શોધખોળ કરો
Gujarat Corona Cases update: રાજ્યમાં આજે કોરોનાના 518 નવા કેસ નોંધાયા, બે લોકોનાં મોત
રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત ચોથા દિવસે 600થી ઓછા કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 518 નવા કેસ સામે આવ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત ચોથા દિવસે 600થી ઓછા કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 518 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 2 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4365 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 6400 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,45,107 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 56 દર્દી વેન્ટીલેટર પર છે અને 6535 લોકો સ્ટેબલ છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં કુલ 2 મોત લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા. ક્યાં કેટલા નોંધાયા કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 94, સુરત કોર્પોરેશનમાં 78, વડોદરા કોર્પોરેશનમાં 63, રાજકોટ કોર્પોરેશનમાં 57, વડોદરા 26, રાજકોટ 19, કચ્છ 16, મહેસાણા 14, ભરુચ-10, જામનગર કોર્પોરેશન-10 અને ભાવનગર કોર્પરેશનમાં 9 કેસ નોંધાયા હતા. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 704 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.79 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,70,200 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
વધુ વાંચો




















