શોધખોળ કરો

Panchmahal: રાજ્યમાં વધુ એક વ્યક્તિએ હાર્ટ એટેકના કારણે ગુમાવ્યો જીવ, લેબ ટેકનિશિયનનું 43 વર્ષની ઉંમરે નિધન

પંચમહાલ: રાજ્યમાં હાલમાં હાર્ટ એટેકના કેસમાં મોટો વધારો આવ્યો તેમ લાગી રહ્યું છે. કારણ કે, રોજે રોજ હાર્ટ એટેકના કારણે થનારા મોતની સંખ્યા વધી રહી છે. ખાસ કરીને નાની ઉંમરમાં એટેક આવવાના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે.

પંચમહાલ: રાજ્યમાં હાલમાં હાર્ટ એટેકના કેસમાં મોટો વધારો આવ્યો તેમ લાગી રહ્યું છે. કારણ કે, રોજે રોજ હાર્ટ એટેકના કારણે થનારા મોતની સંખ્યા વધી રહી છે. ખાસ કરીને નાની ઉંમરમાં એટેક આવવાના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. હજુ બે દિવસ પહેલા જ જાણીતા હાર્ટ સ્પેશ્યિલીસ્ટ ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું તો આજે પંચમહાલમાં પણ એક 43 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.

શહેરા રેફરલ હોસ્પિટલનાં લેબ ટેકનિશિયનનું હાર્ટ એટેકના કારણે નિધન થતા અરેરાટી મચી જવા પામી છે.  કરાર આધારિત લેબ ટેકનીશિયન તરીકે ફરજ બજાવતા આરફિન પારેખનું 43 વર્ષની ઉંમરે મોત થયું છે. આરફિન પારેખનાં મોતને લઈને પરીવાર સહિત આરોગ્ય વિભાગનાં કર્મચારીઓમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે.

કેમ નાની ઉંમરે મોતને ભેટી રહ્યા છે લોકો?

જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેમની ઉંમર 41 વર્ષની હતી. તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું જણાવાયું છે. કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટરનું કાર્ડિયાક એરેસ્ટના કારણે નિધન થતા ચકચાર મચી જવા પામી છે. એમપી શાહ મેડિકલ કોલેજના ડીન ડૉ. નંદિની દેસાઈએ જણાવ્યું કે, ગાંધીએ મંગળવારે સાંજે 4 વાગ્યે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. કાર્ડિયોગ્રામ બાદ તેમને એસિડિટીની સારવાર કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમના સારું લાગતા તેઓ ઘરે પાછા ફર્યા હતા. પરિવારના જણાવ્યા અનુસાર બે કલાક બાદ તે બાથરૂમમાં બેહોશ થઈ ગયા. હોસ્પિટલમાં લઈ જવાયાની 45 મિનિટમાં જ તેનું મોત થઈ ગયું. અહેવાલો અનુસાર,  ડૉ ગાંધીએ તેમની તબીબી કારકિર્દીમાં 16,000 થી વધુ હાર્ટ સર્જરીઓ કરી હતી. તેઓ જામનગરની જીજી હોસ્પિટલ ખાતે કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. તેણે ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ પણ કરી હતી. તેના સાથીદારોના કહેવા પ્રમાણે, તે એકદમ સામાન્ય દેખાતા હતા.

ડૉ.ગાંધી સ્વસ્થ હતા અને તેમના અવસાનથી તબીબી જગત આઘાતમાં છે. 41 વર્ષીય ડૉ. ગાંધીનું મૃત્યુ આશ્ચર્યજનક છે કારણ કે તાજેતરના ભૂતકાળમાં આવી ઘણી ઘટનાઓ બની છે જેમાં સ્વસ્થ વ્યક્તિ અચાનક એટેક આવવાને કારણે મોતને ભેટ્યા છે.

શું કોરોના સાથે છે કઈ કનેક્શન? 


'નેચર મેડિસિન' જર્નલમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસ સૂચવે છે કે કોવિડ-19નો હળવો ચેપ પણ હૃદય રોગનું જોખમ અનેકગણું વધારી શકે છે. વિવિધ અભ્યાસોમાં, કોવિડ પછી એક નવા રોગની વાત કરવામાં આવી છે.

વિશાખા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના ડિરેક્ટર ડૉ. રામબાબુએ કહ્યું કે આ હાર્ટ એટેક અને મૃત્યુમાં SARS-CoV-2ની ભૂમિકા વિશે બહુ શંકા નથી. તેમણે કહ્યું, 'કોવિડ-19 ડી-ડાઈમર લેવલમાં વધારો કરે છે અને કેટલાક દર્દીઓમાં ક્લોર્ટિંગ અબ્રોર્મલિટી આવી જાય છે, જેનાથી કદાચ કાર્ડિયાક અબ્રોર્મલિટી થઈ શકે છે.

હસતા-રમતા લોકોને હાર્ટ એટેક આવવા લાગ્યા છે. એવું પણ નથી કે વૃદ્ધો કે કોઈ રોગથી પરેશાન લોકો તેનો શિકાર બન્યા હોય. ઘણા કિસ્સાઓમાં ખૂબ જ યુવાન લોકોએ (30 વર્ષથી ઓછી ઉંમરના) પોતાનો જીવ ગુમાવ્યો હતો. છેલ્લા બે વર્ષમાં સોશિયલ મીડિયા પર આવા વીડિયોનું પૂર આવ્યું છે.

આકસ્મિક મૃત્યુ અંગે વિવિધ થિયરી સામે આવવા લાગી છે. કેટલાક કોવિડ-19 રસીનું કારણ કહેશે, જ્યારે કેટલાક જીન મ્યુટેશનની વાતો કહે છે. આમાંથી કોઈ પણ સિદ્ધાંત અત્યાર સુધી વૈજ્ઞાનિકોના સ્કેલ પર સાચો નથી. જો કે, અચાનક મૃત્યુને લઈને તબીબી જગતનો અભિપ્રાય પણ વહેંચાયેલો છે.

કાર્ડિયોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયા અનુસાર, ભારત વિશ્વની ક્રોનિક હ્રદય રોગની રાજધાની છે. નિષ્ણાંતોના મતે ભારતીયોના જનીન એવા છે કે તેમાં હૃદયરોગનું જોખમ વધારે છે.

ઘણા નિષ્ણાતો કોવિડ-19 સાથે સંકળાયેલ માયકોર્ડિટિસ અને પેરીકાર્ડિટિસ માટે ભૂમિકા પર શંકા કરે છે, પરંતુ ડેટા આને સમર્થન આપતા નથી.
યુવાનો હાર્ટ એટેકને લઈને કોઈ ગેરસમજમાં ન રહે.

અસહ્ય ગરમી આ કારણે બને છે હાર્ટ અટેકનું કારણ

નબળા હૃદયવાળા લોકો શરીરને ઠંડુ રાખવા માટે પૂરતું લોહી પંપ કરી શકતા નથી. તેથી જ તેઓ બ્લડ પ્રેશરને સામાન્ય રાખી શકતા નથી. જેના કારણે તેમના શરીરનું તાપમાન હાનિકારક સ્તરે વધી શકે છે. માનવ શરીર સામાન્ય રીતે 98.6°F એટલે કે 37°C તાપમાન જાળવી રાખે છે. જ્યારે તાપમાનમાં થોડો વધારો થાય છે, ત્યારે શરીર પરસેવો ઉત્પન્ન કરીને અને રક્તવાહિનીઓને ફેલાવીને પોતાને ઠંડુ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે એવું થતું નથી અને રક્તવાહિનીની સાઈઝમાં વધારો થવાને કારણે હૃદયના ધબકારા ઝડપી બને છે અને બ્લડપ્રેશર ઘટી જાય છે ત્યારે હૃદયરોગના દર્દીઓ માટે સમસ્યા ઊભી થઈ શકે છે.

લોહી પંપ કરવામાં અસમર્થ
નબળા હૃદયવાળા લોકો શરીરને ઠંડુ રાખવા માટે પૂરતું લોહી પંપ કરી શકતા નથી. તેથી જ તેઓ બ્લડ પ્રેશરને સામાન્ય રાખી શકતા નથી. જેના કારણે તેમના શરીરનું તાપમાન હાનિકારક સ્તરે વધી શકે છે. કાર્ડિયોલોજિસ્ટ્સનું કહેવું છે કે વધતી ગરમીને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદય સંબંધિત રોગો ખાસ કરીને હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે.

શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે એવું માનવામાં આવે છે, પરંતુ નિષ્ણાતોના મતે માત્ર કડકડતી ઠંડી જ નહીં પરંતુ પ્રખર ગરમી પણ હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. એટલા માટે હૃદયના દર્દીઓએ બંને પરિસ્થિતિમાં સાવચેત રહેવું જોઈએ. હિટવેવની સ્થિતિમાં હાર્ટ એટેકની શક્યતાઓ વધી જાય છે. આનું કારણ એ છે કે, શરીરના ચયાપચયને તેનું સામાન્ય તાપમાન 37 °C (98.6 °F) જાળવવા માટે સખત મહેનત કરવી પડે છે, જે હૃદય પર તાણ લાવે છે.

આ લક્ષણોને ન કરો નજર અંદાજ

માથામાં દુખાવો થવો
વધુ પરસેવો આવવો
નાડીનું તેજ ચાલવું
ધબકારા વધી જવા
ઉલ્ટી થવી
નબળાઇ અનુભવવી
કેવી રીતે કરશો બચાવ

ગરમીમાં હાર્ટઅટેકથી બચવા  માટે સખત ગરમીમાં બહાર જવાનું ટાળવું જોઇએ. ગરમીમાં હાર્ડ વર્ક કરવાનું ટાળવું જોઇએ અને શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે પાણી પીતા રહેવું જોઇએ. જો ગરમીમાં અસહજ મહેસૂસ થાય કે ઉપરોક્ત કોઇ આવા કોઇ લક્ષણો દેખાય તો ઠંડી જગ્યાએ જતું રહેવું અને આરામ કરવો અને ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
"અમેરિકી સૈન્યને 1,776 ડોલરનું બોનસ..." રાષ્ટ્રને સંબોધનમાં ટ્રમ્પે કરી અનેક મોટી જાહેરાતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
"અમેરિકી સૈન્યને 1,776 ડોલરનું બોનસ..." રાષ્ટ્રને સંબોધનમાં ટ્રમ્પે કરી અનેક મોટી જાહેરાતો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
Embed widget