શોધખોળ કરો

ગુજરાત મંત્રીમંડળમાં મોટો ફેરફાર, જૂનાગઢ જિલ્લામાંથી ફરી ન મળ્યું કોઈને મંત્રીપદ

આખરે કેટલાક મંત્રીઓને શા માટે હટાવવામાં આવી રહ્યા છે? એટલું જ નહીં મંત્રીમંડળના કદમાં પણ ફેરફાર કરાઈ રહ્યો છે?

ગુજરાત સરકારનું નવું મંત્રીમંડળ આજે શપથ લેશે. 11:30 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, હર્ષ સંઘવીને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્યમાં ભાજપને 2022ની ચૂંટણીમાં 156 બેઠકો સાથે બહુમતી મળી હતી અને ત્યાર બાદ તેના ધારાસભ્યોની સંખ્યા વધીને 162 થઈ ગઈ હતી. તેમ છતાં મંત્રીમંડળમાં આ ફેરફાર શા માટે કરવામાં આવી રહ્યો છે? આખરે કેટલાક મંત્રીઓને શા માટે હટાવવામાં આવી રહ્યા છે? એટલું જ નહીં મંત્રીમંડળના કદમાં પણ ફેરફાર કરાઈ રહ્યો છે? જોઈએ  વિશેષ અહેવાલ

 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ જવાબદાર

આગામી વર્ષે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને સાંકળીને પણ મંત્રીમંડળના ફેરફારને જોવામાં આવી રહ્યો છે. નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાનો સ્થાન આપવાનું કારણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન સુધારવાનું છે. તાજેતરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બનેલા જગદીશ વિશ્વકર્મા તેમનું નવું સંગઠન બનાવશે. તેની અસર પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળશે.

સૌરાષ્ટ્રમાં ગોપાલ ઈટાલિયાના વધતા પ્રભાવને પણ મનાઈ રહ્યું છે કારણ

આ પાછળના અનેક કારણો વચ્ચે હાલમાં એક કારણ જે સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે તે છે જૂનાગઢના વિસાવદરમાં તાજેતરમાં જ યોજાયેલી પેટાચૂંટણીમાં આપનો ભવ્ય વિજય. આશ્વર્યની વાત એ છે કે ગોપાલ ઈટાલિયાની જીત બાદ પણ જૂનાગઢમાંથી એક પણ ભાજપના ધારાસભ્યને નવા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. સૌરાષ્ટ્રમાં 'આપ'નું વર્ચસ્વ વધી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ ગોપાલ ઇટાલિયા છે.

વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી હતી. આ બેઠક પર પાટીદાર મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. જેનો આપને ફાયદો થયો હતો. તે પણ ભાજપ માટે ચિંતાનો વિષય છે. હાલની સ્થિતિને જોતા આમ આદમી પાર્ટી ભાજપ માટે પડકાર નથી, પરંતુ જો સૌરાષ્ટ્રમાં 'આપ' આગળ વધે તો મોટો પડકાર ઊભો કરશે.

જૂનાગઢમાંથી એક પણ ધારાસભ્યને ન મળ્યું સ્થાન

જૂનાગઢ જિલ્લાના ભાજપના ચાર ધારાસભ્યોમાંથી કોઈને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન અપાયું નથી. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાનું નામ ચર્ચાઈ રહ્યું હતું પરંતુ છેલ્લી ઘડીએ મોરબીના કાંતિ અમૃતિયાને સ્થાન મળતા તેમનું પતુ કપાયું હતું.  તે સિવાય કેશોદના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 
હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 
હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
જમ્મુ કાશ્મીરના આકિબ નબીથી યૂપીના આકિબ ખાન સુધી, 5 અનકેપ્ડ ફાસ્ટ બોલર IPL ઓક્શનમાં બની શકે છે કરોડપતિ
જમ્મુ કાશ્મીરના આકિબ નબીથી યૂપીના આકિબ ખાન સુધી, 5 અનકેપ્ડ ફાસ્ટ બોલર IPL ઓક્શનમાં બની શકે છે કરોડપતિ
Embed widget