શોધખોળ કરો

'માવઠાથી ખેડૂતો બરબાદ થયા, દેવાદાર થયા, સરકાર વચનો આપીને પુરા કરતી નથી...' - કોંગ્રેસ નેતા અમિત ચાવડાની પ્રેસ

આજે અમિત ચાવડાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને સરકારને ખેડૂતોને નુકસાની અંગે સહાય કરવા માંગ કરી છે

Gujarat Vidhan Sabha News: છેલ્લા બે દિવસથી રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યુ છે. આને લઇને હવે રાજકીય પક્ષો અને રાજકીય નેતાઓ સરકારને ઘેરવા લાગી છે, આ મુદ્દે આજે ગુજરાત કોંગ્રેસે પણ રાજ્ય સરકારો સામે સવાલો ઉઠાવ્યા છે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને સરકારની આ મુદ્દે ઝાટકણી કાઢી હતી, અને ખેડૂતોને સહાય કરવા માંગ કરી હતી. 

આજે અમિત ચાવડાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને સરકારને ખેડૂતોને નુકસાની અંગે સહાય કરવા માંગ કરી છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પ્રેસમાં જણાવ્યુ કે, રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીમાં મોટુ નુકસાન પહોંચ્યુ છે, ખેડૂતો બરબાદ થયા છે, દેવાદાર થયા છે. અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, સરકારે વચનો પૂરા નથી કર્યા, ખેડૂતો દેવાદાર થયા છે. આર્થિક બરબાદીની સાથે સાથે ગુજરાતમાં જાનહાની પણ થઈ છે. 25થી વધુ લોકોના વીજળી પડવાથી મોત થયા છે. 60 તાલુકાઓમા 1 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં એરંડાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. માવઠાથી જીરુની વાવણીને પણ અસર થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. રાજ્યમાં વરિયાળી, ગુલાબની ખેતીને પણ નુકસાન થયુ છે. મધ્ય ગુજરાતમાં પણ ડાંગરના પાકને મોટું નુકસાન થયુ છે. 

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યુ કે, દર વખતે કુદરતી આફત સમયે સરકાર મોટી મોટી જાહેરાત કરે છે, અતિવૃષ્ટિમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાને સહાય જાહેર કરી પરંતુ આપી નથી. બિપરજૉય વાવાઝોડાની પૂરી સહાય પણ હજુ ચૂકવાઈ નથી. ખેડૂતોના નુકસાન માટે વળતર મળે તે માટે વિમાની વ્યવસ્થા હોવી જોઈએ.  પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કંપનીઓને પ્રીમિયમ આપીને બંધ કરી દીધી છે. 

તેમને વધુમાં જણાવ્યુ કે, કુદરતી આફત આવ્યા બાદ ખેડૂતને આપઘાત કર્યા સિવાય કોઈ રસ્તો બચતો નથી. ખેડૂતોને નુકશાનીના વળતર માટે અલગથી વિભાગ હોવો જોઈએ. સરકાર બજેટમાં જોગવાઈ કરી કૃષિ વિભાગ હસ્તક પાકવિમાં યોજના અમલમાં મૂકે, મુખ્યમંત્રી જાપાનમાં બુલેટ ટ્રેનમાં ફરે છે. 10 દિવસોમાં સર્વે પૂર્ણ કરી નુકસાનીનં પૂરતું વળતર આપવામાં આવે. પશુઓના મૃત્યુ સામે બજાર કિંમત પ્રમાણે સહાય ચુકવવામાં આવે. વીજળી પડવાથી 25 જેટલા લોકોના મૃત્યુ થયા છે, વીજળી પડવાથી જેમના મૃત્યુ થયા છે તેમના પરિવારને 10 લાખ રૂપિયાની સરકારે સહાય આપવી જોઇએ. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget