શોધખોળ કરો

ગુજરાત મંત્રીમંડળમાં મોટો ફેરફાર, જૂનાગઢ જિલ્લામાંથી ફરી ન મળ્યું કોઈને મંત્રીપદ

આખરે કેટલાક મંત્રીઓને શા માટે હટાવવામાં આવી રહ્યા છે? એટલું જ નહીં મંત્રીમંડળના કદમાં પણ ફેરફાર કરાઈ રહ્યો છે?

ગુજરાત સરકારનું નવું મંત્રીમંડળ આજે શપથ લેશે. 11:30 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, હર્ષ સંઘવીને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્યમાં ભાજપને 2022ની ચૂંટણીમાં 156 બેઠકો સાથે બહુમતી મળી હતી અને ત્યાર બાદ તેના ધારાસભ્યોની સંખ્યા વધીને 162 થઈ ગઈ હતી. તેમ છતાં મંત્રીમંડળમાં આ ફેરફાર શા માટે કરવામાં આવી રહ્યો છે? આખરે કેટલાક મંત્રીઓને શા માટે હટાવવામાં આવી રહ્યા છે? એટલું જ નહીં મંત્રીમંડળના કદમાં પણ ફેરફાર કરાઈ રહ્યો છે? જોઈએ  વિશેષ અહેવાલ

 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ જવાબદાર

આગામી વર્ષે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને સાંકળીને પણ મંત્રીમંડળના ફેરફારને જોવામાં આવી રહ્યો છે. નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાનો સ્થાન આપવાનું કારણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન સુધારવાનું છે. તાજેતરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બનેલા જગદીશ વિશ્વકર્મા તેમનું નવું સંગઠન બનાવશે. તેની અસર પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળશે.

સૌરાષ્ટ્રમાં ગોપાલ ઈટાલિયાના વધતા પ્રભાવને પણ મનાઈ રહ્યું છે કારણ

આ પાછળના અનેક કારણો વચ્ચે હાલમાં એક કારણ જે સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે તે છે જૂનાગઢના વિસાવદરમાં તાજેતરમાં જ યોજાયેલી પેટાચૂંટણીમાં આપનો ભવ્ય વિજય. આશ્વર્યની વાત એ છે કે ગોપાલ ઈટાલિયાની જીત બાદ પણ જૂનાગઢમાંથી એક પણ ભાજપના ધારાસભ્યને નવા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. સૌરાષ્ટ્રમાં 'આપ'નું વર્ચસ્વ વધી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ ગોપાલ ઇટાલિયા છે.

વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી હતી. આ બેઠક પર પાટીદાર મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. જેનો આપને ફાયદો થયો હતો. તે પણ ભાજપ માટે ચિંતાનો વિષય છે. હાલની સ્થિતિને જોતા આમ આદમી પાર્ટી ભાજપ માટે પડકાર નથી, પરંતુ જો સૌરાષ્ટ્રમાં 'આપ' આગળ વધે તો મોટો પડકાર ઊભો કરશે.

જૂનાગઢમાંથી એક પણ ધારાસભ્યને ન મળ્યું સ્થાન

જૂનાગઢ જિલ્લાના ભાજપના ચાર ધારાસભ્યોમાંથી કોઈને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન અપાયું નથી. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાનું નામ ચર્ચાઈ રહ્યું હતું પરંતુ છેલ્લી ઘડીએ મોરબીના કાંતિ અમૃતિયાને સ્થાન મળતા તેમનું પતુ કપાયું હતું.  તે સિવાય કેશોદના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR
સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR
સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
Embed widget