શોધખોળ કરો

ગુજરાત મંત્રીમંડળમાં મોટો ફેરફાર, જૂનાગઢ જિલ્લામાંથી ફરી ન મળ્યું કોઈને મંત્રીપદ

આખરે કેટલાક મંત્રીઓને શા માટે હટાવવામાં આવી રહ્યા છે? એટલું જ નહીં મંત્રીમંડળના કદમાં પણ ફેરફાર કરાઈ રહ્યો છે?

ગુજરાત સરકારનું નવું મંત્રીમંડળ આજે શપથ લેશે. 11:30 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, હર્ષ સંઘવીને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્યમાં ભાજપને 2022ની ચૂંટણીમાં 156 બેઠકો સાથે બહુમતી મળી હતી અને ત્યાર બાદ તેના ધારાસભ્યોની સંખ્યા વધીને 162 થઈ ગઈ હતી. તેમ છતાં મંત્રીમંડળમાં આ ફેરફાર શા માટે કરવામાં આવી રહ્યો છે? આખરે કેટલાક મંત્રીઓને શા માટે હટાવવામાં આવી રહ્યા છે? એટલું જ નહીં મંત્રીમંડળના કદમાં પણ ફેરફાર કરાઈ રહ્યો છે? જોઈએ  વિશેષ અહેવાલ

 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ જવાબદાર

આગામી વર્ષે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને સાંકળીને પણ મંત્રીમંડળના ફેરફારને જોવામાં આવી રહ્યો છે. નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાનો સ્થાન આપવાનું કારણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન સુધારવાનું છે. તાજેતરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બનેલા જગદીશ વિશ્વકર્મા તેમનું નવું સંગઠન બનાવશે. તેની અસર પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળશે.

સૌરાષ્ટ્રમાં ગોપાલ ઈટાલિયાના વધતા પ્રભાવને પણ મનાઈ રહ્યું છે કારણ

આ પાછળના અનેક કારણો વચ્ચે હાલમાં એક કારણ જે સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે તે છે જૂનાગઢના વિસાવદરમાં તાજેતરમાં જ યોજાયેલી પેટાચૂંટણીમાં આપનો ભવ્ય વિજય. આશ્વર્યની વાત એ છે કે ગોપાલ ઈટાલિયાની જીત બાદ પણ જૂનાગઢમાંથી એક પણ ભાજપના ધારાસભ્યને નવા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. સૌરાષ્ટ્રમાં 'આપ'નું વર્ચસ્વ વધી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ ગોપાલ ઇટાલિયા છે.

વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી હતી. આ બેઠક પર પાટીદાર મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. જેનો આપને ફાયદો થયો હતો. તે પણ ભાજપ માટે ચિંતાનો વિષય છે. હાલની સ્થિતિને જોતા આમ આદમી પાર્ટી ભાજપ માટે પડકાર નથી, પરંતુ જો સૌરાષ્ટ્રમાં 'આપ' આગળ વધે તો મોટો પડકાર ઊભો કરશે.

જૂનાગઢમાંથી એક પણ ધારાસભ્યને ન મળ્યું સ્થાન

જૂનાગઢ જિલ્લાના ભાજપના ચાર ધારાસભ્યોમાંથી કોઈને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન અપાયું નથી. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાનું નામ ચર્ચાઈ રહ્યું હતું પરંતુ છેલ્લી ઘડીએ મોરબીના કાંતિ અમૃતિયાને સ્થાન મળતા તેમનું પતુ કપાયું હતું.  તે સિવાય કેશોદના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! ગુજરાતના 12 જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! ગુજરાતના 12 જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડપતિ બાબુને કોનો લાગ્યો 'કરંટ'
Hun To Bolish : હું તો બોલીશ : બાબાની એન્ટ્રી પહેલા બબાલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 5 દિવસ જામશે વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી
MLA Mukesh Patel: સુરતમાં વધુ એક નેતા અધિકારીઓ પર લાલઘૂમ, અધિકારીઓને આપી કડક ચેતવણી
Gujarat Congress : કૉંગ્રેસની ખાનગી સમીક્ષા બેઠકમાં IBના કર્મચારીઓ ઘૂસતા હંગામો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ચાંદી સીધી ₹5,000 ગગડી! સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો, જાણી લો તમારા શહેરના લેટેસ્ટ રેટ
ચાંદી સીધી ₹5,000 ગગડી! સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો, જાણી લો તમારા શહેરના લેટેસ્ટ રેટ
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થશે 3%નો વધારો, જાણો નવો આંકડો
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થશે 3%નો વધારો, જાણો નવો આંકડો
Embed widget