![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ખાલિસ્તાનનો સમર્થક પંજાબી પોપ સ્ટાર જોડાયો કોંગ્રેસમાં, ઈન્સ્ટા પર છે 70 લાખ ફોલોઅર્સ, જાણો બીજા ક્યા છે વિવાદ ?
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પણ સિદ્ધુ મૂસે વાલાને યુવા આઇકોન ગણાવ્યા છે.
![ખાલિસ્તાનનો સમર્થક પંજાબી પોપ સ્ટાર જોડાયો કોંગ્રેસમાં, ઈન્સ્ટા પર છે 70 લાખ ફોલોઅર્સ, જાણો બીજા ક્યા છે વિવાદ ? punjabi singer sidhu moose wala joins congress ahead of assembly polls might fight election ખાલિસ્તાનનો સમર્થક પંજાબી પોપ સ્ટાર જોડાયો કોંગ્રેસમાં, ઈન્સ્ટા પર છે 70 લાખ ફોલોઅર્સ, જાણો બીજા ક્યા છે વિવાદ ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/03/15cb5c8e6d7ad1e893b433083891702a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Punjab News: પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂસે વાલાએ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. સિદ્ધુ મૂસે વાલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને સીએમ ચરણજીત સિંહ ચન્નીની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ સિદ્ધુ મૂસે વાલા પાર્ટીમાં સામેલ થવા પર ખુશી વ્યક્ત કરી છે અને આશા વ્યક્ત કરી છે કે તેઓ પાર્ટીને આગળ લઈ જવામાં મદદ કરશે. સિદ્ધુ મૂસે વાલા વિધાનસભા ચૂંટણીમાં નસીબ અજમાવતા જોવા મળી શકે છે.
સિદ્ધુ મૂસે વાલાએ દાવો કર્યો છે કે કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે જેમાં સામાન્ય લોકોને આગળ વધવાની તક મળે છે. કોંગ્રેસમાં જોડાયા બાદ સિદ્ધુ મૂસે વાલાએ કહ્યું, “પંજાબમાં કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે જ્યાં મહેનત કરનાર વ્યક્તિ પ્રગતિ કરી શકે છે. મારી સાથે ઘણા લોકો જોડાયેલા છે, તેમના કારણે મેં કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.”
ચરણજીત સિંહ ચન્નીએ સિદ્ધુ મૂસે વાલાનું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કર્યું છે. તેણે કહ્યું, "સિધુ મૂસે વાલા હાલમાં યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. અમે આશા રાખીએ છીએ કે સિદ્ધુ મૂસે વાલા રાજ્યને આગળ લઈ જવા માટે યુવાનો સાથે હાથ મિલાવશે. અમે ખૂબ જ ખુશ છીએ કે સિદ્ધુ મૂસે વાલા કોંગ્રેસમાં જોડાયા છે.
વિધાનસભાની ચૂંટણી લડી શકે છે
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પણ સિદ્ધુ મૂસે વાલાને યુવા આઇકોન ગણાવ્યા છે. સિદ્ધુએ કહ્યું, “મૂસે વાલા અમારા પરિવારમાં નવા નથી. તેમનો પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો છે. મૂસે વાલા યુથ આઇકોન છે. ઇન્સ્ટાગ્રામ પર તેના અંદાજે 70 લાખ જેટલા ફોલોઅર્સ છે.
તમને જણાવી દઈએ કે મૂસેવાલા તેમના ગીતો માટે ખૂબ જ ચર્ચામાં રહે છે. તેમના ગીતોમાં શસ્ત્રોના ઉલ્લેખને કારણે તેઓ વિવાદોમાં ફસાયા હતા. આ મામલો હજુ કોર્ટમાં છે. તેઓ તેમના સંગીતના કારણે યુવાનોમાં લોકપ્રિય છે.
એક સમયે જ્યારે તેમના પર પોલીસની કઠપૂતળીની જેમ વર્તન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, ત્યારે તેમણે તેમના એક ગીતમાં ખાલિસ્તાની આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલેનો ફોટો પ્રદર્શિત કર્યો હતો જેને લઈને વિવાદ થયો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)