શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
26મી જાન્યુઆરીના સંબોધનમાં સરકારની સિદ્ધીઓ નહીં દર્શાવવી શકાય, ચૂંટણી પંચનો આદેશ
કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે.
![26મી જાન્યુઆરીના સંબોધનમાં સરકારની સિદ્ધીઓ નહીં દર્શાવવી શકાય, ચૂંટણી પંચનો આદેશ The government's achievements cannot be shown in the January 26 address, Election Commission orders 26મી જાન્યુઆરીના સંબોધનમાં સરકારની સિદ્ધીઓ નહીં દર્શાવવી શકાય, ચૂંટણી પંચનો આદેશ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/25130254/gujarat-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફાઈલ તસવીર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચાર સંહિતા પણ લાગુ થઈ છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચે 26મી જાન્યુઆરીની ઉજવણીના સંબોધનમાં સરકારની સિદ્ધીનો નહીં દર્શાવવાનો આદેશ કર્યો છે.
મુખ્યમંત્રી કે મંત્રીઓ પોતાના સંબોધનમાં સરકારની સિદ્ધીઓ, સરકારની કામગીરી કે પક્ષની કામગીરી નહી બોલી શકે. સાથે જ રાજ્ય ચૂંટણી પંચે સંબોધમાં રાષ્ટ્રીય એક્તા, ઐતિહાસિક મહત્વ જેવા મુદ્દાઓ પર ભાષણ કરવાનું રહેશે. સાથે જ ઉજવણીમાં રાજકીય બેનર નહી લગાવવાનો પણ આદેશ કર્યો છે.
નોંધનીય છે કે, કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે.
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે.
તમામ છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 1 ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 6 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 8 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે તો 9 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.
રાજયની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે .મતદાન માટે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય નક્કી કરાયો છે.
જો કોઈ બેઠક પર પુનઃ મતદાનની જરુર પડે તો 22 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. 23 ફેબ્રુઆરીએ તમામ 6 મહાનગરપાલિકાની મતગણતરી હાથ ધરાશે.
કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજય ચૂંટણી પંચ ટૂંક સમયમાં SOP જાહેર કરશે.
નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ જાહેરનામુ પ્રસિદ્ધ કરાશે. 13 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ રહેશે. 15 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે..16 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યાનો રહેશે. પુનઃ મતદાનની જરુર પડે તો 1 માર્ચના દિવસે યોજાશે. 2 માર્ચના દિવસે મતગણતરી હાથ ધરાશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
રાજકોટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)