શોધખોળ કરો

પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત

પોલીસ તપાસ પૂર્ણ થયેલા અને ચાર્જશીટ દાખલ કરાયેલા કેસ પરત લેવાયા, સરકારનો મોટો નિર્ણય

Patidar agitation case withdrawal: ગુજરાત સરકારે પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોમાં મોટો નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે, સરકારે પાટીદાર આંદોલન સમયે પાટીદારો પર થયેલા પોલીસ કેસો પૈકી 9 કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ કેસો એ છે જેમાં પોલીસ તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, "રાજ્યમાં થયેલા પાટીદાર આંદોલન સમયે પાટીદારો ઉપર થયેલા પોલીસ કેસ પરત ખેંચવામાં આવ્યા છે. 9 જેટલા કેસ જેની પોલીસ તપાસ પૂર્ણ થઈ અને ચાર્જશીટ કરી દેવામાં આવી છે તેવા કેસ પરત ખેચવામાં આવ્યા છે." 

ઋષિકેશ પટેલે શું કહ્યું

પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસો પરત ખેંચવા મુદ્દે ગુજરાત સરકારની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે, સરકારે સમયાંતરે વિવિધ આંદોલનો દરમિયાન નોંધાયેલા કેસો પાછા ખેંચ્યા છે અને પાટીદાર આંદોલનના કેસો પણ કોઈ ચોક્કસ કારણોસર કરવામાં આવ્યા નહોતા. સરકારની સમીક્ષામાં એવું ધ્યાનમાં આવ્યું કે કેટલાક નિર્દોષ લોકોના નામ પણ કેસોમાં સંડોવાયા હતા, જેના કારણે આ કેસો પાછા ખેંચવાનો નિર્ણય લેવાયો છે.

મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, "વખતોવખત આંદોલનને થયેલા કેસો પરત ખેંચાયા છે અને હાલમાં પાટીદાર આંદોલનના માત્ર ચાર કેસ જ બાકી રહ્યા છે." તેમણે સ્પષ્ટતા કરી હતી કે પાટીદાર આંદોલન સમયે કેસ કોઈ ચોક્કસ કારણોથી કરવામાં આવ્યા નહોતા. આ નિવેદન સરકારના કેસો પાછા ખેંચવાના નિર્ણય પાછળના તર્કને સમજાવે છે.

તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, "જે-તે સમયે આંદોલનકારીઓ સાથે સરકારે બેઠક પણ કરી હતી." આ બેઠકોનો ઉદ્દેશ્ય આંદોલનકારીઓની રજૂઆતો સાંભળવાનો અને મુદ્દાઓનું નિરાકરણ લાવવાનો હતો. આ પ્રક્રિયાના ભાગરૂપે, સરકારે સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી.

સમીક્ષા દરમિયાન સરકારના ધ્યાનમાં આવ્યું કે, "કેટલાક નિર્દોષોના નામ પણ કેસોમાં આવી ગયા હતા. કેટલાક લોકો ન હોવા છતાં તેમના નામ પણ ઉમેરાઈ ગયા હતા." આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે માનવતાવાદી અભિગમ દાખવીને કેસો પરત ખેંચવાનો નિર્ણય લીધો છે, જેથી નિર્દોષ લોકોને કાયદાકીય પ્રક્રિયામાંથી મુક્તિ મળી શકે.

ઋષિકેશ પટેલના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સરકાર પાટીદાર આંદોલનના કેસોને લઈને સંવેદનશીલ છે અને નિર્દોષ લોકોને રાહત આપવા માંગે છે. સરકારના પ્રવક્તાના આ નિવેદન બાદ હવે આ કેસોને પરત ખેંચવાની કાયદાકીય પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે.

આ પણ વાંચો....

AAP કે BJP, Axis My Indiaના એક્ઝિટ પોલ કોની ઊંઘ ઉડાડી? સરકારનું ચિત્ર સ્પષ્ટ....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
Embed widget