શોધખોળ કરો

Navsari: નવસારીમાં ફરી શ્વાનનો આતંક, એક જ દિવસમાં 6ને બચકાં ભરતાં લોકોમાં ફફડાટ

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવી રહી છે. ઠેર ઠેર લોકોને શ્વાનને બચકાં ભરીને ઘાયલ કર્યા હોવાની વાત સામે આવી રહી છે

Navsari News: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવી રહી છે. ઠેર ઠેર લોકોને શ્વાનને બચકાં ભરીને ઘાયલ કર્યા હોવાની વાત સામે આવી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે હવે નવસારીમાં ફરી એકવાર શ્વાનનો આતંક જોવા મળ્યો છે. જિલ્લાના ખેરગામમાં એક જ દિવસમાં 6 લોકોને બચકાં ભરી લેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શહેરની રેફરલ હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, નવસારી જિલ્લામાં ફરી એકવાર શ્વાનનો આતંક સામે આવ્યો છે. જિલ્લાના ખેરગામમાં એક જ દિવસમાં શ્વાનને આતંક મચાવ્યો છે, ખેરગામમાં એક જ દિવસમાં ડોગ બાઈટના 6 કેસથી લોકો ભયભીત થયા છે. એક જ દિવસમાં શ્વાને છ લોકોને બચકા ભરીને ઘાયલ કરી દીધા છે, જેમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સામેલ છે. આ ઘટનામાં એક બાળક સહિત કુલ 6 લોકોને બચકા ભરીને શ્વાનને ગંભીર રીતે ઘાયલ કર્યા છે, આ તમામને હાલમાં ખેરગામની રેફરલ હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. શ્વાનને પકડવા માટે સ્થાનિક એનજીઓ અને વન વિભાગની જાણ કરવામાં આવી છે. 

શ્વાનના આતંકથી ઘાયલ થયેલા લોકો - 

કુંજ, ઉંમર 5 વર્ષ
હિનાબેન, ઉંમર 33 વર્ષ
હરીશભાઈ ચાવડા, ઉંમર 73 વર્ષ
ગોવિંદભાઈ ચાવડા, ઉંમર 70 વર્ષ
અલ્લાહ રખાભાઈ, ઉંમર 54 વર્ષ
સોનલબેન, ઉંમર 15 વર્ષ

સુરતમાં વધ્યો શ્વાનનો આતંક, રોજના નોંધાય છે 100થી વધુ કરડવાના કેસ

સુરતમાં શ્વાનનો આતંક વધ્યો છે. સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં દરરોજ 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. શહેરના પાંડેસર વિસ્તારમાં શ્વાનનો સૌથી વધુ આતંક છે. સુરત સિવિલ હોસ્પિટલ માં વર્ષ ૨૦૨૩- ૨૪ માં ૧૨૨૫૧ લોકોને  અને સ્મીમેર હોસ્પિટલ માં વર્ષ ૨૦૨૩- ૨૪ માં ૭૬૪૭ લોકો ને શ્વાન કરડ્યા હોવાના કેસો નોધાયા હતા. આમ એક વર્ષમાં વર્ષમાં કુલ ૧૯૮૯૮ લોકોને શ્વાન કરડ્યાં છે.

પકડેલા શ્વાનને એનિમલ વેલ્ફેર ગાઇડલાઇન્સના નિયમ મુજબ 5 દિવસની અંદર જે તે સ્થળે પાછા મુકવામાં આવે છે

2023 -2024 માં એપ્રિલથી ફેબ્રુઆરીમાં કુલ 15,135 શ્વાન પકડવામાં આવ્યા હતા. જેમાં 13,643 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. રોજ ના 60 થી 70 રસીકરણના ઓપરેશન કરવામાં આવ્યા હતા. રોજની પાંચ જેટલી પાર્ટી શ્વાન પકડવાની પાર્ટી કામ કરે છે.  ભેસ્તાન ઢોર પાર્ટી ડબ્બા ખાતે 630 શ્વાન રાખવાની કેપિસિટી વાળા ડબ્બા રાખવામાં આવ્યા છે. પકડેલા શ્વાનને એનિમલ વેલ્ફેર ગાઇડલાઇન્સના નિયમ મુજબ 5 દિવસની અંદર જે તે સ્થળે પાછા મુકવામાં આવે છે.

સુરત શહેરમાં એક બાજુ રખડતા શ્વાનના આતંક વચ્ચે તાજેતરમાં ભેસ્તાનમાં રખડતા શ્વાન પકડવા ગયેલા કર્મચારીને બચકું ભરી લેતા નવી સિવિલમાં હડકવા વિરોધી રસી લેવી પડી હતી. ભેસ્તાન ખાતે પાલિકાના એબીસી સેન્ટરમાં રહેતો અને શ્વાન પકડવા સહિતનું કામ કરતો 18 વર્ષીય અનિલ પરીયાને શુક્રવારે સવારે સેન્ટર ખાતે રખડતા શ્વાને બચકું ભર્યુ હતુ. જેથી પાલિકાના અધિકારીઓ દ્વારા ગાડીમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યાં તેને હડકવા વિરોધી રસી મુકાવી હતી. પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે ખસીકરણની કામગીરી માટે રખડતા શ્વાન પડકવા આવી રહ્યા છે. જોકે રખડતા શ્વાન પકડીને ભેસ્તાન ખાતે  સેન્ટમાં મુકવામાં આવ્યા હતા ત્યારે અનિલને શ્વાને બચકું ભર્યુ હતુ. ઉલ્લેખનીય છે નવી સિવિલ હોસ્પિટલ કેમ્સપમાં પણ રખડતા શ્વાનના ત્રાસને પગલે ખસીકરણ માટે શ્વાનને પકડીને ગાડીમાં મુકાયા હતા. તે વેળા જ એક કર્મચારી હડકવા વિરોધી રસી લેવા સિવિલમાં પહોંચ્યો હતો. અઠવાડિયા પહેલા જ ભેસ્તામાં ચાર વર્ષની બાળા પર શ્વાનોએ હુમલો કરતા કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પાલિકા તંત્ર દોડતું થયું હતું.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Embed widget