શોધખોળ કરો

પોઇચા કરુણાંતિકાઃ નદીમાં ડૂબેલા સાત પૈકી ત્રણના મૃતદેહ મળ્યા, ચાર હજુ લાપતા

એનડીઆરએફ, વડોદરા, ભરૂચ, કરજણ ઉપરાંત સ્થાનિક તરવૈયાઓની ટીમ મળી કુલ ૬૦થી વધુ બચાવકર્મીઓ દ્વારા પોઇચાથી શ્રીરંગ સેતુ સુધીના અંદાજે અઢી કિલોમિટરના વિસ્તારમાં નર્મદા નદી અંદર શોધખોળ કરવામાં આવી રહી છે.

Narmada News: પોઇચા ખાતે સર્જાયેલી કરુણાંતિકામાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચલાવાઇ રહેલી બચાવ કામગીરી દરમિયાન આજ બુધવારે સવારે એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે. હાલમાં એનડીઆરએફ, ફાયર ફાયટરની ટીમો દ્વારા ૬ જેટલી બોટ, નાવડી દ્વારા નદીમાં બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે. ૬૦થી વધુ બચાવ કામગીરી દ્વારા નર્મદા નદીમાં અઢી કિલોમિટર જેટલા વિસ્તારમાં આ તરવૈયાઓ દ્વારા શોધ કરવામાં આવી રહી છે.

રાજપીપળા સ્થિત આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગઇ કાલ તા. ૧૪ના રોજ મધ્યાહનના સમયે પોઇચા ખાતે આવેલા શ્રદ્ધાળુ પરિવારના ૧૭ સભ્યો પોઇચા નિલકંઠ ધામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા. ત્યારે આ કરુણાંતિકા સર્જાઇ હતી અને જેમાં આઠ વ્યક્તિ નર્મદા નદીના વહેણમાં ગરકાવ થઇ ગઇ હતી. એ દરમિયાન, ન્હાવા પડેલી મગનભાઇ નાનાભાઇ જીંજાળા નામની એક વ્યક્તિને સ્થાનિક લોકોએ ડૂબતા બચાવી લીધી હતી.
આપત્તિ વ્યવસ્થાપન કક્ષને મળેલા રિપોર્ટ મુજબ ભરતભાઇ મેઘાભાઇ બલદાણિયા (૪૫), આર્નવ ભરતભાઇ બલદાણિયા (૧૨), મૈત્રવ ભરતભાઇ બલદાણિયા (૧૫), વ્રજ હિંમતભાઇ બલદાણિયા (૧૧), આર્યન રાજુભાઇ જીંજાળા (૭), ભાર્ગવ અશોકભાઇ હડિયા (૧૫) અને ભાવેશ વલ્લભભાઇ હડિયા (૧૫) નર્મદા નદીમાં ડૂબી જવા પામ્યા હતા.

નર્મદા જિલ્લા વહીવટી તંત્રને આ દુર્ઘટનાની જાણ થતાની સાથે જ રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એનડીઆરએફ, વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ, કરજણ અને ભરુચ નગરપાલિકાના ફાયર વિભાગને બચાવ કામગીરી માટે બોલાવી લેવામાં આવી હતી. આ ટીમો દ્વારા નર્મદા નદીમાં તુરંત ડૂબી ગયેલી સાત વ્યક્તિની શોધખોળ આદરવામાં આવી હતી.


પોઇચા કરુણાંતિકાઃ નદીમાં ડૂબેલા સાત પૈકી ત્રણના મૃતદેહ મળ્યા, ચાર હજુ લાપતા

નાંદોદ પ્રાંત અધિકારી અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તા. ૧૪ના બપોરથી આદરવામાં આવેલી શોધખોળમાં એનડીઆરએફ અને વડોદરાની કુલ મળી ત્રણ બોટ ઉપરાંત સ્થાનિક ત્રણ નાવડીમાં બચાવકર્મીઓ દ્વારા નર્મદા નદીમાં ડૂબી ગયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આજ તા. ૧૫ને બુધવારના સવારે આઠેક વાગ્યે ભાવેશભાઇ વલ્લભભાઇ હડિયા નામના કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. વ્રજ હિંમતભાઈ બલદાનિયા નો મૃતદેહ મળ્યો છે. અત્યાર સુધીમાં કુલ ત્રણ મૃતદેહ મળ્યા છે. હજી પણ 4 લાપતા છે  એન.ડી.આર.એફ સહિત ફાયર વિભાગ અને સ્થાનિક નાવિકો કામે લાગ્યા છે

એનડીઆરએફ, વડોદરા, ભરૂચ, કરજણ ઉપરાંત સ્થાનિક તરવૈયાઓની ટીમ મળી કુલ ૬૦થી વધુ બચાવકર્મીઓ દ્વારા પોઇચાથી શ્રીરંગ સેતુ સુધીના અંદાજે અઢી કિલોમિટરના વિસ્તારમાં નર્મદા નદી અંદર શોધખોળ કરવામાં આવી રહી છે. બીજી તરફ, શ્રી રંગસેતુ આસપાસ મગરોની હાજરી ઉપરાંત વહેતા વહેણ હોવાથી તમામ પ્રકારની તકેદારી સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે.

પ્રાથમિક અહેવાલો મુજબ ડૂબી જનારા પરિવાર મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામના વતની છે અને હાલમાં વ્યવસાય અર્થે સુરત સ્થાયી થયા છે. ઉનાળું વેકેશનના કારણે આ પરિવાર પોઇચા ધામ અને કરનાણી ખાતે ધાર્મિક યાત્રાએ આવ્યો હતો અને તે સમયે આ દુઃખદ ઘટના બની હતી. હાલમાં નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા આ પરિવારને પોઇચા ધામ ખાતે રાખવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp AsmitaGyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp AsmitaChina Action On USA: અમેરિકાને ચીનનો જડબાતોડ જવાબ, અમેરિકાની પ્રોડક્ટ પર લાગૂ કર્યો 10થી 15 ટકા ટેરિફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
Watch: ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ રોહિત-કોહલીનો બ્રોમાન્સ, વીડિયો થયો વાયરલ
Watch: ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ રોહિત-કોહલીનો બ્રોમાન્સ, વીડિયો થયો વાયરલ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Embed widget