શોધખોળ કરો

અશાંતધારાને લઈ રાજ્ય સરકારનું નોટિફિકેશન, 'સ્પેસિફાઈડ એરિયા' જાહેર કરવા બાબતે થશે કમિટીની રચના

સાથે જ મિલકતના ખરીદ-વેચાણ અને ટ્રાન્સફરની પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે મોનિટરિંગ કમિટી, SIT તપાસ અને ગેરકાયદે ટ્રાન્સફર સામે કડક કાર્યવાહી સહિતની જોગવાઈઓ પણ કરવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અશાંતધારા શબ્દને બદલે હવે સ્પેસિફાઈડ એરિયા વપરાશે.
  • મોનિટરિંગ કમિટીની ભલામણથી વિસ્તારો 'સ્પેસિફાઈડ એરિયા' જાહેર થશે.
  • કોમી તણાવગ્રસ્ત વિસ્તારમાં મિલકત ટ્રાન્સફરની SIT તપાસ થશે.
  • ગેરકાયદે ટ્રાન્સફર રદ કરી મિલકત મૂળ માલિકને પરત.

અશાંતધારાને લઈ રાજ્ય સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે. મળતી જાણકારી અનુસાર, સરકારના નોટિફિકેશન અનુસાર, અશાંતધારાને બદલે હવે સ્પેસીફાઈડ એરિયા શબ્દનો ઉપયોગ થશે. ગુજરાત સરકારે અશાંતધારા કાયદા હેઠળ અમલમાં રહેલી પ્રક્રિયામાં મહત્વના ફેરફારો જાહેર કર્યા છે. સરકારે નવા નિયમો સાથે નોટિફિકેશન બહાર પાડી 'અશાંતધારા' શબ્દના બદલે હવે 'સ્પેસિફાઈડ એરિયા' (Specified Area) એટલે કે 'નિયત અથવા વિશિષ્ટ વિસ્તાર' શબ્દનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ મિલકતના ખરીદ-વેચાણ અને ટ્રાન્સફરની પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે મોનિટરિંગ કમિટી, SIT તપાસ અને ગેરકાયદે ટ્રાન્સફર સામે કડક કાર્યવાહી સહિતની જોગવાઈઓ પણ કરવામાં આવી છે.

'અશાંતધારા'ને બદલે હવે 'સ્પેસિફાઈડ એરિયા' શબ્દનો ઉપયોગ

રાજ્ય સરકારના નવા નોટિફિકેશન મુજબ હવે કાયદાકીય પ્રક્રિયામાં 'અશાંતધારા' શબ્દના સ્થાને 'સ્પેસિફાઈડ એરિયા' એટલે કે 'નિયત અથવા વિશિષ્ટ વિસ્તાર' શબ્દનો સત્તાવાર ઉપયોગ કરવામાં આવશે. આ ફેરફાર સાથે કાયદાની વિવિધ જોગવાઈઓમાં પણ જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. નોટિફિકેશન મુજબ 'સ્પેસિફાઈડ એરિયા' જાહેર કરવા માટે રાજ્ય સરકાર મોનિટરિંગ એન્ડ એડવાઈઝરી કમિટીની રચના કરશે. આ કમિટીની ભલામણ અને સલાહના આધારે જ કોઈ વિસ્તારને 'સ્પેસિફાઈડ એરિયા' જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત કાયદામાં 'ભોગ બનનાર' માટે હવે 'પર્સન અગ્રીવડ' (Person Aggrieved) શબ્દનો ઉપયોગ કરવામાં આવશે.

કયા વિસ્તારોને જાહેર કરાશે 'સ્પેસિફાઈડ એરિયા'?

જે વિસ્તારોમાં કોમી તણાવની સ્થિતિ હોય અથવા ભવિષ્યમાં મોટા પાયે સ્થળાંતરની સંભાવના હોય તેવા વિસ્તારોને સરકાર 'સ્પેસિફાઈડ એરિયા' જાહેર કરી શકશે. આવા વિસ્તારોમાં મિલકતના સોદાઓ પર ખાસ નજર રાખવામાં આવશે.

નવા નિયમો મુજબ 'સ્પેસિફાઈડ એરિયા'માં આવેલી મિલકતના વેચાણ અથવા ટ્રાન્સફર પહેલાં કલેક્ટર કક્ષાએ વિગતવાર તપાસ કરવામાં આવશે. જો વિસ્તારમાં કોમી તણાવ અથવા શાંતિ ભંગની સ્થિતિ હોવાનું સામે આવશે તો તપાસ પૂર્ણ થયા બાદ જ મિલકતના વેચાણને મંજૂરી આપવામાં આવશે.

 તપાસ માટે SITની રચના કરાશે

મિલકતના ટ્રાન્સફર અને વેચાણ સંબંધિત ફરિયાદોની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવશે. આ ટીમ તપાસ કરીને પોતાનો અહેવાલ રજૂ કરશે, જેના આધારે કલેક્ટર અંતિમ નિર્ણય લેશે.જો તપાસ દરમિયાન કોઈ મિલકતનું ટ્રાન્સફર ગેરકાયદેસર હોવાનું સાબિત થશે તો તે ટ્રાન્સફર રદ કરવામાં આવશે. એટલું જ નહીં, ટ્રાન્સફર રદ થયા બાદ ખરીદનારને છ મહિનાની અંદર ચૂકવેલી રકમ પરત કરવામાં આવશે અને મૂળ માલિકને મિલકતનો કબજો પરત સોંપવાનો રહેશે.

રાજ્ય સરકારના આ નવા નિયમોનો મુખ્ય હેતુ કોમી તણાવગ્રસ્ત અથવા સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતના સોદા વધુ પારદર્શક બને, ગેરકાયદે ટ્રાન્સફર અટકે અને કાયદાની જોગવાઈઓનો અસરકારક અમલ થાય તેવો છે. નવા નોટિફિકેશન સાથે અશાંતધારા સંબંધિત પ્રક્રિયામાં અનેક મહત્વના વહીવટી અને કાનૂની ફેરફારો અમલમાં આવશે. જો કોઈ મિલકત ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવશે, તો તે ટ્રાન્સફરને તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવશે. આ સાથે જ આવા કિસ્સાઓમાં આગામી 6 મહિનાની અંદર જ રકમ પરત ચૂકવીને મૂળ માલિકને મિલકતનો કબજો પરત સોંપવાનો કડક નિયમ પણ નોટિફિકેશનમાં જાહેર કરવામાં આવ્યો છે. સરકારના આ પગલાથી જમીન માફિયાઓ અને ગેરકાયદે સોદા કરનારાઓ પર મોટી લગામ કસાશે.

Frequently Asked Questions

અશાંતધારા શબ્દને બદલે હવે કયો શબ્દ વપરાશે?

અશાંતધારાને બદલે હવે 'સ્પેસિફાઈડ એરિયા' એટલે કે 'નિયત અથવા વિશિષ્ટ વિસ્તાર' શબ્દનો ઉપયોગ થશે. આ ફેરફાર સાથે કાયદાની જોગવાઈઓમાં સુધારા કરાયા છે.

કયા વિસ્તારોને 'સ્પેસિફાઈડ એરિયા' જાહેર કરાશે?

જે વિસ્તારોમાં કોમી તણાવ હોય અથવા ભવિષ્યમાં મોટા પાયે સ્થળાંતરની સંભાવના હોય, તેવા વિસ્તારોને સરકાર 'સ્પેસિફાઈડ એરિયા' જાહેર કરી શકશે.

સ્પેસિફાઈડ એરિયામાં મિલકતના વેચાણની પ્રક્રિયા શું હશે?

'સ્પેસિફાઈડ એરિયા'માં મિલકતના વેચાણ પહેલા કલેક્ટર કક્ષાએ વિગતવાર તપાસ થશે. કોમી તણાવ કે શાંતિ ભંગ હોય તો તપાસ પછી જ વેચાણને મંજૂરી મળશે.

જો મિલકતનું ટ્રાન્સફર ગેરકાયદેસર સાબિત થાય તો શું થશે?

ગેરકાયદેસર ટ્રાન્સફર રદ કરાશે અને ખરીદનારને છ મહિનામાં રકમ પરત અપાશે. મૂળ માલિકને મિલકતનો કબજો પાછો સોંપાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget