શોધખોળ કરો

ચારણ બાઈ પર વિવાદાસ્પદ ટિપ્પણી : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો વધુ એક બફાટ વાયરલ

મોરબીના હળવદ નજીક હરિકૃષ્ણ ધામના ભક્તિ હરી સ્વામીએ ચારણ બાઈ અને મંત્રેલા દોરા અંગે કર્યું વિવાદાસ્પદ નિવેદન, વિડીયો થયો વાયરલ, ચારણોમાં રોષ ફાટી નીકળ્યો.

Swaminarayan Swami controversy: લારામબાપા વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામી વિવાદમાં આવ્યા છે.  હળવદના રણજીતગઢ પાસે આવેલા હરિકૃષ્ણ ધામના ભક્તિ હરી સ્વામીનો એક વિવાદાસ્પદ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ચારણ બાઈ વિશે અપમાનજનક ટિપ્પણી કરતા જોવા મળે છે. આ ઘટનાથી ચારણ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

વાયરલ થયેલા વિડીયોમાં સ્વામી ભક્તિ હરી કહી રહ્યા છે કે તેઓ એક બીમાર ભક્ત, જીવરાજભાઈના ઘરે તેમના દુઃખ દૂર કરવા માટે ગયા હતા.  તે સમયે, તેમણે કંઠી સાથે ચારણ બાઈ દ્વારા મંત્રેલો દોરો પહેર્યો હતો. સ્વામીના કહેવા મુજબ, આ જોઈને સ્વામિનારાયણ ભગવાન નારાજ થયા અને ભક્ત જીવરાજને દર્શન આપ્યા વિના પાછા ફર્યા.

શું છે સમગ્ર ઘટના?

આ ઘટના મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણજીતગઢ પાસે આવેલા હરિકૃષ્ણ ધામ ખાતે બની હતી. સ્વામી ભક્તિ હરી એક કથા દરમિયાન આ વિવાદાસ્પદ નિવેદન આપતા સંભળાય છે.  તેઓ કથામાં એક કિસ્સો વર્ણવે છે જેમાં જીવરાજભાઈ નામના એક ભક્ત ગંભીર રીતે બીમાર હતા.

સ્વામીના કહેવા પ્રમાણે, જીવરાજભાઈએ સંતોને પ્રાર્થના કરી કે સ્વામિનારાયણ ભગવાન તેમને ધામમાં બોલાવી લે. જો કે, સંતોએ તેમને સમજાવ્યું કે તેમની ઉંમર હજી ધામમાં જવાની નથી, અને હજી તેમણે ઘણું જીવન જીવવાનું છે, ખાસ કરીને તેમના બાળકોના લગ્ન જોવાના છે.  સંતોએ જીવરાજભાઈને ખાતરી આપી કે ભગવાન તેમને ધામમાં નહીં લઈ જાય, પરંતુ તેમને સાજા કરશે.

આગળ કથામાં સ્વામી જણાવે છે કે જ્યારે સ્વામિનારાયણ ભગવાન ભક્ત જીવરાજને દર્શન આપવા માટે જાય છે, ત્યારે તેઓ જીવરાજભાઈના ગળામાં કંઠી સાથે ચારણ બાઈનો મંત્રેલો દોરો જુએ છે. આ જોઈને ભગવાન ભક્તને દર્શન આપ્યા વિના પાછા ફરે છે અને પરિવારના અન્ય સભ્યોને દર્શન આપે છે.  ત્યારબાદ ભગવાન પરિવારના સભ્યોને કહે છે કે તેઓ તો ભક્તને દર્શન આપવા આવ્યા હતા, પરંતુ તેણે ગળામાં ચારણ બાઈનો દોરો પહેર્યો હોવાથી તેઓ પાછા ફર્યા.

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના આ નિવેદનથી ચારણ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર આ નિવેદનની ટીકા કરી રહ્યા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ પર સનાતન ધર્મની લાગણી દુભાવવાનો આરોપ લગાવી રહ્યા છે.  ઘણા લોકો આ પ્રકારના નિવેદનોને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓની આદત ગણાવી રહ્યા છે, જેઓ વારંવાર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરીને ચર્ચામાં રહે છે.

આ પણ વાંચો.....

લાખો ઘર ખરીદનારાઓને મળશે ફાયદો: ગુજરાત સરકારે ટ્રાન્સફર ફી પર લીધો મોટો નિર્ણય!

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Embed widget