શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનો આરોપઃ ગુજરાત સરકાર કોરોનાના કેસ છૂપાવે છે
મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાના આરોપને મુખ્યમંત્રી રૂપાણીએ વાહિયાત ગણાવી રાજ્ય સરકાર કોરોનાના આંકડા ન છૂપાવતા હોવાની સ્પષ્ટતા કરી છે.
કોરોનાના કેસને લઈ હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોરોનાના આંકડા અન્ય સરકારો છૂપાવતી હોવાનો મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે આરોપ લગાવ્યો છે. તેની સાથે જ કોરોનાના આંકડાઓ પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે.
ગુજરાત સહિતના રાજ્યોમાં કોરોનાના કેસ છૂપાવતા હોવાનો મહારાષ્ટ્ર કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે. મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાના આરોપને મુખ્યમંત્રી રૂપાણીએ વાહિયાત ગણાવી રાજ્ય સરકાર કોરોનાના આંકડા ન છૂપાવતા હોવાની સ્પષ્ટતા કરી છે. સાથે જ છેલ્લા આઠ દિવસમાં કોરોનાના કેસમાં વધારો થયો હોવાની કબૂલાત કરી છે.
નોંધનીય છે કે, રાજ્યમાં ગુરૂવારે આરોગ્ય વિભાગે જાહેર કરેલા છેલ્લા 24 કલાકના આંકડા મુજબ નવા 424 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન એકનું મૃત્યુ નિપજ્યુ છે.
છેલ્લા બે દિવસમાં કોરોનાના કેસમાં 22 ટકાનો ઉછાળો જોવા મળ્યો. 23 ફેબ્રુઆરે રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 348 હતી. જો કે રાહતની વાત એ જરૂર છે કે હજુ રાજ્યના સાત એવા જિલ્લા છે જ્યાં એકપણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. જેમાં બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર અને તાપીનો સમાવેશ થાય છે.
કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓનો કુલ મૃત્યુઆંક 4408 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં હાલ કોરોનાના કુલ કેસનો આંક ૨,૬૮,૫૭૧ છે જ્યારે છેલ્લા એક સપ્તાહમાં જ કોરોનાના નવા ૨,૨૭૪ કેસ નોંધાયા છે. આ ઉપરથી જ રાજ્યમાં કોરોનાની ગંભીર સ્થિતિનો અંદાજ મેળવી શકાય છે.
ગઈકાલે નોંધાયેલ કુલ કેસમાં જે જિલ્લામાં કોરોનાના વધુ કેસ સામે આવ્યા છે તેમાં વડોદરા ૮૯ સાથે મોખરે છે. વડોદરા શહેરમાં ૭૯ જ્યારે ગ્રામ્યમાં ૧૦ નવા કેસનો સમાવેશ થાય છે. સુરત શહેરમાં ૭૯-ગ્રામ્યમાં ૮ સાથે ૮૭, અમદાવાદ શહેરમાં ૭૧-ગ્રામ્યમાં ૪ સાથે ૭૫ નવા કેસ નોંધાયા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
દેશ
ગાંધીનગર
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion