શોધખોળ કરો

પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત

પોલીસ તપાસ પૂર્ણ થયેલા અને ચાર્જશીટ દાખલ કરાયેલા કેસ પરત લેવાયા, સરકારનો મોટો નિર્ણય

Patidar agitation case withdrawal: ગુજરાત સરકારે પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોમાં મોટો નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે, સરકારે પાટીદાર આંદોલન સમયે પાટીદારો પર થયેલા પોલીસ કેસો પૈકી 9 કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ કેસો એ છે જેમાં પોલીસ તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, "રાજ્યમાં થયેલા પાટીદાર આંદોલન સમયે પાટીદારો ઉપર થયેલા પોલીસ કેસ પરત ખેંચવામાં આવ્યા છે. 9 જેટલા કેસ જેની પોલીસ તપાસ પૂર્ણ થઈ અને ચાર્જશીટ કરી દેવામાં આવી છે તેવા કેસ પરત ખેચવામાં આવ્યા છે." 

ઋષિકેશ પટેલે શું કહ્યું

પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસો પરત ખેંચવા મુદ્દે ગુજરાત સરકારની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે, સરકારે સમયાંતરે વિવિધ આંદોલનો દરમિયાન નોંધાયેલા કેસો પાછા ખેંચ્યા છે અને પાટીદાર આંદોલનના કેસો પણ કોઈ ચોક્કસ કારણોસર કરવામાં આવ્યા નહોતા. સરકારની સમીક્ષામાં એવું ધ્યાનમાં આવ્યું કે કેટલાક નિર્દોષ લોકોના નામ પણ કેસોમાં સંડોવાયા હતા, જેના કારણે આ કેસો પાછા ખેંચવાનો નિર્ણય લેવાયો છે.

મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, "વખતોવખત આંદોલનને થયેલા કેસો પરત ખેંચાયા છે અને હાલમાં પાટીદાર આંદોલનના માત્ર ચાર કેસ જ બાકી રહ્યા છે." તેમણે સ્પષ્ટતા કરી હતી કે પાટીદાર આંદોલન સમયે કેસ કોઈ ચોક્કસ કારણોથી કરવામાં આવ્યા નહોતા. આ નિવેદન સરકારના કેસો પાછા ખેંચવાના નિર્ણય પાછળના તર્કને સમજાવે છે.

તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, "જે-તે સમયે આંદોલનકારીઓ સાથે સરકારે બેઠક પણ કરી હતી." આ બેઠકોનો ઉદ્દેશ્ય આંદોલનકારીઓની રજૂઆતો સાંભળવાનો અને મુદ્દાઓનું નિરાકરણ લાવવાનો હતો. આ પ્રક્રિયાના ભાગરૂપે, સરકારે સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી.

સમીક્ષા દરમિયાન સરકારના ધ્યાનમાં આવ્યું કે, "કેટલાક નિર્દોષોના નામ પણ કેસોમાં આવી ગયા હતા. કેટલાક લોકો ન હોવા છતાં તેમના નામ પણ ઉમેરાઈ ગયા હતા." આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે માનવતાવાદી અભિગમ દાખવીને કેસો પરત ખેંચવાનો નિર્ણય લીધો છે, જેથી નિર્દોષ લોકોને કાયદાકીય પ્રક્રિયામાંથી મુક્તિ મળી શકે.

ઋષિકેશ પટેલના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સરકાર પાટીદાર આંદોલનના કેસોને લઈને સંવેદનશીલ છે અને નિર્દોષ લોકોને રાહત આપવા માંગે છે. સરકારના પ્રવક્તાના આ નિવેદન બાદ હવે આ કેસોને પરત ખેંચવાની કાયદાકીય પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે.

આ પણ વાંચો....

AAP કે BJP, Axis My Indiaના એક્ઝિટ પોલ કોની ઊંઘ ઉડાડી? સરકારનું ચિત્ર સ્પષ્ટ....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગતPM Modi In Silvassa : બહેનોને ભલે ઠપકો ખાવો પડે તોય કયું કામ કરવાનું મોદીએ લોકો માંગ્યું વચન?Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
Embed widget