Gujarat Election 2022 Live Updates: આવતીકાલે ભાજપ સંકલ્પ પત્ર જાહેર કરશે
નડિયાદમાં મહુધાની વિધાનસભાની બેઠક પર સંજય મહિડાને ભાજપે ટિકિટ આપી છે

Background
Gujrat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે ફરી ભાજપનું રાજ્યમાં શાસન લાવવા ભાજપ એડીચોટીનું જોર કરી રહી છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાંચ જિલ્લામાં જનસભાને ગજવશે.
અમિત શાહે ગુજરાતમાં પ્રચારને વેગવંતો બનાવ્યો છે. આજે તેઓ 5 જિલ્લામાં જનસભાને સંબોધશે તો નાંદોદમાં રોડ શોનું આયોજન છે.
અમિત શાહ 5 જિલ્લામાં કરશે પ્રચાર
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે 5 સભા યોજશે. તેઓ સૌ પ્રથમ નડિયાદમાં મહુધા વિધાનસભા બેઠક માટે શાહ પ્રચાર કરવા જશે. ત્યાર બાદ ઝાલોદ અને વાગરામાં અમિત શાહ જાહેરસભાને સંબોધશે, તો નાંદોદમાં સૂર્ય દરવાજાથી હરસિદ્ધિ માતાના મંદીર સુધી અમિત શાહો રોડ શો યોજાશે. અને રાત્રે અમદાવાદના નરોડામાં જાહેરસભાને સંબોધિત કરશે અને મતદારોને રીઝવવા પ્રયત્ન કરશે.
નડિયાદમાં મહુધાની વિધાનસભાની બેઠક પર સંજય મહિડાને ભાજપે ટિકિટ આપી છે, તેનો મુકાબલો તેનો મુકાબલો કોંગ્રેસના ઇન્દ્રજીત પરમાર સામે છે. તો અહીં આમઆદમી પાર્ટીના રવજીભાઇ વાઘેલા પણ મેદાને છે. અહી ઝાલોદમાંથી ભાજપે મહેશ ભૂરિયાને મેદાને ઉતાર્યા છો તો તેની સામે કોંગ્રેસે ડોક્ટર મિતેશ ગરાસિયાને ટિકિટ આપી છે. જ્યારે અહીં આમ આદમી પાર્ટીના અનિલ ગરાસિયા પણ મેદાનેછે. આજે શાહ મહેશ ભુરિયા માટે પ્રચાર કરશે. ગાગરા વિધાસભાની બેઠકની વાત કરીએ તોઅહીં અરૂણસિંહ રાણાનો સીધો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલ અને આમ આદમી પાર્ટીના જયરાજ સિંહ સામે છે. અમિત શાહ આજે અરૂણસિંહને વિજયી બનાવવા અહીં જનસભા યોજશે. અમિત શાહ આજે અમદાવાદની નરોડાની બેઠક માટે પણ જનસભા યોજીને ભાજપના ઉમેદવાર ડોક્ટર પાયલબેન કુકરાણીને જીતાડવા માટે અપીલ કરશે. પાયલબેનનો મુકાબલો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઓમ પ્રકાશ તિવારી સાથે છે. અહીં એનસીપીએ મોઘરાજડોડવાણીને ટિકિટ આપી છે.
આવતીકાલે ભાજપ સંકલ્પ પત્ર જાહેર કરશે
આવતીકાલે ભાજપ સંકલ્પ પત્ર જાહેર કરશે. ભાજપના સંકલ્પપત્રને લઈ ABP અસ્મિતા પાસે એક્સક્લુસિવ જાણકારી છે. ભાજપ ચૂંટણી ઢંઢેરામાં 'અગ્રેસર' શબ્દનો ઉપયોગ કરશે. સૂત્રોની માહિતી પ્રમાણે અગ્રેસર ખેતી, અગ્રેસર અર્થતંત્ર, અગ્રેસર ગવર્નન્સ ભાજપનો મંત્ર હશે. .સાથે જ રોજગારી, રોકાણને ભાજપના મેનિફેસ્ટોમાં મહત્વ હશે. પ્રાથમિક સુવિધાઓ, મહિલાઓની સુરક્ષા, શિક્ષણ, આરોગ્યલક્ષી સુવિધાઓને પણ ભાજપના મેનિફેસ્ટોમાં મહત્વ આપવામાં આવ્યું છે.
વડાપ્રધાન 6થી વધુ સભાને સંબોધન કરશે
PM મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યાં છે. તેઓ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 6થી વધુ સભાને સંબોધિત કરશે. સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રી રોકાણ કરશે. 27 તારીખે સાંજે સભા સંબોધ્યા બાદ રાત્રી રોકાણ. બીજા દિવસે બપોર સુધી રોકાણ બાદ રવાના થશે.પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારમાં સભા યોજશે.
PM મોદીનો 27 અને 28નો શું ગુજરાતમાં કાર્યક્રમ પ્રધાનમંત્રી મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે. 27 અને 28 નવેમ્બરે ફરી તેઓ ગુજરાતમાં પ્રચંડ પ્રચારમાં લાગી જશે. આ સમય દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કરશે પ્રચાર કરશે. વડાપ્રધાન 6થી વધુ સભાને સંબોધન કરશે. સુરત PM મોદી પાટીદારોના ગઢમાં સભા ગજવશે.સુરતમાં ભાજપના સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબ્રામામાં સભા કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષો બાદ પાટીદાર ગઢમાં રાજકીય સભા સંબોધશે,ઉત્તર, કામરેજ, ઓલપાડ, કતારગામ, વરાછા અને કરંજ બેઠક માટે સંયુક્ત જનસભા યોજાશે





















