શોધખોળ કરો

થરાદના ખેગારપુરામાં માટી ખોદતા મજૂરો પર કાળ ત્રાટક્યો: રેતીના ટ્રકે ૪ જીંદગીઓનો લીધો ભોગ

થરાદના ખેગારપુરામાં હૃદયદ્રાવક ઘટના, રેસ્ક્યુ ઓપરેશન છતાં બચાવી ન શકાયા.

Tharad Accident: થરાદ તાલુકાના ખેગારપુરા ગામ નજીક આજે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. ગામ નજીક રોડ પર નાળાંની કામગીરી કરી રહેલા ચાર મજૂરો પર રેતી ભરેલો એક ટ્રક પલટી જતાં કરૂણ મોત નીપજ્યાં છે. મૃતકોમાં એક બાળક અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ, તમામ મજૂરો દાહોદ વિસ્તારના વતની હતા.

આ કરૂણ ઘટના ખેગારપુરા ગામ પાસે બની હતી, જ્યાં રોડની બાજુમાં નાળાં બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. અચાનક એક રેતી ભરેલો હાઇવા ટ્રક બેકાબૂ બનીને કામ કરી રહેલા મજૂરો પર પલટી ગયો. ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું. 108 એમ્બ્યુલન્સ અને જેસીબી મશીનો સાથે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. માટી અને રેતીના ઢગલા નીચે દટાયેલા મજૂરોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ થયા, પરંતુ કમનસીબે, ચારેય મજૂરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મજૂરો રોડની બાજુમાં નાળાંના કામમાં રોકાયેલા હતા, ત્યારે રેતી ભરેલો ટ્રક પલટી જતાં આ દુર્ઘટના સર્જાઈ. ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થયા હતા અને બચાવ કામગીરીમાં મદદરૂપ બન્યા હતા. થરાદના નાયબ પોલીસ અધિક્ષક (DYSP) એસ. એમ. વારોતરીયા પણ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

DYSP એસ. એમ. વારોતરીયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “આજે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ ખેગારપુરા ગામ પાસે રોડનું કામ ચાલતું હતું. કેટલાક લોકો રોડની દિવાલ બનાવવા માટે માટી ખોદવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન, રેતી ભરેલો એક હાઇવા ટ્રક ત્યાંથી પસાર થયો, અને વળાંક પર ડ્રાઇવરે ધ્યાન ન આપતા ટ્રક પલટી ગયો. દુર્ભાગ્યવશ, ટ્રક નીચે દટાઈ જવાથી 3 મહિલાઓ અને એક બાળકનું મૃત્યુ થયું છે. આ ઘટનામાં જે કોઈની બેદરકારી હશે, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”

સ્થાનિક લોકોમાં શોકની લાગણી ફેલાયેલી છે. ઘટના સ્થળે હાજર રહેલા એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે, “ખેગારપુરા ગામમાં આજે એક અત્યંત દુઃખદ ઘટના બની છે. નાળાંના કામમાં લાગેલા મજૂરો પર રેતી ભરેલો ટ્રક પલટી જતા ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે.” દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મજૂરોના પરિવારજનોએ કામ સ્થળે સલામતીના સાધનોના અભાવ અંગે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે કામ કરતી વખતે હેલ્મેટ કે અન્ય કોઈ સુરક્ષા ઉપકરણો આપવામાં આવતા નથી.

આ પણ વાંચો....

પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
Embed widget