શોધખોળ કરો

દિવાળીને ધ્યાનમાં રાખતા એસ.ટી દ્વારા ૮,૩૪૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપો દોડાવાશે, 3.75 લાખ મુસાફરોને લાભ થશે

એસ.ટી નિગમ દૈનિક ૮,૦૦૦થી વધુ બસો થકી ૩૩ લાખ કિલોમીટરનું સંચાલન કરી ૨૫ લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે.

Gujarat ST Buses: શહેરી તેમજ છેવાડાના નાગરીકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સુવિધા ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના લીધે આજે ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર રાજ્ય બન્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રી  હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત સરકાર માર્ગ પરિવહન ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી મુસાફરોની સુવિધામાં વધારો કરવાનો નિરંતર પ્રયાસ કરી રહી છે. આગામી દિવાળીના તહેવારોમાં ૮,૩૪૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપોનો રાજ્યના અંદાજે ૩.૭૫ લાખ જેટલા મુસાફરોને એસ.ટીની સલામત અને સમયબદ્ધ સવારીનો લાભ મળશે તેમ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દૈનિક ૮,૦૦૦થી વધુ બસો, ૩૩ લાખ કિલોમીટરનું સંચાલન કરી ૨૫ લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ રીતે પહોચાડવાની બસ સેવાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને નોકરી વ્યવસાય કરનારા નાગરીકો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી માદરે વતનમાં કરી શકે તે માટે ખાસ ૮,૩૪૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ચાલુ વર્ષના આયોજનમાં માત્ર સુરત ખાતેથી ૨૨૦૦ બસો, દક્ષિણ મધ્ય ગુજરાત માંથી ૨૯૦૦, સૌરાષ્ટ્ર કચ્છમાંથી ૨૧૫૦ તેમજ ઉત્તર ગુજરાતમાંથી ૧૦૯૦ મળીને કુલ ૮,૩૪૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના થકી રાજ્યના ૩.૭૫ લાખ જેટલા મુસાફરોને સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ બસોની સેવાઓનો લાભ મળશે. દિવાળીના એક્સ્ટ્રા સંચાલનના આયોજનને ખુબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ગત માસ કરતા હાલમાં તહેવારોના પરિણામે થઇ રહેલ દૈનિક એડવાન્સ બુકિંગમાં ૧૮%નો વધારો જોવા મળી રહ્યો છે.

આ સમયગાળા દરમ્યાન નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સેવાઓનું નિગમની વિભાગીય કચેરીના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે. એસ.ટીમાં મુસાફરી કરતા મુસાફરોને સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે.

અત્રે ઉલેખ્ખનીય છે કે, રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશ અને તેમાં પણ ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓના રત્નકલાકારો સુરતમાં નોકરી/વ્યવસાય અર્થે સ્થાયી થયેલ છે, કે જેઓ દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ પ્રવાસ કરે છે. મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્રવાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નિગમના સુરત વિભાગ દ્વારા તા.૨૬ થી તા.૩૦ ઓક્ટોબર ૨૦૨૪ દરમ્યાન સૌરાષ્ટ્ર તરફના રત્નકલાકારો, પંચમહાલ, ઉત્તર ગુજરાત તથા મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે સુરત ખાતેથી વધારાની ૨૨૦૦ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. નિગમના અન્ય વિભાગો દ્વારા પણ દિવાળીના સમયગાળા દરમ્યાન એકસ્ટ્રા સેવાઓનું રાજ્યના વિવિધ રૂટ ઉપર સંચાલન હાથ ધરવામાં આવશે તેમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.

આ પણ વાંચોઃ

લોરેન્સ બિશ્નોઈ ગેંગનું કામ થશે તમામ! દેશભરમાં તાબડતોડ એક્શન, દિલ્હીમાં એનકાઉન્ટર, પાણીપતથી શૂટર અરેસ્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં પોલીસકર્મીઓ હેલ્મેટ વગર નીકળ્યા તો મર્યા સમજો! કમિશ્નરે આપ્યો મહત્ત્વપૂર્ણ આદેશ
અમદાવાદમાં પોલીસકર્મીઓ હેલ્મેટ વગર નીકળ્યા તો મર્યા સમજો! કમિશ્નરે આપ્યો મહત્ત્વપૂર્ણ આદેશ
નારાયણ સાઈંને હાઈકોર્ટે આસારામને મળવા માટે આપી મંજુરી, આ શરતો સાથે મળી શકશે
નારાયણ સાઈંને હાઈકોર્ટે આસારામને મળવા માટે આપી મંજુરી, આ શરતો સાથે મળી શકશે
દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, કોર્ટે આપ્યા જામીન, 18 મહિના પછી જેલમાંથી બહાર આવશે
દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, કોર્ટે આપ્યા જામીન, 18 મહિના પછી જેલમાંથી બહાર આવશે
Rain Alert: આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, મેપમાં જુઓ હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, મેપમાં જુઓ હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvalli News | અરવલ્લીમાં લોકો સ્મશાન યાત્રા સાથે નદી વચ્ચેથી પસાર થવા મજબૂરVav Assembly By Poll 2024 | વાવ બેઠક પર કોંગ્રેસ કોને ઉતારશે મેદાનમાં? જુઓ મોટા સમાચારAhmedabad BRTS Bus Fire | ઇલેક્ટ્રિક બસમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ, બસ બળીને ખાખSurat Crime | સુરતમાં પત્નીની ક્રૂર હત્યા, છરીના 11 ઘા મારીને પતાવી દીધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં પોલીસકર્મીઓ હેલ્મેટ વગર નીકળ્યા તો મર્યા સમજો! કમિશ્નરે આપ્યો મહત્ત્વપૂર્ણ આદેશ
અમદાવાદમાં પોલીસકર્મીઓ હેલ્મેટ વગર નીકળ્યા તો મર્યા સમજો! કમિશ્નરે આપ્યો મહત્ત્વપૂર્ણ આદેશ
નારાયણ સાઈંને હાઈકોર્ટે આસારામને મળવા માટે આપી મંજુરી, આ શરતો સાથે મળી શકશે
નારાયણ સાઈંને હાઈકોર્ટે આસારામને મળવા માટે આપી મંજુરી, આ શરતો સાથે મળી શકશે
દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, કોર્ટે આપ્યા જામીન, 18 મહિના પછી જેલમાંથી બહાર આવશે
દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, કોર્ટે આપ્યા જામીન, 18 મહિના પછી જેલમાંથી બહાર આવશે
Rain Alert: આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, મેપમાં જુઓ હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, મેપમાં જુઓ હવામાન વિભાગની આગાહી
IND vs NZ: બેંગલુરુ ટેસ્ટમાં મુશ્કેલીમાં ટીમ ઈન્ડીયા,ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં 356 રનની લીડ લીધી
IND vs NZ: બેંગલુરુ ટેસ્ટમાં મુશ્કેલીમાં ટીમ ઈન્ડીયા,ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં 356 રનની લીડ લીધી
'બ્લાઉઝનું બટન ખોલ્યું, બતાવી બ્રા...', ગૂગલની કર્મચારી સાથે AIએ આ શું કર્યું?
'બ્લાઉઝનું બટન ખોલ્યું, બતાવી બ્રા...', ગૂગલની કર્મચારી સાથે AIએ આ શું કર્યું?
દિવાળીને ધ્યાનમાં રાખતા એસ.ટી દ્વારા ૮,૩૪૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપો દોડાવાશે, 3.75 લાખ મુસાફરોને લાભ થશે
દિવાળીને ધ્યાનમાં રાખતા એસ.ટી દ્વારા ૮,૩૪૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપો દોડાવાશે, 3.75 લાખ મુસાફરોને લાભ થશે
JEE Main 2025:  બદલાઇ ગઇ JEE Mainની પેટર્ન, સેક્શન બીમાં નહી મળે વિકલ્પ
JEE Main 2025: બદલાઇ ગઇ JEE Mainની પેટર્ન, સેક્શન બીમાં નહી મળે વિકલ્પ
Embed widget