શોધખોળ કરો

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં 9,676 દર્દીઓ થયા સ્વસ્થ, 44 દર્દીઓના થયા મોત

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કોરોનાના કુલ 7,48,932 કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 7,22,741 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યારે 62,506 એક્ટિવ કેસો છે. તેમજ કુલ 9,665 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક રહી હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ હોસ્પિટલમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે, જેને કારણે એક્ટિવ કેસોમાં મોટો ઘટાડો થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 9676 દર્દીઓએ કોરોનાને માત આપીને સાજા થયા હતા. જ્યારે 3250 દર્દીઓ સંક્રમિત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 44 દર્દીઓના મોત નીપજ્યા હતા. 

અમદાવાદ શહેરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 3204 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. જ્યારે 491 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સુરત ગ્રામ્યમાં 210 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 197 લોકોને ચેપ લાગ્યો હતો. સુરત શહેરમાં 306 દર્દીઓ કોરોનાથી સાજા થયો તો 226 લોકો થયા સંક્રમિત. 

રાજકોટ શહેરમાં 274 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 137 લોકો થયા સંક્રમિત થયા હતા. વડોદરા શહેરમાં 561 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 335 લોકો સંક્રમિત થયા હતા. જામનગર ગ્રામ્યમાં 102 દર્દીઓ કોરોનાથી સાજા થયો તો 62 લોકો થયા સંક્રમિત થયા હતા. 

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કોરોનાના કુલ 7,48,932 કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 7,22,741 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યારે 62,506 એક્ટિવ કેસો છે. તેમજ કુલ 9,665 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.

દેશમાં કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. દેશમાં સતત આઠમા દિવસે ત્રણ લાખથી ઓછા કેસ નોંધાયા છે. જોકે મૃત્યુઆંકમાં ખાસ ઘટાડો થયો નથી.


રાજ્યમાં મ્યુકરમાઈકોસીસના દર્દીઓ વધ્યા.....
કોરોનાની બીજી લહેરમા કેસના વધારાની સીધી અસર મ્યુકરમાઈકોસીસના દર્દીઓની સંખ્યા પર પણ પડી છે. પ્રથમ લહેરમાં જ્યાં ચાર મહિના દરમિયાન કુલ ૧૮૦ સર્જરી થઈ હતી ત્યાં આ વર્ષે બીજી લહેરમાં માત્ર દસ દિવસમાં ૨૫૦થી વધુ સર્જરી થઈ ચુકી છે. જો કે અત્યાર સુધી થયેલી કુલ સર્જરીમાં મોતનું પ્રમાણ ખૂબ જ ઓછુ છે અને મોટા ભાગના ઓપરેશનો સફળ રહ્યા છે.

ગયા વર્ષે કોરોનાની પ્રથમ લહેરમાં કોરોનાના કેસ ઘટતા ધીરે ધીરે મ્યુકર માઈકોસિસના દર્દીઓ સારવાર માટે આવવાનું શરૂ થઈ ગયુ હતુ. ત્રણથી ચાર મહિના દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિલમાં કુલ ૧૮૦ જેટલા બ્લેક ફંગસના ઓપરેશનો થયા. ત્યારે આ વર્ષે કોરોનાની બીજી લહેરમાં તો માત્ર દસ દિવસમાં જ ૨૫૦થી વધુ ઓપરેશનો થઈ ચુક્યા છે.રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના પાંચ શહેરોમાં મ્યુકરમાઈકોસિસના નવા 62 કેસ નોંધાયા છે. જ્યારે સાત દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. અમદાવાદ સિવિલમાં જ મ્યુકરમાઈકોસિસના 600થી વધુ કેસ છે.

મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ નવા કેસ રાજકોટ શહેરામં નોંધાયા છે. રાજકોટમાં નવા 20, વડોદરામાં નવા 19, અમદાવાદમાં નવા 14, સુરતમાં નવા છ અને જામનગરમાં નવા ત્રણ કેસ નોંધાયા છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કચ્છમાં કરા સાથે ખાબક્યો કમોસમી વરસાદ: ખેડૂતોની ચિંતા વધી, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની નવી આગાહી
કચ્છમાં કરા સાથે ખાબક્યો કમોસમી વરસાદ: ખેડૂતોની ચિંતા વધી, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની નવી આગાહી
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
Gujarat Rain: ગુજરાતમાં માવઠાનું સંકટ, બે દિવસ આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: ગુજરાતમાં માવઠાનું સંકટ, બે દિવસ આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી

વિડિઓઝ

Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ
Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
IPL 2026: KKRની ટીમમાં સામેલ થયો નવદીપ સૈની, આ બોલરને કરશે રિપ્લેસ
IPL 2026: KKRની ટીમમાં સામેલ થયો નવદીપ સૈની, આ બોલરને કરશે રિપ્લેસ
Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ
Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ
Embed widget