શોધખોળ કરો

ગુજરાતમાં ઘર ખરીદદારો માટે રાહતના સમાચાર, રાજ્ય સરકારે ટ્રાન્સફર ફીની મર્યાદા નક્કી કરી, હવે આટલી રકમથી વધારે નહીં ચૂકવવા પડે

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઘર ખરીદનાર માટે રાહત; મહત્તમ ફી કુલ કિંમતના ૦.૫% અથવા રૂ. ૧ લાખ નક્કી.

Housing society transfer fee limit: ગુજરાતમાં હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં ઘર ખરીદનારાઓ માટે રાહતના સમાચાર છે. રાજ્ય સરકારે ટ્રાન્સફર ફીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે, જેનાથી હવે સોસાયટીઓ દ્વારા મનમાની રીતે વસૂલવામાં આવતી તોતિંગ ફી પર લગામ લાગશે. નવા નિયમ અનુસાર, ઘરની ખરીદ-વેચાણ સમયે સોસાયટીઓ કુલ અવેજ રકમના ૦.૫ ટકા અથવા વધુમાં વધુ રૂપિયા ૧ લાખ સુધી જ ટ્રાન્સફર ફી વસૂલી શકશે. આ નિયમથી રાજ્યભરની ૩૦,૦૦૦ થી વધુ હાઉસિંગ સોસાયટીઓના લાખો સભાસદોને સીધો ફાયદો થશે.

સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને હાઉસિંગ સોસાયટીઓ દ્વારા ટ્રાન્સફર ફીના નામે થતી ઉઘરાણી અંગે અનેક ફરિયાદો મળી હતી. સહકારી કાયદા અને નિયમોમાં ટ્રાન્સફર ફી બાબતે સ્પષ્ટ જોગવાઈઓ ન હોવાના કારણે સોસાયટીઓ દ્વારા મનઘડંત રીતે મોટી રકમ વસૂલવામાં આવતી હતી, જેનાથી ઘર ખરીદનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સહકારી કાયદામાં સુધારો કરીને નવા નિયમો બનાવવાનો નિર્ણય લીધો હતો.

નવા નિયમો ત્રીજી માર્ચથી અમલમાં આવી ગયા છે. જે અંતર્ગત હવેથી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ મનમાની ટ્રાન્સફર ફી વસૂલી શકશે નહીં.  કોઈપણ ઘરની ખરીદ-વેચાણના સમયે સોસાયટી ફક્ત કુલ કિંમતના ૦.૫ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૧ લાખ, બે માંથી જે ઓછું હોય તેટલી જ ટ્રાન્સફર ફી વસૂલી શકશે. સહકાર મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે આ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેથી સોસાયટીઓ પોતાની રીતે આ રકમમાં ઘટાડો કરી શકે છે, પરંતુ કોઈપણ સંજોગોમાં તેનાથી વધારે ફી વસૂલી શકશે નહીં.

મહત્વનું છે કે, નવા નિયમો કાયદેસરના વારસદારોને પણ રાહત આપશે. વારસાઈમાં મિલકત ટ્રાન્સફર કરવાના કિસ્સામાં, જો કોઈ અવેજ ચૂકવવામાં ન આવ્યો હોય તો, સોસાયટી કોઈપણ પ્રકારની ટ્રાન્સફર ફી વસૂલી શકશે નહીં. આ ઉપરાંત, ડેવલપમેન્ટ ચાર્જ, દાન કે અન્ય કોઈપણ નામે ટ્રાન્સફર સમયે સોસાયટીઓ કોઈ પણ રકમ ઉઘરાવી શકશે નહીં.

રાજ્ય સરકારના આ નિર્ણયથી હાઉસિંગ સોસાયટીઓની કામગીરીમાં નિયમિતતા આવશે અને લાખો સભાસદોને હેરાનગતિમાંથી મુક્તિ મળશે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારના આ નિર્ણયને સર્વત્ર આવકાર મળી રહ્યો છે અને તે ઘર ખરીદનારાઓ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

આ પણ વાંચો....

સોમનાથના દરિયા કિનારે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ-૨૦૨૫ યોજાશે, હેન્ડબોલ અને વોલીબોલની જામશે રમઝટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Iran-US Tensions:ઇરાની અધિકારીએ મંશા કરી વ્યક્ત, માદુરો જેવો જ વ્યવહાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ થવો જરૂરી
Iran-US Tensions:ઇરાની અધિકારીએ મંશા કરી વ્યક્ત, માદુરો જેવો જ વ્યવહાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ થવો જરૂરી
Union Budget 2026:સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી થશે શરૂ,ઇતિહાસમાં પહેલી વાર રવિવારે સામાન્ય બજેટ થશે રજૂ
Union Budget 2026:સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી થશે શરૂ,ઇતિહાસમાં પહેલી વાર રવિવારે સામાન્ય બજેટ થશે રજૂ
દિલ્લીની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરી, પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પાર
દિલ્લીની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરી, પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પાર
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Embed widget