2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
રોહિત શર્માએ કહ્યું કે આ હાર તેમના માટે વ્યક્તિગત રીતે ખૂબ જ મુશ્કેલ હતી, કારણ કે 2022માં કેપ્ટન બન્યા પછી તેમનું એકમાત્ર લક્ષ્ય ભારતને વર્લ્ડ કપમાં લઈ જવાનું હતું

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ 2023ના વન-ડે વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારના દુ:ખને યાદ કરીને એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. રોહિતે ખુલાસો કર્યો છે કે તેણે હાર પછી નિવૃત્તિ લેવાનું પણ વિચાર્યું હતું, કારણ કે તે માનસિક અને શારીરિક રીતે સંપૂર્ણપણે થાકી ગયો હતો.
"After the loss in Ahmedabad I honestly felt like I didn’t want to play this Cricket anymore"
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 21, 2025
Rohit Sharma spoke about what happened after the loss in the 2023 World Cup final in Ahmedabad.🗣️-
"Everybody was extremely disappointed, and we just couldn’t believe what had… pic.twitter.com/wpKUjYvMYl
રોહિત શર્માએ 2023ના વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે ભારતનું નેતૃત્વ કર્યું હતું. અમદાવાદમાં ફાઇનલ સુધી યજમાન ભારત એક પણ મેચ હાર્યું ન હતું. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન રોહિતે 11 મેચમાં 597 રન બનાવ્યા હતા
ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળી હાર
ફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો, જેણે ભારતીય ટીમ સામે પોતાની રણનીતિ શાનદાર રીતે અમલમાં મૂકી. ભારત 50 ઓવરમાં ફક્ત 240 રન જ બનાવી શક્યું. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ટ્રેવિસ હેડની 120 બોલમાં 137 રનની ઇનિંગને કારણે છ વિકેટ બાકી રહીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. એક કાર્યક્રમ દરમિયાન રોહિત શર્માને હાર બાદ તેની લાગણીઓ અને તેની રિકવરી વિશે પૂછવામાં આવ્યું હતું.
રોહિત શર્માએ નિવૃત્તિ વિશે ખુલ્લેઆમ વાત કરી
રોહિત શર્માએ કહ્યું કે આ હાર તેમના માટે વ્યક્તિગત રીતે ખૂબ જ મુશ્કેલ હતી, કારણ કે 2022માં કેપ્ટન બન્યા પછી તેમનું એકમાત્ર લક્ષ્ય ભારતને વર્લ્ડ કપમાં લઈ જવાનું હતું. રોહિતે કહ્યું હતું કે, "દરેક વ્યક્તિ ખૂબ જ નિરાશ હતા અને અમે જે બન્યું તે જોઈને વિશ્વાસ કરી શકતા ન હતા. મારા માટે વ્યક્તિગત રીતે તે ખૂબ જ મુશ્કેલ સમય હતો, કારણ કે મેં આ વર્લ્ડ કપમાં બધું જ લગાવી દીધું હતું, ફક્ત બે કે ત્રણ મહિના માટે નહીં, પરંતુ 2022માં કેપ્ટનશીપ સંભાળ્યા પછીથી મારુ લક્ષ્ય વર્લ્ડકપ જીતવાનું હતું."
તેમણે આગળ કહ્યું, "T20 વર્લ્ડ કપ હોય કે 2023 ODI વર્લ્ડ કપ મારું એકમાત્ર સ્વપ્ન ટ્રોફી જીતવાનું હતું. જ્યારે તે બન્યું નહીં, ત્યારે હું સંપૂર્ણપણે તૂટી ગયો હતો. મારા શરીરમાં કોઈ ઉર્જા બચી ન હતી. મને મારી જાતને એકઠી કરવામાં અને મારા પગ પર પાછા ફરવામાં થોડા મહિના લાગ્યા." રોહિત શર્માએ સ્વીકાર્યું કે ભલે તેણે 2024 T20 વર્લ્ડ કપ માટે ઝડપથી પોતાને તૈયાર કરવાની જરૂર હતી, પરંતુ હારનું દુઃખ એટલું તીવ્ર હતું કે તેને લાગ્યું કે હવે આપવા માટે કંઈ બાકી નથી.
ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે 2023ના વર્લ્ડ કપમાં હાર બાદ તેણે ક્રિકેટમાંથી વહેલા નિવૃત્તિ લેવાનું વિચાર્યું હતું. તે હાર પછી તેને ક્રિકેટ રમવાનું મન થયું નહીં કારણ કે તેણે "મારા શરીરમાંથી બધું જ છીનવી લીધું."
તેમણે કહ્યું, "જ્યારે તમે કોઈ વસ્તુમાં આટલું બધું રોકાણ કરો છો અને પરિણામ મળતું નથી ત્યારે આવી પ્રતિક્રિયા એકદમ સ્વાભાવિક છે. મારી સાથે પણ આવું જ થયું. પણ મને એ પણ ખબર હતી કે જીવન ત્યાં સમાપ્ત થતું નથી. તે મારા માટે એક મોટો પાઠ હતો. નિરાશાનો સામનો કેવી રીતે કરવો, પોતાને ફરીથી સેટ કેવી રીતે કરવો અને નવેસરથી શરૂઆત કેવી રીતે કરવી." રોહિતે આગળ કહ્યું, "મને ખબર હતી કે આગામી મોટું લક્ષ્ય 2024 T20 વર્લ્ડ કપ હતું, જે યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાવાનું હતું અને મારે મારું બધું ધ્યાન તેના પર કેન્દ્રિત કરવાનું હતું. આજે કહેવું સરળ છે, પરંતુ તે સમયે તે ખૂબ જ મુશ્કેલ હતું."
આખરે રોહિત શર્મા માટે બધું યોગ્ય દિશામાં ગયું. તેણે ભારતને 2024 T20 વર્લ્ડ કપ ટાઇટલ સુધી પહોંચાડ્યું અને ત્યારબાદ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. 2023ની નિરાશાએ 2024ની ઐતિહાસિક સફળતાનો પાયો નાખ્યો હતો.



















