શોધખોળ કરો

ભારે વરસાદની કરાઈ આગાહી, ગુજરાતના આ ત્રણ બંદરો પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં આગામી ત્રણ કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈ ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે.

ગાંધીનગર: રાજ્યમાં આગામી ત્રણ કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈ ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત પર લો- પ્રેશર સર્જાયું છે. જેના કારણે 40થી 50 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ, ગીર સોમનાથના વેરાવળ અને કચ્છના કંડલા બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે.  બંદર પર ત્રણ નંબરના સિગ્નલ સાથે પ્રશાસને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. 

હવામાન વિભાગના મતે આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં 30થી 40 કિમીના ઝડપે પવન સાથે વરસાદ વરસશે.  હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના ત્રણ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં કરંટ અને પવનની સ્પીડ વધે તેવી શક્યતાને ધ્યાને રાખી મેરિટાઈમ બોર્ડે માછીમારોની સલામતી માટે બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી સાવચેત કર્યા છે. 

લાંબા સમયના વિરામ બાદ આખરે અષાઢ મહિનના પ્રથમ દિવસે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા આજે મન મૂકીને વરસ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

રવિવારે ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદમાં મોડી રાત્રે ચાર કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. મેઘરાજાની તોફાની બેટિંગથી પ્રશાસનની પ્રિ- મોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. જૂનાગઢના મેંદરડામાં રાત્રીના 10 વાગ્યા સુધીમાં પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જ્યારે બીજા ક્રમે અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં એંકદરે સવારે છથી રાત્રીના 10 વાગ્યા સુધીમાં 118 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

 

અમદાવાદમાં સૌથી વધુ વરસાદ મણીનગર વિસ્તારમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે જોધપુર અને બોપલ વિસ્તારમાં સૌથી ઓછો 1.25 ઈંચ વરસાદ પડ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જલપાઈગુડી ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 15 થયો, રેલવે મંત્રીએ 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી
જલપાઈગુડી ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 15 થયો, રેલવે મંત્રીએ 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી
રાહુલ ગાંધી વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે, રાયબરેલીથી સાંસદ રહેશે
રાહુલ ગાંધી વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે, રાયબરેલીથી સાંસદ રહેશે
મત ન મળ્યા હોય એ વિસ્તારમાં ગ્રાન્ટ ન ફાળવતાઃ વડોદરા શહેર ભાજપ પ્રમુખનું શરમજનક નિવેદન
મત ન મળ્યા હોય એ વિસ્તારમાં ગ્રાન્ટ ન ફાળવતાઃ વડોદરા શહેર ભાજપ પ્રમુખનું શરમજનક નિવેદન
Kanchanjungha Express Accident: બંગાળમાં મોટી રેલ્વે દુર્ઘટના, કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ, 5 મુસાફરોના મોત
Kanchanjungha Express Accident: બંગાળમાં મોટી રેલ્વે દુર્ઘટના, કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ, 5 મુસાફરોના મોત
Advertisement
metaverse

વિડિઓઝ

Gujarat Politics | લોકસભા ચૂંટણી પરિણામ અંગે મંથન | ભાજપ-કોંગ્રેસની બેઠક શરૂ | Gujarat BJPKanchanjunga Express Accident : દાર્જિલિંગમાં 2 ટ્રેન વચ્ચે ભયંકર અકસ્માત, 5ના મોત, રેસ્ક્યૂ ચાલુRajkot Swaminarayan Gurukul | સાધુની કામલીલા! | યુવતી સાથે લગ્નનું નાટક | બનાવી ગર્ભવતી ને પછી....Pavagadh Jain Tample | પાવાગઢમાં જૈન તિર્થંકરોની મૂર્તિ ખંડિત થતા સર્જાયો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જલપાઈગુડી ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 15 થયો, રેલવે મંત્રીએ 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી
જલપાઈગુડી ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 15 થયો, રેલવે મંત્રીએ 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી
રાહુલ ગાંધી વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે, રાયબરેલીથી સાંસદ રહેશે
રાહુલ ગાંધી વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે, રાયબરેલીથી સાંસદ રહેશે
મત ન મળ્યા હોય એ વિસ્તારમાં ગ્રાન્ટ ન ફાળવતાઃ વડોદરા શહેર ભાજપ પ્રમુખનું શરમજનક નિવેદન
મત ન મળ્યા હોય એ વિસ્તારમાં ગ્રાન્ટ ન ફાળવતાઃ વડોદરા શહેર ભાજપ પ્રમુખનું શરમજનક નિવેદન
Kanchanjungha Express Accident: બંગાળમાં મોટી રેલ્વે દુર્ઘટના, કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ, 5 મુસાફરોના મોત
Kanchanjungha Express Accident: બંગાળમાં મોટી રેલ્વે દુર્ઘટના, કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ, 5 મુસાફરોના મોત
Bank Interest Rates: આ 6 બેંકોએ જૂનમાં લોન મોંઘી કરી, જાણો લોનધારકો પર કેટલો બોજ વધ્યો
Bank Interest Rates: આ 6 બેંકોએ જૂનમાં લોન મોંઘી કરી, જાણો લોનધારકો પર કેટલો બોજ વધ્યો
અમૂલની આઇસ્ક્રીમમાંથી નીકળ્યો કાનખજૂરો, કંપની વિરુદ્ધ થશે કેસ
અમૂલની આઇસ્ક્રીમમાંથી નીકળ્યો કાનખજૂરો, કંપની વિરુદ્ધ થશે કેસ
રેલ મુસાફરી બનશે સરળ, આ વર્ષે 50 અમૃત ભારત ટ્રેન ટ્રેક પર દોડશે
રેલ મુસાફરી બનશે સરળ, આ વર્ષે 50 અમૃત ભારત ટ્રેન ટ્રેક પર દોડશે
T20 WC 2024 Super 8: ટી20 વર્લ્ડકપમાં સુપર-8નું પિક્ચર સાફ.... ભારતની ક્યારે ને કોની સાથે થશે ટક્કર, જુઓ શિડ્યૂલ
T20 WC 2024 Super 8: ટી20 વર્લ્ડકપમાં સુપર-8નું પિક્ચર સાફ.... ભારતની ક્યારે ને કોની સાથે થશે ટક્કર, જુઓ શિડ્યૂલ
Embed widget