By :
abpasmita.in | Updated at : 03 Mar 2021 02:09 PM (IST)
14:04 PM (IST) • 03 Mar 2021
કૃષિ અને ખેડૂત કલ્યાણ વેરામાં કોઈપણ વધારા વગરનું બજેટ હોવાનું ગૃહમાં નાણામંત્રીએ જાહેરાત કરી
13:51 PM (IST) • 03 Mar 2021
દૂધ સંજીવની યોજના અંતર્ગત ૫૩ આદિજાતિ તાલુકાના પ્રાથમિક શાળાના ૮ લાખ બાળકોને ફલેવર્ડ દૂધ આપવા માટે રૂ. ૧૭૦ કરોડની જોગવાઈ. અનુસૂચિત જનજાતિના પ્રિ-એસ.એસ.સી.ના ૧૫ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે રૂ.૧૩૮ કરોડની જોગવાઈ કરવામાં આવી.
13:47 PM (IST) • 03 Mar 2021
ભારત સરકારની યોજના હેઠળ નવા બે મેગા ટેક્ષટાઇલ પાર્ક ગુજરાતમાં બનશે. ભરુચના જંબુસરમાં બલ્ક ડ્રગ ઈંડસ્ટ્રીયલ પાર્ક બનશે અને રાજકોટ ખાતે મેડીકલ ડિવાઇસ ઈંડસ્ટ્રીયલ પાર્ક બનશે.
13:46 PM (IST) • 03 Mar 2021
નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 લાખ રોપાની (ડ્રેગન ફ્રુટ) કમલમની નર્સરી બનશે. કમલમ ફ્રુટની નર્સરી માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી. કચ્છ થી કેવડિયા કમલમ લઇ જવાશે.
13:06 PM (IST) • 03 Mar 2021
સૂક્ષ્મ સિંચાઇ વ્યવસ્થાનો અમલ કરવામાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે. આગામી વર્ષે વધુ એક લાખ સત્યાવીસ હજાર હેક્ટર વિસ્તાર સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ હેઠળ આવરી લેવા માટે જોગવાઇ રૂ. ૬૭૯ કરોડ.
13:05 PM (IST) • 03 Mar 2021
નાણા મંત્રી નીતિન પટેલે રજુ કરેલા બજેટને શેર માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરે વિકાસ નું બજેટ ગણાવ્યું. પોઝિટિવ બજેટ રાજ્ય ના વિકાસ માટે આવકારદાયક ગણાવ્યું.
12:44 PM (IST) • 03 Mar 2021
ગુજરાતના વર્ષ 2021- 22ના બજેટની કોપીમાં રાણીની વાવનો કરાયો સમાવેશ કરવામાં આવ્યો છે. બજેટની કોપીના છેલ્લા પાને પાટણની રાણીની વાવનો ફોટો છે.
12:28 PM (IST) • 03 Mar 2021
નીતિન પટેલે બજેટમાં જાહેરત કરી હતી કે, રાજ્યમાં 6 સ્થળોએ હેલીપોર્ટ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્યમાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ કાયમી હેલીપોર્ટ વિકસાવાશે, રાજ્યમાં અમદાવાદ, સોમનાથ, અંબાજી ખાતે હેલીપોર્ટ બનાવાશે. આ ઉપરાંત દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલીપોર્ટ બનાવાશે. તેમણ કહ્યું કે, પ્રવાસનને વેગ આપવા માટે રૂ. 3 કરોડના ખર્ચે હેલીપોર્ટ બનાવાશે.
12:26 PM (IST) • 03 Mar 2021
અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે બાળકો માટે ટોય મ્યુઝિયમ બનાવાશે. તેમજ વિધાનસભા પરિસરમાં ગુજરાત નો ઇતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય બનાવાશે
12:15 PM (IST) • 03 Mar 2021
પશુપાલનને શું મળ્યું ? ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના , બકરાં એકમની સ્થાપના માટે રૂપિયા ૮૧ કરોડની જોગવાઇ કરવામાં આવી. ૧૦ ગામદીઠ ૧ ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂપિયા ૪૩ કરોડની જોગવાઇ. ગૌશાળાઓ કે પાંજરાપોળો માટે ગૌચર સુધારણા જેવી વિવિધ યોજનાઓની કામગીરી કરવા ગૌ - સેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે રૂપિયા 25 કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી નિ : શુલ્ક પશુ સારવાર યોજના માટે રૂપિયા ૨૦ કરોડની જોગવાઇ. રાજ્યમાં પશુઓ માટે દાણ ખરીદીની સહાય માટે રૂપિયા ૨૦ કરોડની જોગવાઇ. કરુણા એનિમલ એમ્બુલન્સ -૧૯૬૨ હેલ્પ લાઇનની સેવાઓ માટે રૂપિયા ૭ કરોડની જોગવાઇ.
દૂધાળા ગીર - કાંકરેજ ગાયોના પશુના ફાર્મની સ્થાપના અને દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ દ્વારા સ્વરોજગારી ઉભી કરવાની યોજના માટે ૩ કરોડની જોગવાઇ.