શોધખોળ કરો

UP Election Result: યોગી આદિત્યનાથ ફરીવાર મુખ્યમંત્રી બન્યા તો આ ત્રણ બાબતે રચાશે ઇતિહાસ, જાણો શું છે વિગત

UP Assembly Election Result 2022: એવું કહેવામાં આવે છે કે જે કોઈ મુખ્યમંત્રી નોઈડા આવે છે તે ફરીથી સત્તામાં પાછા નથી આવી શકતા. પરંતુ સીએમ યોગીએ પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ઘણી વખત નોઈડાની મુલાકાત લીધી હતી.

Uttar Pradesh : દેશના તમામ લોકોની નજર 10 માર્ચ પર ટકેલી છે, કારણ કે આવતીકાલે 10 માર્ચે દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. આ પરિણામોની અસર વર્ષ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પર પણ પડશે, કારણ કે દિલ્હીનો રસ્તો યુપીના રાજકારણમાંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં દરેકના મનમાં એક સવાલ છે કે યુપીના મુખ્યમંત્રી કોણ બનશે? તમામ એક્ઝિટ પોલ્સ આગાહી કરે છે કે સત્તાની ચાવી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) પાસે રહેશે. જો આમ થશે તો આ વખતે યુપીમાં વર્ષોથી ચાલી આવતી અનેક માન્યતાઓ તૂટી જશે ણ ઇતિહાસ રચાશે. 

જો યોગી ફરી મુખ્યમંત્રી બનશે તો...
1) યોગી આદિત્યનાથ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરીને તેમની પાર્ટીને ફરી સત્તામાં આવશે. આવું કરનાર તેઓ પ્રથમ મુખ્યમંત્રી હશે.
2) ભાજપના પ્રથમ મુખ્યમંત્રી હશે જે સતત બીજી વખત મુખ્યમંત્રી બનશે.
3) જો યોગી મુખ્યમંત્રી બનશે તો 2007 પછી તેઓ પહેલા એવા નેતા હશે જેઓ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હોય.

ઉત્તરપ્રદેશનું રાજકારણ 
ઉત્તરપ્રદેશમાં વર્ષ 1951 થી વર્ષ 2007 સુધી અસ્થિરતાનો સમયગાળો ચાલુ રહ્યો.  2007ની વિધાનસભાની ચૂંટણીમાં બહુજન સમાજવાડી  પાર્ટીએ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી અને માયાવતી પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા. પરંતુ તે વર્ષ 2012માં કમબેક કરી શક્યા ન હતા. 2012ની વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની વાપસી થઈ અને અખિલેશ યાદવ મુખ્યમંત્રી બન્યા. માયાવતી પછી અખિલેશે પણ સંપૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો, પરંતુ તેઓ પણ સત્તામાં પાછા ફર્યા નહીં અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 325 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો. ભારતીય જનતા પાર્ટીએ યોગી આદિત્યનાથને સત્તાની ટોચ પર બેસાડ્યા. યોગીએ પણ તેમનો સંપૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો. હવે જોવાનું એ રહે છે કે યોગી ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લઈને ઈતિહાસ રચી શકે છે કે કેમ.

યુપીના રાજકારણનું  રસપ્રદ મિથક
એવું કહેવામાં આવે  છે કે જે કોઈ  મુખ્યમંત્રી નોઈડા આવે છે તે ફરીથી સત્તામાં પાછા નથી આવી શકતા. પરંતુ સીએમ યોગીએ પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ઘણી વખત નોઈડાની મુલાકાત લીધી હતી. આ માન્યતાને અવગણીને તેમણે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. 1988થી એવું માનવામાં આવે છે કે નોઈડાની મુલાકાત લેનાર કોઈપણ મુખ્યમંત્રી આગલી વખતે સત્તામાં પાછા ફર્યા નથી. રાજનાથ સિંહ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે દિલ્હીથી નોઈડામાં બનેલા ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે નોઈડા ગયેલા સીએમ યોગી મુખ્યમંત્રી બનીને આ મિથક  તોડશે કે કેમ તે જાણવામાં રસ વધી ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
Embed widget