
(Source: ECI/ABP News/ABP Majha)
Rahul Gandhi In Gujarat: PM મોદી વારાણસીથી નહિ પરંતુ અયોધ્યાથી ચૂંટણી લડવા માંગતા હતા: રાહુલ ગાંધી
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. આજે તેમણે ભાજપના ગઢ ગુજરાતમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા.
Rahul Gandhi In Gujarat: લોકસભા વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી આજે અમદાવાદમાં છે.કોંગ્રેસના કાર્યલયની તૂટ્યા બાદ પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંઘીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે અયોધ્યા રામ મંદિર મુદ્દે પ્રહાર કરતા કટેલાક ઘટસ્ફોટ પણ કર્યાં હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, રામ મંદિરના નિર્માણના કારણે પીએમ મોદી વારાણસીથી નહિ પરંતુ અયોધ્યાથી ચૂંટણી લડવા માંગતા હતા પરંતુ નરેન્દ્ર મોદીની અયોધ્યામાં હાર નિશ્ચિત હતી આ હાર જોઇ જતાં આખરે તેમણે વારાણસીથી લડવાનો નિર્ણય કર્યો. વારાણસીમાં પણ પીએમ મોદીની પાતળી સરસાઈથી જીત્યાં.રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત દરમિયાન ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારો, હરણી કાંડના પીડિત પરિવારને મળ્યાં હતા. ઉલ્લેખનિય છે કે, અગ્નિકાંડના પીડિતો સાથે થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ ઓનલાઇન વાત કરી હતી.
પંજાનું ચિહ્નનું તમામ ધર્મોમાં સ્થાનઃરાહુલ
રાહુલ ગાંધીએ અમદાવાદમાં સંબોધન કરતા કહ્યું કે. ડરશો નહીં, ડરાવશો નહીં, તમામ ધર્મનો મંત્ર આ જ છે. હવે ગુજરાતમાં ભાજપની હાર નિશ્ચિત છે, અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપની હાર થશે.કૉંગ્રેસના બબ્બર શેર કાર્યકર્તાઓ ભાજપને હરાવશે.આપણે ડરવાનું નથી.ગુજરાતની જનતા ડર વગર લડશે તો ભાજપ હારશે,કૉંગ્રેસમાં ડરની રાજનીતિ નથી,કોંગ્રેસનો કાર્યકર્તા મુક્તમને વાત કરી શકે છે, અમારો કાર્યકર્તા અમારાથી ડરતો નથી” રાહુલ ગાંધીએ કહયું કે, ભાજપે અમારી ઓફિસ તોડી છે અમે તેમની સરકાર તોડીશું”. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ નફરતની રાજનિતી કરે છે જ્યારે અમે પ્રેમથી ભાજપને હરાવીશું. ગુજરાતમાં ડર્યા વિના ભાજપને હરાવવાનો રાહુલ ગાંધીએ હુકાર ભર્યો હતો.
અયોધ્યાના નાગરિકો વ્યથિત હતાઃરાહુલ ગાંધી
અયોધ્યામાં ભાજપની હારના કારણો દર્શાવતા રાહલુ ગાંઘીએ મોદી સરકાર પર પ્રહાર કર્યો હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, અયોધ્યામાં એરપોર્ટ તૈયાર થયું પરંતુ અનેક ખેડૂતોની જમીન ગઇ. જેની વળતર નથી મળ્યું, અયોધ્યામાં અનેક લોકોના ઘર તોડ્યા, અયોધ્યામાં અનેક લોકોની દુકાનો તોડાઈ, અયોધ્યામાં નાગરિકોને વળતર નહીં ચુકવાયું, પ્રાણપ્રતિષ્ઠામાં અયોધ્યાવાસીઓને બાકાત રખાયા., આ નારાજગી ચૂંટણીના પરિણામમાં સ્પષ્ટ જોવા મળી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી

