હાલ ટ્રાફિક પોઇન્ટ ઉપર માટીની નાન રાહદારીઓ માટે રાખવામાં આવી છે કાયમને માટે આ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાન દ્વારા ભરવામાં આવી રહી છે. બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી પસાર થતા લોકો કાળજાળ ગરમીમાં પાણી પીને ગરમીથી રાહત મેળવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget