શોધખોળ કરો

પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત

પોલીસ તપાસ પૂર્ણ થયેલા અને ચાર્જશીટ દાખલ કરાયેલા કેસ પરત લેવાયા, સરકારનો મોટો નિર્ણય

Patidar agitation case withdrawal: ગુજરાત સરકારે પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોમાં મોટો નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે, સરકારે પાટીદાર આંદોલન સમયે પાટીદારો પર થયેલા પોલીસ કેસો પૈકી 9 કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ કેસો એ છે જેમાં પોલીસ તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, "રાજ્યમાં થયેલા પાટીદાર આંદોલન સમયે પાટીદારો ઉપર થયેલા પોલીસ કેસ પરત ખેંચવામાં આવ્યા છે. 9 જેટલા કેસ જેની પોલીસ તપાસ પૂર્ણ થઈ અને ચાર્જશીટ કરી દેવામાં આવી છે તેવા કેસ પરત ખેચવામાં આવ્યા છે." 

ઋષિકેશ પટેલે શું કહ્યું

પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસો પરત ખેંચવા મુદ્દે ગુજરાત સરકારની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે, સરકારે સમયાંતરે વિવિધ આંદોલનો દરમિયાન નોંધાયેલા કેસો પાછા ખેંચ્યા છે અને પાટીદાર આંદોલનના કેસો પણ કોઈ ચોક્કસ કારણોસર કરવામાં આવ્યા નહોતા. સરકારની સમીક્ષામાં એવું ધ્યાનમાં આવ્યું કે કેટલાક નિર્દોષ લોકોના નામ પણ કેસોમાં સંડોવાયા હતા, જેના કારણે આ કેસો પાછા ખેંચવાનો નિર્ણય લેવાયો છે.

મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, "વખતોવખત આંદોલનને થયેલા કેસો પરત ખેંચાયા છે અને હાલમાં પાટીદાર આંદોલનના માત્ર ચાર કેસ જ બાકી રહ્યા છે." તેમણે સ્પષ્ટતા કરી હતી કે પાટીદાર આંદોલન સમયે કેસ કોઈ ચોક્કસ કારણોથી કરવામાં આવ્યા નહોતા. આ નિવેદન સરકારના કેસો પાછા ખેંચવાના નિર્ણય પાછળના તર્કને સમજાવે છે.

તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, "જે-તે સમયે આંદોલનકારીઓ સાથે સરકારે બેઠક પણ કરી હતી." આ બેઠકોનો ઉદ્દેશ્ય આંદોલનકારીઓની રજૂઆતો સાંભળવાનો અને મુદ્દાઓનું નિરાકરણ લાવવાનો હતો. આ પ્રક્રિયાના ભાગરૂપે, સરકારે સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી.

સમીક્ષા દરમિયાન સરકારના ધ્યાનમાં આવ્યું કે, "કેટલાક નિર્દોષોના નામ પણ કેસોમાં આવી ગયા હતા. કેટલાક લોકો ન હોવા છતાં તેમના નામ પણ ઉમેરાઈ ગયા હતા." આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે માનવતાવાદી અભિગમ દાખવીને કેસો પરત ખેંચવાનો નિર્ણય લીધો છે, જેથી નિર્દોષ લોકોને કાયદાકીય પ્રક્રિયામાંથી મુક્તિ મળી શકે.

ઋષિકેશ પટેલના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સરકાર પાટીદાર આંદોલનના કેસોને લઈને સંવેદનશીલ છે અને નિર્દોષ લોકોને રાહત આપવા માંગે છે. સરકારના પ્રવક્તાના આ નિવેદન બાદ હવે આ કેસોને પરત ખેંચવાની કાયદાકીય પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે.

આ પણ વાંચો....

AAP કે BJP, Axis My Indiaના એક્ઝિટ પોલ કોની ઊંઘ ઉડાડી? સરકારનું ચિત્ર સ્પષ્ટ....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Embed widget