શોધખોળ કરો

શિક્ષકો અંગેના નિવેદનથી રાજકીય ગરમાવો, રમેશ કટારા ઘેરાયા, શિક્ષકોમાં આક્રોશ

ગોધરામાં કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ શિક્ષકો અને સરકારી કર્મચારીઓને લઈને કરેલી ટિપ્પણી બાદ રાજ્યભરમાં વિવાદ સર્જાયો છે.મંત્રીના નિવેદનથી શિક્ષક સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે.


ગોધરા: કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાના શિક્ષકોને લઈને કરાયેલા નિવેદન બાદ રાજ્યભરમાં શિક્ષક સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોધરામાં એક કાર્યક્રમ દરમિયાન રમેશ કટારાએ શિક્ષકો અને સરકારી કર્મચારીઓની કાર્યશૈલી અંગે ટિપ્પણી કરતાં વિવાદ સર્જાયો છે.

રમેશ કટારાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, "ઘણી વખત શિક્ષકો વર્ગખંડમાં શિક્ષણ આપવાને બદલે મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે. આજે સારો પગાર અને પગારપંચના લાભો મળતા હોવા છતાં કેટલાક લોકો કામ કરવા તૈયાર નથી." તેમણે એમ પણ કહ્યું કે અગાઉ લોકો 500થી 1000 રૂપિયાના પગારમાં પણ નિષ્ઠાપૂર્વક નોકરી કરતા હતા.

આ પણ વાંચો: શિક્ષકોના પ્રશ્નોને લઈને શૈક્ષિક મહાસંઘ મેદાને, 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવા માગ

 

કૃષિ રાજ્યમંત્રીએ આળસુ અધિકારીઓને પણ આડે હાથ લેતા કહ્યું કે, "જેનું ખાઈએ તેનું ગાઈએ" અને તમામ અધિકારીઓએ આળસ છોડીને નિષ્ઠાપૂર્વક કામ કરવું જોઈએ.

જોકે મંત્રીના આ નિવેદન સામે શિક્ષક સંગઠનો અને શિક્ષકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. શિક્ષકોનું કહેવું છે કે, સાચી પરિસ્થિતિ જાણ્યા વિના આવા નિવેદનો કરવાથી શિક્ષક સમાજની લાગણી દુભાય છે. શિક્ષકોના જણાવ્યા મુજબ શિક્ષણ ઉપરાંત ચૂંટણી, સર્વે, વસ્તી ગણતરી સહિત અન્ય વિભાગોની અનેક જવાબદારીઓ પણ તેમના પર સોંપવામાં આવે છે.

શિક્ષકોએ દલીલ કરી કે, મોબાઈલનો ઉપયોગ ઓનલાઈન હાજરી, શૈક્ષણિક એપ્લિકેશન અને સ્માર્ટ શિક્ષણ માટે કરવામાં આવે છે. ઘણા શિક્ષકો પોતાના ખર્ચે મોબાઈલ ડેટાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ પૂરું પાડે છે.

શૈક્ષિક મહાસંઘના પ્રતિનિધિ મિતેશ ભટ્ટે મંત્રીના નિવેદનની ટીકા કરતા જણાવ્યું કે, "સરકાર દ્વારા સમયાંતરે પગારપંચનો લાભ આપવો એ વર્ષોથી ચાલતી વ્યવસ્થા છે. શિક્ષકોને પોતાની સમસ્યાઓ અને રજૂઆતો માટે ઘણી વખત આંદોલન કે ધરણાંનો માર્ગ અપનાવવો પડે છે. તેમણે મંત્રીને શિક્ષકો સાથે બેઠક યોજવા પણ અપીલ કરી છે.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નેતા રાકેશ ઠાકરે જણાવ્યું કે 2016થી લાગુ થયેલા સાતમા પગારપંચના કેટલાક ભથ્થા હજુ સુધી મળ્યા નથી. તેમણે કહ્યું કે મંત્રીના નિવેદનથી શિક્ષકોની લાગણી દુભાઈ છે અને રમેશ કટારાએ શિક્ષક સમાજની જાહેર માફી માંગવી જોઈએ.

બીજી તરફ, શિક્ષણવિદ્ અને સામાજિક આગેવાન દિગ્વિજયસિંહ જાડેજાએ પણ મંત્રીના નિવેદનને અયોગ્ય ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે શિક્ષકો સમાજના ઘડવૈયા છે અને તેમના માટે આવા શબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી. મંત્રીના નિવેદનને લઈને હવે શિક્ષક સંગઠનો અને સરકાર વચ્ચે નવી ચર્ચા શરૂ થઈ છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય અને સામાજિક પ્રતિક્રિયાઓ સામે આવે તેવી શક્યતા

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Advertisement

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
Embed widget