શોધખોળ કરો

Gujarat Election 2022 Live Updates: આવતીકાલે ભાજપ સંકલ્પ પત્ર જાહેર કરશે

નડિયાદમાં મહુધાની વિધાનસભાની બેઠક પર  સંજય મહિડાને ભાજપે ટિકિટ આપી છે

LIVE

Key Events
Gujarat Election 2022 Live Updates: આવતીકાલે ભાજપ સંકલ્પ પત્ર જાહેર કરશે

Background

Gujrat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે  ફરી ભાજપનું રાજ્યમાં શાસન લાવવા ભાજપ એડીચોટીનું જોર કરી રહી છે.  આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાંચ જિલ્લામાં જનસભાને ગજવશે.

અમિત શાહે ગુજરાતમાં પ્રચારને વેગવંતો બનાવ્યો છે. આજે તેઓ  5 જિલ્લામાં જનસભાને સંબોધશે તો  નાંદોદમાં રોડ શોનું આયોજન છે.

અમિત શાહ 5 જિલ્લામાં કરશે પ્રચાર

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે 5  સભા યોજશે. તેઓ સૌ પ્રથમ નડિયાદમાં મહુધા વિધાનસભા બેઠક માટે શાહ પ્રચાર કરવા જશે. ત્યાર બાદ ઝાલોદ અને વાગરામાં અમિત શાહ જાહેરસભાને સંબોધશે, તો નાંદોદમાં સૂર્ય દરવાજાથી હરસિદ્ધિ માતાના મંદીર સુધી અમિત શાહો રોડ શો યોજાશે. અને રાત્રે અમદાવાદના નરોડામાં જાહેરસભાને સંબોધિત કરશે અને મતદારોને રીઝવવા પ્રયત્ન કરશે.

નડિયાદમાં મહુધાની વિધાનસભાની બેઠક પર  સંજય મહિડાને ભાજપે ટિકિટ આપી છે, તેનો મુકાબલો તેનો મુકાબલો કોંગ્રેસના ઇન્દ્રજીત પરમાર સામે છે.  તો અહીં આમઆદમી પાર્ટીના રવજીભાઇ વાઘેલા  પણ મેદાને છે. અહી ઝાલોદમાંથી ભાજપે મહેશ ભૂરિયાને મેદાને ઉતાર્યા છો તો તેની સામે કોંગ્રેસે ડોક્ટર મિતેશ ગરાસિયાને ટિકિટ આપી છે. જ્યારે અહીં આમ આદમી પાર્ટીના અનિલ ગરાસિયા પણ મેદાનેછે. આજે શાહ મહેશ ભુરિયા માટે પ્રચાર કરશે. ગાગરા વિધાસભાની બેઠકની વાત કરીએ તોઅહીં અરૂણસિંહ રાણાનો સીધો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલ અને આમ આદમી પાર્ટીના જયરાજ સિંહ સામે છે. અમિત શાહ આજે અરૂણસિંહને વિજયી બનાવવા અહીં જનસભા યોજશે. અમિત શાહ આજે અમદાવાદની નરોડાની બેઠક માટે પણ જનસભા યોજીને ભાજપના ઉમેદવાર ડોક્ટર પાયલબેન કુકરાણીને જીતાડવા માટે અપીલ કરશે. પાયલબેનનો મુકાબલો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઓમ પ્રકાશ તિવારી સાથે છે. અહીં એનસીપીએ મોઘરાજડોડવાણીને ટિકિટ આપી છે.

12:55 PM (IST)  •  25 Nov 2022

આવતીકાલે ભાજપ સંકલ્પ પત્ર જાહેર કરશે

આવતીકાલે ભાજપ સંકલ્પ પત્ર જાહેર કરશે. ભાજપના સંકલ્પપત્રને લઈ ABP અસ્મિતા પાસે એક્સક્લુસિવ જાણકારી છે. ભાજપ ચૂંટણી ઢંઢેરામાં 'અગ્રેસર' શબ્દનો ઉપયોગ કરશે. સૂત્રોની માહિતી પ્રમાણે અગ્રેસર ખેતી, અગ્રેસર અર્થતંત્ર, અગ્રેસર ગવર્નન્સ ભાજપનો મંત્ર હશે. .સાથે જ રોજગારી, રોકાણને ભાજપના મેનિફેસ્ટોમાં મહત્વ હશે. પ્રાથમિક સુવિધાઓ, મહિલાઓની સુરક્ષા, શિક્ષણ, આરોગ્યલક્ષી સુવિધાઓને પણ ભાજપના મેનિફેસ્ટોમાં મહત્વ આપવામાં આવ્યું છે.

12:01 PM (IST)  •  25 Nov 2022

વડાપ્રધાન 6થી વધુ સભાને સંબોધન કરશે

PM મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યાં છે. તેઓ  સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 6થી વધુ સભાને સંબોધિત કરશે. સુરતમાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદી  રાત્રી રોકાણ કરશે. 27 તારીખે સાંજે સભા સંબોધ્યા બાદ રાત્રી રોકાણ. બીજા દિવસે બપોર સુધી રોકાણ બાદ રવાના થશે.પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારમાં સભા યોજશે.

PM મોદીનો 27 અને 28નો શું ગુજરાતમાં કાર્યક્રમ પ્રધાનમંત્રી મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે. 27 અને 28 નવેમ્બરે ફરી તેઓ ગુજરાતમાં પ્રચંડ પ્રચારમાં લાગી જશે. આ સમય દરમિયાન તેઓ  દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કરશે પ્રચાર કરશે. વડાપ્રધાન 6થી વધુ સભાને સંબોધન કરશે. સુરત PM મોદી પાટીદારોના ગઢમાં સભા ગજવશે.સુરતમાં ભાજપના સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબ્રામામાં સભા કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષો બાદ પાટીદાર ગઢમાં  રાજકીય સભા સંબોધશે,ઉત્તર, ​​​​​​​કામરેજ, ઓલપાડ, કતારગામ, વરાછા અને કરંજ બેઠક માટે સંયુક્ત જનસભા યોજાશે

11:58 AM (IST)  •  25 Nov 2022

કેજરીવાલ કાલથી ત્રણ દિવસ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કાલથી ત્રણ દિવસ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. ત્રણ દિવસમાં કેજરીવાલના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ રોડ શો યોજાશે. આવતીકાલે ભાવનગરમાં રોડ શો યોજાશે. તો 27 તારીખે જામનગરમાં રોડ શો થશે.  28 તારીખે અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો અને જનસભાને સંબોધશે.

10:26 AM (IST)  •  25 Nov 2022

બોટાદ નગરપાલિકામાં બળવો કરનારા 12 સભ્યોને ભાજપે ફરી આવકાર્યા

 બોટાદ નગરપાલિકામાં બળવો કરનાર 18 સભ્યોમાંથી 12 સભ્યોને ફરી ભાજપમાં આવકાર આપવામાં આવ્યો છે. બોટાદ નગરપાલિકામાં ચાલતા વિવાદ વચ્ચે બળવો કરી પાર્ટી વિરુદ્ધ અલ્પા બાળાને સમર્થન આપતા બળવાખોરો સામે પગલા લેવાયા હતા. નગરપાલિકામાં બળવા બાદ 18 સભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ નગરપાલિકા સુપરસિડ કરાઈ હતી. વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ 18માંથી 12 સભ્યોને પૂર્વ ધારાસભ્ય ડો.ટી.ડી. માણિયાની આગેવાનીમાં પરત લેવાયા હતા. જેમાં જયસુખભાઈ કાનેટીયા, કૈલાશબેન રાઠોડ, ચંદનબેન પટેલ, હંસાબેન ગોરવાડીયા, નીતાબેન સોલંકી, રમેશભાઈ જાદવ, દયાબેન ચાવડા, ધીરજબેન મકવાણા, હંસાબેન સાકરીયા, ગોપાળભાઈ કળથિયા, ગીતાબેન વાઘેલા અને જ્યોત્સનાબેન પરમારને પરત લેવાયા હતા.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget