શોધખોળ કરો
Advertisement
ગુજરાત વિપક્ષના નેતાપદે સૌરાષ્ટ્રના આ પાટીદાર નેતાની નિમણૂકની શક્યતા, જાણો બીજું કોણ કોણ છે રેસમાં ?
પરેશ ધાનાણીના સ્થાને વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર, પૂંજા વંશ અને અશ્વિન કોટવાલનાં નામ પણ ચર્ચામાં છે. આ તમામ સીનિયર ધારાસભ્યો છે પણ પાટીદારો નારાજ ના થાય એટલે લલિત વસોયાને આ હોદ્દો મળી શકે છે એવું કોંગ્રેસનાં સૂત્રોનું માનવું છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થતાં ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાપદેથી પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું છે. ધાનાણીની જગાએ કોને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાશે તેની અટકળો વચ્ચે પાટીદાર નેતા અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનું નામ જોરશોરથી ચાલી રહ્યું છે.
પરેશ ધાનાણીના સ્થાને વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર, પૂંજા વંશ અને અશ્વિન કોટવાલનાં નામ પણ ચર્ચામાં છે. આ તમામ સીનિયર ધારાસભ્યો છે પણ પાટીદારો નારાજ ના થાય એટલે લલિત વસોયાને આ હોદ્દો મળી શકે છે એવું કોંગ્રેસનાં સૂત્રોનું માનવું છે.
આ પહેલાં ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર પછી પણ પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધું હતું. એ વખતે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, પેટાચૂંટણીનાં પરિણામ બાદ હાઇકમાન્ડ સમક્ષ રાજીમામું આપવાની રજૂઆત કરી હતી અને પરિણામોની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામુ આપ્યુ છે. કોંગ્રેસના બધાય ધારાસભ્યોના સહકારથી વિરોધપક્ષના નેતા તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યુ છે. હવે હાઇકમાન્ડ જે નિર્ણય લે તે અમને માન્ય હશે. જો કે એ વખતે કોંગ્રેસે તેમનું રાજીનામું નકારી કાઢ્યું હતું પણ આ વખતે તેમનું રાજીનામું સ્વીકારી લેવાયું છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion