Swineflu Case: રાજ્યમાં સ્વાઈનફ્લૂનો કહેર, છેલ્લા 3 મહિનામાં 630 કેસ, અમદાવાદમાં સૌથી વધુ કેસ
કોરોના બાદ રાજયમાં વધતા જતાં સ્વાઇન ફ્લુના કેસે ચિંતા વધારી છે. છેલ્લા ત્રણ મહિનાથી રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.
![Swineflu Case: રાજ્યમાં સ્વાઈનફ્લૂનો કહેર, છેલ્લા 3 મહિનામાં 630 કેસ, અમદાવાદમાં સૌથી વધુ કેસ Swine flu cases increase in Gujarat, 630 cases and 15 deaths in 3 months Swineflu Case: રાજ્યમાં સ્વાઈનફ્લૂનો કહેર, છેલ્લા 3 મહિનામાં 630 કેસ, અમદાવાદમાં સૌથી વધુ કેસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/28/5fe434abb725e0e4e6256c1ec39eb2af171160312041481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Swineflu Case: ગરમીની શરૂઆત થતાં જ રોગચાળો પણ વકર્યો છે. માર્ચ મહિનાના 25 દિવસમાં જ સ્વાઈનફ્લૂના 380 કેસ નોંધાયા છે. સ્વાઈનફ્લૂના કેસ મામલે ગુજરાત દેશમાં ચોથા નંબરે છે. ગુજરાતમાં સ્વાઈનફ્લુએ હાલ કાળો કેર વર્તાવ્યો છે. સ્વાઇન ફ્લૂના ત્રણ જ મહિનામાં 360 કેસ નોંધાયા છે. જેમાંથી 15 લોકોના મોત નિપજ્યાં છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસ સૌથી વધારે નોંધાયા...અચાનક સ્વાઈફ્લુના દર્દી વધતા આરોગ્ય વિભાગ ચિંતામાંમાં વધારો થયો છે.
શિયાળાની વિદાય અને ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં રોગચાળોએ પણ માજા મૂકી છે. અમદાવાદના સોલા સિવિલમાં બે સપ્તાહમાં વાઈરલ ઈન્ફેક્શનના ત્રણ હજાર 20 કેસ નોંધાયા છે. બાળકોમાં પણ શરદી-તાવના કેસ વધારો થયો છે. ખાંસી લાંબો સમય સુધી મટતી ન હોવાની ફરિયાદ વધુ જોવા મળી રહી છે. ડેન્ગ્યુ, સ્વાઈફ્લુ, ઝાડા ઉલટી, તાવ-ઉધરસ સહિતના કેસમાં રાજ્યમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ રોગ પ્રથમ વખત વર્ષ 1919માં જોવા મળ્યો હતો. ભારતમાં સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ વર્ષ 2009માં નોંધાયો હતો. નિષ્ણાતોના મતે, આ રોગ એઇડ્સ અને એચઆઇવીથી પીડિત દર્દીઓ માટે વધુ ખતરનાક બને છે.
સ્વાઈન ફ્લૂ રોગ H1N1 વાયરસથી થાય છે. આ એક શ્વસન ચેપી રોગ છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સ્વાઈન ફ્લૂનો ભોગ બને છે. આ રોગ ડુક્કરમાં જોવા મળતા ઈન્ફલ્યુએન્ઝા સ્ટ્રેનના કારણે થાય છે. આ રોગ પ્રથમ વખત વર્ષ 1919માં જોવા મળ્યો હતો. તે જ સમયે, ભારતમાં સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ વર્ષ 2009માં નોંધાયો હતો. નિષ્ણાતોના મતે, આ રોગ એઇડ્સ અને એચઆઇવીથી પીડિત દર્દીઓ માટે ખતરનાક છે. જોકે સ્વાઈન ફ્લૂના દર્દીઓની પ્રાથમિક કક્ષાએ સારવાર શક્ય છે. જો બેદરકારી રાખવામાં આવે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. આ માટે જો સ્વાઈન ફ્લૂના લક્ષણો દેખાય તો પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)