શોધખોળ કરો

કિશન ભરવાડ હત્યા કેસ Live Update : ધંધુકામાં થયેલી હત્યા કેસમાં વધુુ એક આરોપીની ધરપકડ

ધંધુકામાં થયેલી હત્યાના પડઘા ગીરના કોડીનારમાં પડયા, કોડીનાર શહેર આજે સજ્જડ બંધ પાળ્યું. આરોપીઓને ફાંસીની સજા આપવાની લોકોએ કરી માંગ.

LIVE

Key Events
કિશન ભરવાડ હત્યા કેસ Live Update :  ધંધુકામાં થયેલી હત્યા કેસમાં વધુુ એક આરોપીની ધરપકડ

Background

અમદાવાદઃ ધંધૂકામાં માલધારી યુવકની હત્યાના સમગ્ર  ગુજરાતમાં પડઘા પડી રહ્યાં છે. હત્યાના વિરોધમાં ઠેર-ઠેર હિંદુ સંગઠનો દ્વારા બંધ અને રેલી  યોજવામાં આવી રહી છે.  કિશનની શબ્બીર ઉર્ફે શાબા ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણ ગોળી મારીને હત્યા કરી હતી. જો કે હવે આ કેસના તાર ધંધૂકાથી અમદાવાદ થઈને મુંબઈ અને દિલ્હી સુધી પહોંચ્યા છે. આ કેસમાં પાકિસ્તાન કનેક્શનની સાથે સાથે સ્લીપર સેલ એક્ટિવ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધંધુકામાં થયેલી હત્યાના પડઘા ગીરના કોડીનારમાં પડયા, કોડીનાર શહેર આજે સજ્જડ બંધ પાળ્યું.

આ કેસમાં અત્યાર સુધીમાં શબ્બીર,ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમરગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા મળીને કુલ 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. માત્ર એટલું જ નહીં આ લોકો સાથે અન્ય લોકો પણ સંકળાયેલા હોવાનું પોલીસનું માનવું છે.  એજન્સીઓની સાથે નેશનલ એજન્સીના અધિકારીઓએ પણ અનેક નંબર સ્કેનિગમાં મુક્યાં છે. 

ધંધુકામાં કિશન બોળિયા નામના માલધારી યુવકની હત્યા કેસમાં દરરોજ નવા નવા ચોંકાવનારા ધડાકા થઈ રહ્યા છે. હવે આ કેસમાં હત્યાના તાર પાકિસ્તાન સુધી જતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં  જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ થતાં અનેક ખુલાસા થયા છે.


પોલીસની પ્રાથમિક તપાસમાં પાકિસ્તાની કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. આ સંગઠનો મુંબઈ, દિલ્લી અને યુપીમાં પણ કટ્ટરવાદી સંગઠન ચલાવતા હોવાની માહિતી બહાર આવી છે. તહેરીક-એ-નમૂસ-એ-રિસાલત નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું અનુમાન છે. આ સંગઠન પહેલાં તહેરીક-એ-ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હોવાનું અનુમાન છે.

આ સંગઠનના પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીક-એ-લબ્બેક સાથે સંબંધ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ માહિતીના આધારે ધંધૂકાની મસ્જિદમાં પણ સર્ચ-ઓપરેશન હાથ ધરાયું છે. ધંધુકાની મસ્જિદના મૌલવીની પણ તપાસ શરૂ કરાઈ છે.


ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં મૌલાનાને હથિયાર આપનાર અઝીમ સમાની પણ પોલીસે ધરપકડ કરી છે. ગુજરાત એટીએસએ દિલ્હીના મૌલવી કમર ગની ઉસ્માનીની ધરપકડ કરી હતી. મૌલવીએ હત્યા માટે બંને આરોપીઓને ઉશ્કેર્યા હતા. કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરાઇ હતી. કમર ગની ઉસ્માની એક વર્ષથી ષડયંત્ર કરી રહ્યો હતો.

17:58 PM (IST)  •  01 Feb 2022

સોશ્યલ સાઇટ્સ પર પોલીસ રાખી રહી છે બાજ નજર

ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસ અને રાધનપુરના શેરગઢ ગામમાં યુવતી પર હુમલા મામલે કરી લોકોને અપીલ. કેટલાક અસામાજિક તત્વો હિન્દૂ-મુસ્લિમ કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશ્યલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરી શાન્તિભંગની પ્રયાસ કરે છે. Whatsapp. Instagram.. ફેસબુક.. ટ્વિટર.. અને સ્નેપચેટ જેવી સોશ્યલ સાઇટ્સ પર પોલીસ રાખી રહી છે બાજ નજર. કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા કોઈ વ્યક્તિ દ્રારા ભડકાઉ પોસ્ટ કરવામાં આવશે કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહી. સોશ્યલ મીડિયા પર સાઈબર ક્રાઈમ સેલ રાખી રહ્યું છે...

17:25 PM (IST)  •  01 Feb 2022

મૌલવી ઐયુબને જમાલપુરની દરગાહ પર ગુજરાત એટીએએ લઈ આવી

મૌલવી ઐયુબને જમાલપુરની દરગાહ પર ગુજરાત એટીએએ લઈ આવી. મૌલવી ઐયુબ સાથે દિલ્હીના મૌલવી કમરગની ઉસ્માની સાથે રાખી દરગાહ પર કરી તપાસ. જમાલપુર દરગાહ પરથી મૌલવી ઐયુબની ઘણી પુસ્તકો અને કોમ્પ્યુટર કબ્જે લેવાયું. ગુજરાત એટીએસએ કાફલા સાથે બન્ને મૌલવી લઈ આવ્યા. કિશન ભરવાડની હત્યામાં જમાલપુરની દરગાહમાં આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. મૌલવી ઐયુબ હત્યા કેસનો મુખ્ય આરોપી છે.

17:18 PM (IST)  •  01 Feb 2022

તમામ આરોપીને કડક સજા કરવામાં આવેઃ ગીતા રબારી

હાલમાં જે રીતે કિસન ભરવાડની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી તે તમામ આરોપીને કડક સજા કરવામાં આવે. ભવિષ્યમાં પણ આવી ગટના ના બને અને હું હંમેશા મારા ધર્મ પડખે ઊભી રહીશ :ગીતા રબારી

16:00 PM (IST)  •  01 Feb 2022

આરોપીને કડક સજા થવી જોઈએ તેવી ભરવાડ સમાજની માગણી

સમાજના આગેવાનોની ગૃહમંત્રીને રજુઆત. કિશન ભરવાડ કેસ સંદર્ભે ત્વરિત કાર્યવાહી સંદર્ભે ભરવાડ સમાજના આગેવાનોએ ગૃહ મંત્રીનો આભાર માન્યો. આરોપીને કડક સજા થવી જોઈએ તેવી ભરવાડ સમાજની માગણી. ગૃહ મંત્રીએ ઝડપી અને યોગ્ય ન્યાય અપાવવાની આપી ખાતરી.

15:08 PM (IST)  •  01 Feb 2022

કિશન ભરવાડ હત્યા કેસમાં હથિયાર આપનાર વધુ એક શખ્સને પકડતી પોલીસ

કિશન ભરવાડ હત્યા કેસમાં હથિયાર આપનાર વધુ એક શખ્સને પકડતી પોલીસ. અઝીમ સમાને હથિયાર આપનાર જંગલેશ્વરના રમીઝ સેતા નામના શખ્સની રાજકોટ SOG એ કરી અટકાયત. ભાવનગરના ઢસાથી પોલીસે અટકાયત કરી ATSને સોંપવામાં આવ્યો.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂCar structed in Flooded river of Dhoraji RajkotGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
Embed widget