શોધખોળ કરો

જેતલસર જંકશનના પ્રશ્ન 10 દિવસ ઉકેલવા જયેશ રાદડિયાનું અલ્ટીમેટમ, રેલ રોકો આંદોલનની આપી ચીમકી

જેતલસર જંક્શન પરથી લોકો લોબી, બ્રેકડાઉન સહિતની મહત્વપૂર્ણ કામગીરી અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સાથે જ જંક્શન પરથી 72 જેટલા કર્મચારીઓની બદલી કરવામાં આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે.

રાજકોટ જિલ્લામાં આવેલા જેતલસર જંક્શનના રેલવે પ્રશ્ને ફરી એકવાર રાજકીય અને સામાજિક ગરમાવો પકડ્યો છે. રેલવેની વિવિધ કામગીરી અન્યત્ર ખસેડવાના નિર્ણય અને 72 કર્મચારીઓની બદલીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ધારાસભ્ય જયેશ રાદડિયાએ રેલવેના જનરલ મેનેજર સમક્ષ આક્રમક અંદાજમાં રજૂઆત કરી છે અને 10 દિવસમાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ટ્રેન રોકો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

 

જેતલસર જંક્શન પરથી લોકો લોબી, બ્રેકડાઉન સહિતની મહત્વપૂર્ણ કામગીરી અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સાથે જ જંક્શન પરથી 72 જેટલા કર્મચારીઓની બદલી કરવામાં આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. સ્થાનિકોનું માનવું છે કે, સતત થઈ રહેલી બદલીના કારણે વિસ્તારની આર્થિક અને સામાજિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે છે.

આ સમગ્ર મામલે ધારાસભ્ય જયેશ રાદડિયાએ રેલવેના GM સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. રાદડિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જેતલસર જંક્શનનું મહત્વ ઘટાડવાના કોઈપણ પ્રયાસો સ્વીકારવામાં નહીં આવે. તેમણે લોકો પાયલટ, ટ્રેન મેનેજર સહિતનો સ્ટાફ ફરીથી જેતલસર ખાતે જ મુકવાની માંગ કરી છે.

આ પણ વાંચો: શિક્ષકો અંગેના નિવેદનથી રાજકીય ગરમાવો, રમેશ કટારા ઘેરાયા, શિક્ષકોમાં આક્રોશ

ધારાસભ્યએ ચેતવણી આપતા કહ્યું કે, જો આગામી 10 દિવસમાં પ્રશ્નનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો જનતા સાથે મળીને ટ્રેન રોકો આંદોલન કરવામાં આવશે. જરૂર પડશે તો ઉગ્ર લડત પણ આપવામાં આવશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે અગાઉ રેલવે બચાવ સમિતિ દ્વારા પણ દિલ્હી ખાતે રેલવે મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં હજી સુધી સંતોષકારક ઉકેલ ન આવતા સ્થાનિકોમાં નારાજગી વધી રહી છે. હવે રેલવે તંત્ર આગામી દિવસોમાં શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે.

જેતલસર જંક્શનના અસ્તિત્વ અને મહત્વને જાળવી રાખવા માટે સ્થાનિકો અને જનપ્રતિનિધિઓ એકસાથે મેદાનમાં આવ્યા છે. હવે 10 દિવસની અંદર રેલવે તંત્ર શું પગલાં ભરે છે અને આંદોલનની ચીમકી હકીકતમાં ફેરવાય છે કે નહીં, તે જોવું મહત્વપૂર્ણ રહેશે.                                                                    

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
Embed widget