Azadi Ka Amrut Mahotsav LIVE: પીએમ મોદીએ દાંડી યાત્રાનો કરાવ્યો પ્રારંભ, માતા હિરાબાને મળવા જાય તેવી શક્યતા
PM Modi Azadi Ka Amrut Mahotsav LIVE Updates: દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રંસગે પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદથી આઝાદી કા અમૃત મહોત્સવને લીલીઝંડી આપી દીધી છે.

Background
PM Modi Azadi Ka Amrut Mahotsav LIVE Updates: દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રંસગે પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદથી આઝાદી કા અમૃત મહોત્સવને લીલીઝંડી આપી દીધી છે.
માતા હિરાબાને મળી શકે છે પીએમ મોદી
પીએમ મોદીએ ગાંધી આશ્રમથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવી દીધો છે, હવે સુત્રો તરફથી માહિતી મળી રહી છે કે પીએમ ગુજરાતના આ પ્રવાસ દરમિયાન પણ ફરી એકવાર માતા હિરાબાના આશીર્વાદ લેવા જાય તેવી શક્યતા છે.
પીએમ મોદીએ દાંડી યાત્રાને આપી લીલીઝંડી
દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રંસગે પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદથી આઝાદી કા અમૃત મહોત્સવને લીલીઝંડી આપી દીધી છે. પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી 21 દિવસ સુધી ચાલનારી દાંડી યાત્રાને લીલીઝંડી આપી છે. ભારતની સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમમાં જ રહેતા હતા. આ પ્રસંગે પીએમ આજે અમદાવાદના સાબરમતી આશ્રમથી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી હતી.




















