શોધખોળ કરો

Navsari: અંબિકા નદીમાં ડુબી જવાથી 11 વર્ષીય તરુણનું મોત, મિત્રો સાથે વેકેશનની મજા માણવા પહોંચ્યા હતા બિલિમોરા

Navsari:નવસારી જિલ્લામાં ભરઉનાળે નદીમાં ડુબી જવાથી એક તરુણનુ મોત થયાની ઘટના ઘટી છે. જિલ્લાના ગણદેવી તાલુકાના બિલિમોરા શહેરમાં આવેલી અંબિકા નદી વિસ્તારમાં મિત્રોનું એક જૂથ ફરવા ગયુ હતું

Navsari News: રાજ્યમાં અત્યારે બે ઋતુ ચાલી રહી છે, એકબાજુ ગરમીનો (Temprature) પારો હાઇ છે, તો વળી કેટલીક જગ્યાએ વરસાદે (Rain) માજા મુકી છે. આ બધાની વચ્ચે હવે નસવારી (Navsari) જિલ્લામાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે, અહીં એક 11 વર્ષીય તરુણનું નદીના (Sink Death )પ્રવાહમાં તણાઇને મોત થયું છે. બિલિમોરા શહેરમાં આવેલી અંબિકા નદીમાં આ ઘટના ઘટતા જ તંત્ર દોડતુ થયુ છે, હાલમાં આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. 

નવસારી જિલ્લામાં ભરઉનાળે નદીમાં ડુબી જવાથી એક તરુણનુ મોત થયાની ઘટના ઘટી છે. ખરેખરમાં ઘટનાની વિગતો એવી છે કે, જિલ્લાના ગણદેવી તાલુકાના બિલિમોરા શહેરમાં આવેલી અંબિકા નદી (Ambika River) વિસ્તારમાં મિત્રોનું એક જૂથ ફરવા ગયુ હતું. જેટી ઉપર વેકેશનનો આનંદ (Vacation Enjoy) માણવા આવેલા આ જૂથનો એક મિત્ર અંબિકા નદીના કિનારે પાણીમાં પગ ધોવા પડ્યો, જોકે, નદીના પાણીનું વહેણ વધારે હોવાથી તે ખેંચાઇને તણાયો હતો, તેને બચાવવા અન્ય બે મિત્રો પણ નદીમાં પડતા એકનુ મોત થયુ હતુ. મિત્રને બચાવવા નદીમાં કુદેલા એક 11 વર્ષીય તરુણનું ડુબી જવાથી મોત થયુ હતુ. 11 વર્ષીય મૃતક તરુણનું ના ઉમેરખાન છે. આ ઘટનામાં સ્થાનિક તરવૈયાઓની મદદથી બેને બચાવી લેવાયા હતો, જોકે, એક મોતને ભેટ્યો હતો. હાલમાં આ ઘટના અંગે બિલિમોરા પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

રાજ્યમાં ગઈકાલે પડેલા આફતના વરસાદ (Rain)ને કારણે ભારે નુકસાન થયાના અહેવાલ છે. રાજ્યમાં ગઈકાલે પડેલા વરસાદ (Rain)ને કારણે ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 40 પશુઓના પણ મોત થયાના સમાચરા છે. કમોસમી વરસાદ (Rain) અને વાવાઝોડાનાં કારણે આ મૃત્યુ થયા છે. ગાંધીનગર, સુરેન્દ્રનગર અને દાહોદ જિલ્લામાં વિજળી પડવાથી ત્રણનાં મોત થયા છે. એટલું જ નહીં આ વરસાદ (Rain) અને વાવાઝોડાનાં કારણે રાજયમાં 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. 3,743 ગામોમાં પાવર રીસ્ટોર કરવામાં આવ્યો હતો. રાજ્યમાં 270 ગામોમાં પાવર રીસ્ટોર કરવાની કામગીરી ચાલુ છે.

ગઈકાલે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ (Rain) ખાબક્યો હતો. આ વરસાદ (Rain)ને પગલે ગરમીમાં તો રાહત મળી પણ અનેક જગ્યાએ ખેતીના પાકને નુકસાન થયાના અહેવાલ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકાઓમાં વરસાદ (Rain) પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લાની સાવરકુંડલા તાલુકામાં અઢી ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. ભરૂચના નેત્રંગ તાલુકામાં બે ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તથા ભરૂચના વડીયા તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ (Rain) પડ્યો છે. નર્મદાના તીલકવાડા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ (Rain)પડ્યો છે.

વેસ્ટર્સન ડિસ્ટર્બન્સથી ( Western disturbance)અસરથી 13 મેના રોજથી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ  નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં 16 મે સુધી કમોસમી  વરસાદ (Rain) (Unseasonal) થઇ શકે છે, હવામાન વિભાગની આગાહી મુજબ આજે  અમરેલી ગીરસોમનાથ, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભરૂચ સુરતમાં વરસાદ (Rain) વરસી શકે છે

રાજ્યના 10 જિલ્લામાં આજે કમોસમી વરસાદ (Rain)ની હવામાન વિભાગે આગાહી  વ્યક્ત કરી  છે.  આજે સૌરાષ્ટ્રના રાજકોટ,અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં  વરસાદ (Rain) વરસી શકે છે. સોમવારે ભારે પવન સાથે મહીસાગર જિલ્લામાં વરસાદ (Rain) વરસ્યા બાદ આજે પણ અહીં વરસાદ (Rain)ની આશંકા છે.  

મધ્ય ગુજરાતના ત્રણ અને દક્ષિણ ગુજરાતના એક જિલ્લામાં કમોસમી વરસાદ (Rain) વરસી શકે છે.  અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં કમોસમી વરસાદ (Rain)ની હવામાન વિભાગે આશંકા  વ્યક્ત કરી છે.હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ (Rain) પડવાની સંભાવના છે.ગુજરાતમાં સૌથી વધારે વરસાદ (Rain) 14 મેના રોજ  એટલે કે આજે  સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget