શોધખોળ કરો

UP Election Result: યોગી આદિત્યનાથ ફરીવાર મુખ્યમંત્રી બન્યા તો આ ત્રણ બાબતે રચાશે ઇતિહાસ, જાણો શું છે વિગત

UP Assembly Election Result 2022: એવું કહેવામાં આવે છે કે જે કોઈ મુખ્યમંત્રી નોઈડા આવે છે તે ફરીથી સત્તામાં પાછા નથી આવી શકતા. પરંતુ સીએમ યોગીએ પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ઘણી વખત નોઈડાની મુલાકાત લીધી હતી.

Uttar Pradesh : દેશના તમામ લોકોની નજર 10 માર્ચ પર ટકેલી છે, કારણ કે આવતીકાલે 10 માર્ચે દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. આ પરિણામોની અસર વર્ષ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પર પણ પડશે, કારણ કે દિલ્હીનો રસ્તો યુપીના રાજકારણમાંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં દરેકના મનમાં એક સવાલ છે કે યુપીના મુખ્યમંત્રી કોણ બનશે? તમામ એક્ઝિટ પોલ્સ આગાહી કરે છે કે સત્તાની ચાવી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) પાસે રહેશે. જો આમ થશે તો આ વખતે યુપીમાં વર્ષોથી ચાલી આવતી અનેક માન્યતાઓ તૂટી જશે ણ ઇતિહાસ રચાશે. 

જો યોગી ફરી મુખ્યમંત્રી બનશે તો...
1) યોગી આદિત્યનાથ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરીને તેમની પાર્ટીને ફરી સત્તામાં આવશે. આવું કરનાર તેઓ પ્રથમ મુખ્યમંત્રી હશે.
2) ભાજપના પ્રથમ મુખ્યમંત્રી હશે જે સતત બીજી વખત મુખ્યમંત્રી બનશે.
3) જો યોગી મુખ્યમંત્રી બનશે તો 2007 પછી તેઓ પહેલા એવા નેતા હશે જેઓ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હોય.

ઉત્તરપ્રદેશનું રાજકારણ 
ઉત્તરપ્રદેશમાં વર્ષ 1951 થી વર્ષ 2007 સુધી અસ્થિરતાનો સમયગાળો ચાલુ રહ્યો.  2007ની વિધાનસભાની ચૂંટણીમાં બહુજન સમાજવાડી  પાર્ટીએ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી અને માયાવતી પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા. પરંતુ તે વર્ષ 2012માં કમબેક કરી શક્યા ન હતા. 2012ની વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની વાપસી થઈ અને અખિલેશ યાદવ મુખ્યમંત્રી બન્યા. માયાવતી પછી અખિલેશે પણ સંપૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો, પરંતુ તેઓ પણ સત્તામાં પાછા ફર્યા નહીં અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 325 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો. ભારતીય જનતા પાર્ટીએ યોગી આદિત્યનાથને સત્તાની ટોચ પર બેસાડ્યા. યોગીએ પણ તેમનો સંપૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો. હવે જોવાનું એ રહે છે કે યોગી ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લઈને ઈતિહાસ રચી શકે છે કે કેમ.

યુપીના રાજકારણનું  રસપ્રદ મિથક
એવું કહેવામાં આવે  છે કે જે કોઈ  મુખ્યમંત્રી નોઈડા આવે છે તે ફરીથી સત્તામાં પાછા નથી આવી શકતા. પરંતુ સીએમ યોગીએ પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ઘણી વખત નોઈડાની મુલાકાત લીધી હતી. આ માન્યતાને અવગણીને તેમણે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. 1988થી એવું માનવામાં આવે છે કે નોઈડાની મુલાકાત લેનાર કોઈપણ મુખ્યમંત્રી આગલી વખતે સત્તામાં પાછા ફર્યા નથી. રાજનાથ સિંહ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે દિલ્હીથી નોઈડામાં બનેલા ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે નોઈડા ગયેલા સીએમ યોગી મુખ્યમંત્રી બનીને આ મિથક  તોડશે કે કેમ તે જાણવામાં રસ વધી ગયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AAP ખતમ થવાના આરે! કેજરીવાલ પંજાબમાં પોતાની ખુરશી બચાવવામાં વ્યસ્ત; યોગેન્દ્ર યાદવે આવું કેમ કહ્યું
AAP ખતમ થવાના આરે! કેજરીવાલ પંજાબમાં પોતાની ખુરશી બચાવવામાં વ્યસ્ત; યોગેન્દ્ર યાદવે આવું કેમ કહ્યું
વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: રેલવેકર્મી મોહસીન મનોજ બની ડિવોર્સી મહિલાને બનાવી શિકાર
વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: રેલવેકર્મી મોહસીન મનોજ બની ડિવોર્સી મહિલાને બનાવી શિકાર
વડોદરા પોલીસનો માનવીય અભિગમ: દારૂ વેચતી 300 મહિલાઓને આર્થિક રીતે પગભર કરશે
વડોદરા પોલીસનો માનવીય અભિગમ: દારૂ વેચતી 300 મહિલાઓને આર્થિક રીતે પગભર કરશે
PM Modi US Visit: પીએમ મોદીના US પ્રવાસથી ભારતને શું મળ્યું? 10 પોઈન્ટમાં સમજો ટ્રમ્પ સાથેની મુલાકાતને લગતી દરેક બાબત
PM Modi US Visit: પીએમ મોદીના US પ્રવાસથી ભારતને શું મળ્યું? 10 પોઈન્ટમાં સમજો ટ્રમ્પ સાથેની મુલાકાતને લગતી દરેક બાબત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Earthquake : ગુરુવારે આવેલા ભૂકંપના આંચકના સીસીટીવી આવ્યા સામે, લોકો બહાર દોડી આવ્યાVadodara Love Jihad : મોહસીને મનોજ નામ ધારણ કરી ડિવોર્સી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, જુઓ અહેવાલRajkot Mayor Naynaben Pedhadiya : મહાકુંભથી આવેલા મેયર નયનાબેને શું કર્યો ખુલાસો?Faisal Patel : સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનું કોંગ્રેસને બાયબાય, શું કરી જાહેરાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ખતમ થવાના આરે! કેજરીવાલ પંજાબમાં પોતાની ખુરશી બચાવવામાં વ્યસ્ત; યોગેન્દ્ર યાદવે આવું કેમ કહ્યું
AAP ખતમ થવાના આરે! કેજરીવાલ પંજાબમાં પોતાની ખુરશી બચાવવામાં વ્યસ્ત; યોગેન્દ્ર યાદવે આવું કેમ કહ્યું
વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: રેલવેકર્મી મોહસીન મનોજ બની ડિવોર્સી મહિલાને બનાવી શિકાર
વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: રેલવેકર્મી મોહસીન મનોજ બની ડિવોર્સી મહિલાને બનાવી શિકાર
વડોદરા પોલીસનો માનવીય અભિગમ: દારૂ વેચતી 300 મહિલાઓને આર્થિક રીતે પગભર કરશે
વડોદરા પોલીસનો માનવીય અભિગમ: દારૂ વેચતી 300 મહિલાઓને આર્થિક રીતે પગભર કરશે
PM Modi US Visit: પીએમ મોદીના US પ્રવાસથી ભારતને શું મળ્યું? 10 પોઈન્ટમાં સમજો ટ્રમ્પ સાથેની મુલાકાતને લગતી દરેક બાબત
PM Modi US Visit: પીએમ મોદીના US પ્રવાસથી ભારતને શું મળ્યું? 10 પોઈન્ટમાં સમજો ટ્રમ્પ સાથેની મુલાકાતને લગતી દરેક બાબત
RSS Kolkata Rally: મોહન ભાગવતની સભાને બંગાળમાં મળી મંજૂરી, કલકત્તા હાઈકોર્ટમાંથી મમતા સરકારને મોટો ઝટકો   
RSS Kolkata Rally: મોહન ભાગવતની સભાને બંગાળમાં મળી મંજૂરી, કલકત્તા હાઈકોર્ટમાંથી મમતા સરકારને મોટો ઝટકો   
અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર, જાણો મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સને લઈને શું કરી જાહેરાત
અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર, જાણો મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સને લઈને શું કરી જાહેરાત
Russia Drone Attack: રશિયાના ડ્રોન હુમલાથી મચી તબાહી, યુક્રેનના પરમાણુ પાવર પ્લાન્ટને બનાવ્યો નિશાન
Russia Drone Attack: રશિયાના ડ્રોન હુમલાથી મચી તબાહી, યુક્રેનના પરમાણુ પાવર પ્લાન્ટને બનાવ્યો નિશાન
રાજકોટના મેયર સરકારી ગાડી લઇ મહાકુંભમાં પહોંચ્યા, જાણો કેટલું આવ્યું બિલ?
રાજકોટના મેયર સરકારી ગાડી લઇ મહાકુંભમાં પહોંચ્યા, જાણો કેટલું આવ્યું બિલ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.