શોધખોળ કરો

Gujarat Election: NCP સાથે ગઠબંધન કરતા કોંગ્રેસમાં ભડકો, અનેક નેતાઓએ રાજીનામાં આપી 12 કલાકનું અલ્ટિમેટમ આપ્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: એનસીપી સાથેનું ગઠબંધન કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનતું જાય છે. અનેક કાર્યકરોએ વિરોધ કરી રાજીનામાં ધરી દીધા છે. આ ઉપરાંત તેમણે 12 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: એનસીપી સાથેનું ગઠબંધન કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનતું જાય છે. અનેક કાર્યકરોએ વિરોધ કરી રાજીનામાં ધરી દીધા છે.  ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં આવતી કોંગ્રેસની તમામ સમિતિઓએ રાજીનામાં ધરી દીધા છે. સંગઠન, ઉમરેઠ તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ હોદ્દા પરથી રાજીનામાં આપી દેતા ચકચાર મચી ગઈ છે.  આ ઉપરાંત તેમણે 12 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.

આ અંગે કોંગ્રેસ નેતા ચૌહાણે કહ્યું કે, 12 કલાકમાં ગઠબંધન તોડવામાં નહિ આવે તો અપક્ષ ઉમેદવારી નોંધાવીશું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને 300 જેટલા હોદ્દેદાર અને કાર્યકરોએ રાજીનામા આપ્યા છે. ગોહિલે કહ્યું કે, કેન્દ્રિય નેતૃત્વ સુધી લાગણી પહોંચાડવામાં આવશે. ભૂતકાળમાં એનસીપીએ ગઠબંધનના નિયમનું પાલન કર્યું ન હોવાની રજૂઆત કરવામાં આવી છે.

તો બીજી તરફ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર ગુજરાતમાં પ્રચાર કરવા આવશે તેવી માહિતી સામે આવી રહી છે. NCPએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.  યાદીમાં શરદ પવારના નામનો પણ ઉલ્લેખ છે. પ્રફુલ પટેલ પણ ગુજરાતમાં પ્રચાર કરશે.  પ્રફુલ પટેલ સાંસદ અને જનરલ સેક્રેટરી છે. NCPના રાષ્ટ્રીય નેતાઓ, સાંસદ અને ધારાસભ્યો ગુજરાતમાં પ્રચાર કરશે.

કોંગ્રેસે 42 ધૂરંધરોને ઉતાર્યા ચૂંટણી માટે

ગુજરાત ચૂંટણીને લઈ ઑબ્ઝર્વરની નિમણૂંક કરી છે. તમામ કેન્દ્રીય નેતાઓને જવાબદારી આપવામાં આવી છે. સાઉથ ઝોનની જવાબદારી મુક્લ વાસનિક, સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી મોહન પ્રકાશ સેન્ટ્રલ ઝોનની પૃથ્વીરાડ ચવ્હાણ અને નોર્થ ઝોનની જવાબદારી બી કે હરિપ્રસાદને સોંપાઈ છે.

ઝોનલ ઓબ્ઝર્વર

  • સાઉથ ઝોન(હેડ ક્વાર્ટર સુરત) મુક્લ વાસનિક
  • સૌરાષ્ટ્ર ઝોન(હેડ ક્વાર્ટર રાજકોટ) મોહન પ્રકાશ
  • સેન્ટ્રલ ઝોન (હેડ ક્વાર્ટર બરોડા) પૃથ્વીરાજ ચવાણ
  • નોર્થ ઝોન ((હેડ કવાર્ટર અમદાવાદ) બી કે હરિપ્રસાદ

કાંધલ જાડેજાએ આપ્યું રાજીનામું

એનસીપીના હાલના ધારાસભ્ય કાંધલ જાડેજાએ એનસીપીમાંથી (NCP) રાજીનામું આપી દીધું છે. કાંધલ જાડેજા 2012માં એનસીપીમાં જોડાયા હતા. એનસીપીએ આ વખતે કાંધલ જાડેજાને કુતિયાણા સીટ પર ટિકિટ ન આપતા નારાજ થઈને તેમણે રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે, છેલ્લી 2 ટર્મથી કાંધલ જાડેજા કુતિયાણા બેઠક પરથી એનસીબીના ધારાસભ્ય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણયDinesh Bamaniya | ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને દિનેશ બાંભણિયા સહિત પાંચ લોકોની રજૂઆતAmbalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ
પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
Embed widget