શોધખોળ કરો
Advertisement
Covid-19: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 398 કેસ, 21 મોત, કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 8195
રાજ્યના કોરોના સંક્રમિત દર્દીઓના દિવસેને દિવસે સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 398 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 21 દર્દીઓના મોત થયા છે.
ગાંધીનગર : રાજ્યના કોરોના સંક્રમિત દર્દીઓના દિવસેને દિવસે સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 398 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 21 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં નવી ગાઈડાલાઈન પ્રમાણે 454 દર્દીઓને રજા આપવામાં આવી છે. કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 8195 પર પહોંચી છે અને મૃત્યુઆંક 493 પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.
આજે નવા નોંધાયેલા કુલ કોરોના કેસ પૈકી અમદાવાદમાં 278, સુરત-41,વડોદરા-25, ગાંધીનગર-10,મહેસાણા-8, ગીર સોમનાથ-8, સાબરકાંઠા-6, બનાસકાંઠા-4,પાટણ-3. બોટાદ-3, જામનગર-3,પંચમહાલ-2, અરવલ્લી-2, સુરેન્દ્રનગર-2, આણંદ-1,કચ્છ-1 અને મોરબીમાં 1 કેસ સામે આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 21 લોકોનાં મોત થયા છે. જેમાંથી 8નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 13નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કની બીમારીના કારણે થયા છે. 21 મોતમાંથી અમદાવાદમાં 18,આણંદ-1, ભાવનગર-1 અને સુરતમાં 1 મોત થયું છે આ સાથે ગુજરાતમાં કોરોનાથી કુલ 493નાં મોત થઈ ચૂક્યા છે.
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 8195 કોરોના કેસમાંથી 31 દર્દી વેન્ટિલેટર પર છે અને 5126 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2545 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 113493 ટેસ્ટ થયા જેમાંથી 8195 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
વડોદરા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion