શોધખોળ કરો

Gujarat Election 2022:આજથી બે દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે PM મોદી, ભરૂચ,ખેડા અને સુરતમાં સંબોધશે ચૂંટણી સભા

વડાપ્રધાન મોદી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પ્રચાર કરશે.

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદી આજે ભરૂચ, ખેડા અને સુરતમાં ચૂંટણી સભાને સંબોધશે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનના આડે માત્ર હવે ચાર દિવસ બાકી છે. ત્યારે બંને તબક્કાની બેઠકો માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચારને વેગવંતો બનાવ્યો છે. આજે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો રાજ્યના અનેક જિલ્લાઓમાં ઝંઝાવતી પ્રચાર કરશે. વડાપ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે અને જંગી રેલીઓને સંબોધન કરશે.

પીએમ મોદી આજે બપોરે 1 વાગ્યે ભરુચના નેત્રંગમાં, બપોરે સાડા ત્રણ વાગ્યે ખેડા અને સાંજે સાડા છ વાગ્યે સુરતના મોટા વરાછામાં જાહેર સભાને સંબોધન કરશે જે બાદ સુરતમાં જ રાત્રિ રોકાણ કરશે અને બાદમાં આવતીકાલે કચ્છના અંજાર, ભાવનગરના પાલિતાણા અને રાજકોટમાં જાહેરસભાને સંબોધન કરશે. તો મલ્લિકાર્જુન ખડગે આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ખડગે આજે ડેડીયાપાડા અને ઓલપાડમાં સભાને સંબોધન કરશે. તો આપના સંયોજક અરવિંદ કેજરીવાલ જામનગરમાં રોડ શોમાં ભાગ લેશે.

વડાપ્રધાન મોદી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પ્રચાર કરશે. વડાપ્રધાન 6થી વધુ સભાને સંબોધન કરશે. સુરત PM મોદી પાટીદારોના ગઢમાં સભા ગજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષો બાદ પાટીદાર ગઢમાં  રાજકીય સભા સંબોધશે. ઉત્તર, કામરેજ, ઓલપાડ, કતારગામ, વરાછા અને કરંજ બેઠક માટે સંયુક્ત જનસભા યોજાશે.

ABP C Voter Survey: શું દિલ્લીમાં થયેલા સ્ટિંગના કારણે AAP ને ગુજરાતમાં નુકસાન થશે? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

Gujarat Election ABP C-Voter Survey: ગુજરાતની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન, બીજેપી દ્વારા દિલ્હીમાં AAP વિરુદ્ધ એક પછી એક ઘણા સ્ટિંગ વીડિયો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં AAP નેતાઓ પર ચૂંટણીમાં ટિકિટ વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. C-Voter એ એબીપી સમાચાર માટે સાપ્તાહિક સર્વે હાથ ધર્યો છે તે જાણવા માટે કે શું દિલ્હીના સ્ટિંગના ખુલાસાઓ ગુજરાતમાં AAPને નુકસાન પહોંચાડશે.

આજનો સાપ્તાહિક સર્વે છેલ્લો સાપ્તાહિક સર્વે છે કારણ કે પ્રથમ તબક્કાની ચૂંટણી 1લી ડિસેમ્બરે છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ માટે 29મી નવેમ્બરે પ્રચારનો શોર બંધ થઈ જશે. આ સર્વેમાં 1 હજાર 889 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. આ સર્વે બુધવારથી શુક્રવાર દરમિયાન કરવામાં આવ્યો છે. સર્વેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.

ગુજરાતમાં સ્ટિંગ આપ ને નુકસાન પહોંચાશે?

સી-વોટર સર્વેમાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું દિલ્હીમાં AAP વિરુદ્ધના સ્ટિંગ ખુલાસાઓ ગુજરાતમાં AAPને નુકસાન કરશે. આ પ્રશ્નના પરિણામો ચોંકાવનારા આવ્યા છે. સર્વેમાં 51 ટકા લોકોએ કહ્યું હતું કે દિલ્હીમાં AAP વિરુદ્ધના સ્ટિંગ ખુલાસાઓ ગુજરાતમાં પાર્ટીને નુકસાન પહોંચાડશે. જ્યારે 45 ટકા લોકો માને છે કે દિલ્હીના સ્ટિંગના ખુલાસાથી ગુજરાતમાં AAPને નુકસાન નહીં થાય. બીજી તરફ 4 ટકા લોકોનું કહેવું છે કે ગુજરાતમાં આ સ્ટિંગની કોઈ અસર નહીં થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
Advertisement

વિડિઓઝ

Ahmedabad Demolition News : અમદાવાદના મોટેરામાં પ્રશાસને ફેરવ્યું દબાણો પર બુલડોઝર
Cylcone Ditwah Update: દિત્વાહ વાવાઝોડાની ભારતમાં કેટલી અસર? સમજો વિન્ડીની મદદથી
Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી
ED Raids: ગુજરાત સહિત 15 રાજ્યોની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડા
Ahmedabad News : અમદાવાદમાં એલ.ડી. એન્જિ. કોલેજની હોસ્ટેલમાં  મારામારી કર્યાનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
PSU Bank Merger: તમારું એકાઉન્ટ કઈ બેંકમાં છે? આ 6 બેંકો 'પતનની આરે', સરકાર દ્વારા મર્જરની મોટી તૈયારી!
PSU Bank Merger: તમારું એકાઉન્ટ કઈ બેંકમાં છે? આ 6 બેંકો 'પતનની આરે', સરકાર દ્વારા મર્જરની મોટી તૈયારી!
સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી! માત્ર ૨૪ કલાકમાં ભાવમાં એવો ઉછાળો કે ખરીદદારો વિચારતા રહી ગયા
સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી! માત્ર ૨૪ કલાકમાં ભાવમાં એવો ઉછાળો કે ખરીદદારો વિચારતા રહી ગયા
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
Embed widget