શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
નર્મદા નદીમાં પાણી છોડાતા તીર્થઘામ ચાણોદના ઘાટો પાણીમાં ગરકાવ, નર્મદા ડેમની સપાટી 132.51 મીટરે પહોંચી
નર્મદા, ભરૂચ સહિતના નીચાણવાળા વિસ્તારોના 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
![નર્મદા નદીમાં પાણી છોડાતા તીર્થઘામ ચાણોદના ઘાટો પાણીમાં ગરકાવ, નર્મદા ડેમની સપાટી 132.51 મીટરે પહોંચી The villages along the banks of the three districts were alerted about the release of water in the river Narmada નર્મદા નદીમાં પાણી છોડાતા તીર્થઘામ ચાણોદના ઘાટો પાણીમાં ગરકાવ, નર્મદા ડેમની સપાટી 132.51 મીટરે પહોંચી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/31140406/rain-2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લા માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નર્મદા નદીમાં પાણી છોડાતા ત્રણેય જિલ્લાના કાંઠાના ગામોને એલર્ટ કરવામા આવ્યા છે. નર્મદા નદીમાં પાણીની ભારે આવક થતા તીર્થધામ ચાણોદનો મલ્હારરાવ ઘાટ પર પાણી ફરી વળ્યા છે. તો કપિલેશ્વર ઘાટ, ચક્રતીર્થ ઘાટ, ચંડિકા ઘાટ, સોમનાથ ઘાટ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા છે.
બીજી બાજુ ચાણોદથી ભીમપુરા-નંદેરિયા જવાના મુખ્ય માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે. તો કોટ ફળિયા, વસાવા ફળિયામાં પામી ફરી વળતા નંદરિયા તરફનો વાહન વ્યવહાર બંધ કરવામા આવ્યો છે. સાથે જ પાંચપીપળા, ભાથીજી મંદિર ઝારાફળિયાથી જુના માંડવાનો મુખ્ય માર્ગ બંધ થયો છે.
નોંધનીય છે કે, નર્મદા ડેમમાં પાણીની ધરખમ આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 10 લાખ 15 હજાર 569 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. અને ડેમની જળ સપાટી 132.51 મીટર પહોંચી છે. પાણીની સતત આવકના કારણે ડેમના 23 દરવાજા ખોલી 9 લાખ 54 હજાર ક્યુસક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નર્મદા, ભરૂચ સહિતના નીચાણવાળા વિસ્તારોના 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)