શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Coronavirus: રાજ્યમાં આજે 1347 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 92.33 ટકા
કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 1347 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.
![Coronavirus: રાજ્યમાં આજે 1347 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 92.33 ટકા Gujarat corona cases update 1347 covid 19 patients recovered today Coronavirus: રાજ્યમાં આજે 1347 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 92.33 ટકા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/13010526/corona-guj.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફાઈલ ફોટો
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. જો કે રાહતની વાત એ છે કે, કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 1347 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,10,214 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
આ સાથે રાજ્યમાં કોરોના રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 92.33 ટકા છે. રાજ્યમાં કોરોના ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. આજે 55,989 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં 86,69,576 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આજે કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1175 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4171 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13298 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,10,214 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 65 દર્દી વેન્ટીલેટર પર છે અને 13233 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,27,683 પર પહોંચી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)