ચોમાસાની શરૂઆત અને નવા શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારે આ ગાઈડલાઈન જાહેર કરી છે. તેનો મુખ્ય હેતુ દુર્ઘટનાઓ અટકાવવાનો છે.
ચોમાસામાં આચાર્ય- શિક્ષકોને પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા આદેશ, ગાઈડલાઈન જાહેર
Gujarat Government Guidelines: વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને શિક્ષણ નિયામક કચેરીએ મુખ્ય શિક્ષકોને પાલન કરવા 32 મુદ્દાની માર્ગદર્શિકા જાહેર કરી છે.

Monsoon Safety Guidelines for Schools: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત અને નવા શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના સ્કૂલ શિક્ષણ વિભાગે તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો માટે વિશેષ સેફ્ટી ગાઈડલાઈન જાહેર કરી છે. ભારે વરસાદ, પૂર જેવી પરિસ્થિતિઓ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આગોતરા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
પરિપત્ર અનુસાર, ચોમાસા દરમિયાન સ્કૂલમાં અથવા વિદ્યાર્થીઓ સાથે કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે વરસાદ શરૂ થાય તે પહેલાં તમામ જરૂરી સમારકામની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. સ્કૂલોમાં લટકતા વીજ વાયરો, ઈલેક્ટ્રિક ફિટિંગ્સ, દિવાલો અને છતની મરામત સહિતની કામગીરી સમયસર પૂર્ણ કરવા જણાવાયું છે. જરૂરિયાત મુજબ સ્થાનિક તંત્રની મદદ લેવાની પણ સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ સરકારે સ્કૂલો માટે સેફ્ટી ગાઈડલાઈન જાહેર કરી છે. આચાર્ય-શિક્ષકોને સ્કૂલમાં વરસાદ પહેલા ઇલેક્ટ્રિક સમારકામ સહિતના કામો પૂર્ણ કરવા આદેશ કરાયો છે. દુર્ઘટના ટાળવા લટકતા વાયરો દૂર કરવા, વોટર સ્પાઉટ સાફ કરવા તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો અમલ કરવા જણાવાયું છે.
આ પણ વાંચો: 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
સરકારે સ્કૂલોને છત પરના વોટર સ્પાઉટની સફાઈ કરવા, વધુ પાણી ભરાતી જગ્યાઓ સ્વચ્છ રાખવા, જૂના અને જોખમી ફર્નિચરને દૂર કરવા તેમજ એમસીબી અને એલસીબી જેવી સુરક્ષા વ્યવસ્થાઓ કાર્યરત રાખવા જણાવ્યું છે. ઉપરાંત, જોખમજનક વિસ્તારોમાં ચેતવણી દર્શાવતા બોર્ડ લગાવવાના રહેશે.
વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકીઓને લોક મારીને બંધ રાખવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન કોઈ આપત્તિ સર્જાય તો તેનો અસરકારક રીતે સામનો કરી શકાય તે માટે દરેક સ્કૂલમાં સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો અમલ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત, સ્કૂલોના નોટિસ બોર્ડ પર સ્થાનિક તલાટી, ડોક્ટર, તરવૈયા, ફાયર બ્રિગેડ સેવા અને એમ્બ્યુલન્સ સહિતના મહત્વના સંપર્ક નંબર લખવા તાકીદ કરવામાં આવી છે. ભારે વરસાદ અથવા પૂર જેવી સ્થિતિમાં આચાર્ય અને શિક્ષકોને પૂર્વ મંજૂરી વિના મથક ન છોડવા પણ સૂચના આપવામાં આવી છે.
સરકારના આ પગલાંનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવો અને કોઈપણ પ્રકારની દુર્ઘટના અટકાવવાનો છે
Frequently Asked Questions
સ્કૂલો માટે ચોમાસાની સેફ્ટી ગાઈડલાઈન શા માટે જાહેર કરવામાં આવી છે?
ચોમાસા પહેલા સ્કૂલોમાં કયા સમારકામ કરવા ફરજિયાત છે?
સ્કૂલોમાં લટકતા વીજ વાયરો, ઇલેક્ટ્રિક ફિટિંગ્સ, દિવાલો અને છતની મરામત સહિતની કામગીરી વરસાદ શરૂ થાય તે પહેલાં પૂર્ણ કરવી ફરજિયાત છે. જરૂર પડ્યે સ્થાનિક તંત્રની મદદ લઈ શકાય છે.
સ્કૂલોને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કયા ખાસ પગલાં લેવા સૂચવાયું છે?
સ્કૂલોને વોટર સ્પાઉટ સાફ કરવા, જૂના ફર્નિચર દૂર કરવા, MCB/LCB કાર્યરત રાખવા અને જોખમજનક વિસ્તારોમાં ચેતવણી બોર્ડ લગાવવા સૂચના અપાઈ છે. અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીઓ પણ લોક કરીને બંધ રાખવાની રહેશે.
સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો અમલ શા માટે ફરજિયાત છે?
ચોમાસા દરમિયાન કોઈ આપત્તિ સર્જાય તો તેનો અસરકારક રીતે સામનો કરી શકાય તે માટે દરેક સ્કૂલમાં સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો અમલ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.
સ્કૂલના નોટિસ બોર્ડ પર કઈ માહિતી દર્શાવવી આવશ્યક છે?
નોટિસ બોર્ડ પર સ્થાનિક તલાટી, ડોક્ટર, તરવૈયા, ફાયર બ્રિગેડ સેવા અને એમ્બ્યુલન્સ સહિતના મહત્વના સંપર્ક નંબર લખવા તાકીદ કરવામાં આવી છે.






















