શોધખોળ કરો

પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત

પોલીસ તપાસ પૂર્ણ થયેલા અને ચાર્જશીટ દાખલ કરાયેલા કેસ પરત લેવાયા, સરકારનો મોટો નિર્ણય

Patidar agitation case withdrawal: ગુજરાત સરકારે પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોમાં મોટો નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે, સરકારે પાટીદાર આંદોલન સમયે પાટીદારો પર થયેલા પોલીસ કેસો પૈકી 9 કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ કેસો એ છે જેમાં પોલીસ તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, "રાજ્યમાં થયેલા પાટીદાર આંદોલન સમયે પાટીદારો ઉપર થયેલા પોલીસ કેસ પરત ખેંચવામાં આવ્યા છે. 9 જેટલા કેસ જેની પોલીસ તપાસ પૂર્ણ થઈ અને ચાર્જશીટ કરી દેવામાં આવી છે તેવા કેસ પરત ખેચવામાં આવ્યા છે." 

ઋષિકેશ પટેલે શું કહ્યું

પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસો પરત ખેંચવા મુદ્દે ગુજરાત સરકારની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે, સરકારે સમયાંતરે વિવિધ આંદોલનો દરમિયાન નોંધાયેલા કેસો પાછા ખેંચ્યા છે અને પાટીદાર આંદોલનના કેસો પણ કોઈ ચોક્કસ કારણોસર કરવામાં આવ્યા નહોતા. સરકારની સમીક્ષામાં એવું ધ્યાનમાં આવ્યું કે કેટલાક નિર્દોષ લોકોના નામ પણ કેસોમાં સંડોવાયા હતા, જેના કારણે આ કેસો પાછા ખેંચવાનો નિર્ણય લેવાયો છે.

મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, "વખતોવખત આંદોલનને થયેલા કેસો પરત ખેંચાયા છે અને હાલમાં પાટીદાર આંદોલનના માત્ર ચાર કેસ જ બાકી રહ્યા છે." તેમણે સ્પષ્ટતા કરી હતી કે પાટીદાર આંદોલન સમયે કેસ કોઈ ચોક્કસ કારણોથી કરવામાં આવ્યા નહોતા. આ નિવેદન સરકારના કેસો પાછા ખેંચવાના નિર્ણય પાછળના તર્કને સમજાવે છે.

તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, "જે-તે સમયે આંદોલનકારીઓ સાથે સરકારે બેઠક પણ કરી હતી." આ બેઠકોનો ઉદ્દેશ્ય આંદોલનકારીઓની રજૂઆતો સાંભળવાનો અને મુદ્દાઓનું નિરાકરણ લાવવાનો હતો. આ પ્રક્રિયાના ભાગરૂપે, સરકારે સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી.

સમીક્ષા દરમિયાન સરકારના ધ્યાનમાં આવ્યું કે, "કેટલાક નિર્દોષોના નામ પણ કેસોમાં આવી ગયા હતા. કેટલાક લોકો ન હોવા છતાં તેમના નામ પણ ઉમેરાઈ ગયા હતા." આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે માનવતાવાદી અભિગમ દાખવીને કેસો પરત ખેંચવાનો નિર્ણય લીધો છે, જેથી નિર્દોષ લોકોને કાયદાકીય પ્રક્રિયામાંથી મુક્તિ મળી શકે.

ઋષિકેશ પટેલના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સરકાર પાટીદાર આંદોલનના કેસોને લઈને સંવેદનશીલ છે અને નિર્દોષ લોકોને રાહત આપવા માંગે છે. સરકારના પ્રવક્તાના આ નિવેદન બાદ હવે આ કેસોને પરત ખેંચવાની કાયદાકીય પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે.

આ પણ વાંચો....

AAP કે BJP, Axis My Indiaના એક્ઝિટ પોલ કોની ઊંઘ ઉડાડી? સરકારનું ચિત્ર સ્પષ્ટ....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારની મોટી ભેટ: ખેત તલાવડીમાં સરકારી ખર્ચે જીઓમેમ્બ્રેન ફીટ થશે, જાણો કેવી રીતે?
ગુજરાત સરકારની મોટી ભેટ: ખેત તલાવડીમાં સરકારી ખર્ચે જીઓમેમ્બ્રેન ફીટ થશે, જાણો કેવી રીતે?
ગુજરાત પંચાયત સેવામાં મોટો ગંજીપો ચીપાયો: 150 TDOની બદલી-બઢતી, જુઓ આખી યાદી
ગુજરાત પંચાયત સેવામાં મોટો ગંજીપો ચીપાયો: 150 TDOની બદલી-બઢતી, જુઓ આખી યાદી
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે
Hun To Bolish : હું તો બોલીશ : ગેંગના ખાતમાનો આરંભ
Hun To Bolish : હું તો બોલીશ : કોના દબાણથી નથી હટતા દબાણ?
Umreth By Election : ઉમરેઠના ભાજપ ઉમેદવાર હર્ષદ પરમાર પિતાને યાદ કરતા થયા ભાવુક
Amit Shah on naxalism: આદિવાસીઓ માટે વિકાસ કેમ નથી? અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026: રાજસ્થાને ચેન્નાઈને 8 વિકેટે કચડી નાખ્યું, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી!
IPL 2026: રાજસ્થાને ચેન્નાઈને 8 વિકેટે કચડી નાખ્યું, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી!
ટ્રમ્પ એકલા પડ્યા! ‘આ અમારી લડાઈ નથી,’ કહી વધુ એક દેશે ઈરાન યુદ્ધમાં જોડાવાની ના પાડી
ટ્રમ્પ એકલા પડ્યા! ‘આ અમારી લડાઈ નથી,’ કહી વધુ એક દેશે ઈરાન યુદ્ધમાં જોડાવાની ના પાડી
IPL 2026: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ! 15 બોલમાં 5 છગ્ગા સાથે ફટકારી ત્રીજી ફાસ્ટેસ્ટ 50
IPL 2026: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ! 15 બોલમાં 5 છગ્ગા સાથે ફટકારી ત્રીજી ફાસ્ટેસ્ટ 50
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પ સર્જિકલ સ્ટ્રાઈક કરવાના મૂડમાં છે? 50,000 અમેરિકી સૈનિકો તૈનાત...
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પ સર્જિકલ સ્ટ્રાઈક કરવાના મૂડમાં છે? 50,000 અમેરિકી સૈનિકો તૈનાત...
અમરેલીમાં ભરઉનાળે વરસાદ ખાબક્યો! 5 એપ્રિલ સુધી આખા ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતો ચિંતિત
અમરેલીમાં ભરઉનાળે વરસાદ ખાબક્યો! 5 એપ્રિલ સુધી આખા ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતો ચિંતિત
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
RTE હેઠળ ખાનગી શાળાઓમાં મફત પ્રવેશની પ્રક્રિયા શરૂ: ફોર્મ ક્યારથી ભરાશે, નિયમો અને પુરાવાઓનું લિસ્ટ અહીં જુઓ
RTE પ્રવેશ 2026: 4 એપ્રિલથી ફોર્મ ભરાશે, આ રહી જરૂરી ડોક્યુમેન્ટની યાદી અને નિયમો
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
Embed widget