શોધખોળ કરો

રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં પડશે માવઠું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ભાવનગરના ઘોઘા રો રો ફેરીનું સિગ્નલ પણ ક્ષતિગ્રસ્ત થઈને કોળિયાક નિષ્કલંક મહાદેવ દરિયામાં ઘસી આવ્યુ હતુ.

રાજ્યમાં હજુ બે દિવસ વરસશે કમોસમી વરસાદ. હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 4 ડિસેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર રહેવાની આગાહી છે. આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ઉભું થયેલું લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદી માહોલ ઉભો થયો છે.

આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથના ઉનાના નવાબંદરેથી 8 માછીમારો દરિયામાં બોટ તૂટી જવાના કારણે ગુમ થયા છે. જેમની હાલ સ્થાનિક વહીવટી તંત્ર અને કોસ્ટગાર્ડ તરફથી તપાસ કરવામાં આવી રહી છે.

રો રો ફેરી રદ્દ

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ભાવનગરના ઘોઘા રો રો ફેરીનું સિગ્નલ પણ ક્ષતિગ્રસ્ત થઈને કોળિયાક નિષ્કલંક મહાદેવ દરિયામાં ઘસી આવ્યુ હતુ. ઘોઘા રો રો ફેરી સર્વિસ માટે દરિયામાં રાખવામાં આવેલ રસ્તાનું સિગ્નલ એંકરથી ટુટીને નિષ્કલંક મહાદેવ મંદિરની બાજુમાં ઘસી આવ્યુ હતુ. જો કે રોરો ફેરી સર્વિસના કર્મચારીઓએ સિગ્નલને પરત લઈ જવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ દરિયો એટલો તોફાની હોવાથી તેમના પ્રયાસો નિષ્ફળ ગયા હતા.

આ તરફ ઘોઘાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળતા હજીરાથી ઉપડનારી રો રો ફેરી સર્વિસ પણ શરૂ થઈ શકી નહોતી. ઘોઘા પર 300થી વધુ મુસાફરો જહાજમાં ગોઠવાઈ ગયા હતા. જો કે દરિયામાં ભારે કરંટ હોવાથી રો રો ફેરી સર્વિસ આગળ વધી શકી નહોતી.

પોલીસ ભરતીમાં હવે માવઠાનું વિઘ્ન

પહેલા ભરૂચ અને સુરત વાવ, અમરેલી, સુરેંદ્રનગર, ખેડા, નડિયાદમાં  યોજાનારી શારીરિક કસોટી કમોસમી વરસાદને કારણે રદ કરાયા બાદ હવે ગોધરામાં પણ શારીરિક કસોટી રદ કરવામાં આવી છે. ગોધરાના SRP ગ્રુપ પાંચ ખાતે 3 ડિસેમ્બરના પોલીસ સબ ઈંસ્પેકટર અને લોકરક્ષકની શારીરિક કસોટી યોજાવાની હતી. પરંતું હવે આ કસોટી રદ કરવામાં આવી છે. ટૂંક સમયમાં પોલીસ ભરતી બોર્ડ તરફથી નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે.

આ તરફ PSI, LRDની શારીરિક પરીક્ષાને લઈને બીજો કોલ લેટર રદ કરાવા માટે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે. વિદ્યાર્થીઓએ અનુભવ મેળવવા માટે PSI માટે અરજીઓ કરી હતી. જોકે બાદમાં લોકરક્ષકની ભરતી પડતા PSI અને લોકરક્ષક બંનેના કોલ લેટર ઈશ્યુ થયા છે. બંને ફોર્મ ભરનારા ઉમેદવારોમાં પ્રથમ કોલ લેટર પર જ શારીરિક કસોટી લેવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget