શોધખોળ કરો

કેરળ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાઃ પાયલટ સહિત 19 લોકોના મોત, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

આ ઘટના રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ બની હતી. કેરળમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે જેને પગલે એરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી થઇ ગઇ હતી.

નવી દિલ્હીઃ દુબઇથી 184 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બરને લઇને ભારત આવેલા એર ઇન્ડિયાના એક વિમાન સાથે રનવે પર લેન્ડિંગ સમયે જ ભયાનક દુર્ઘટના ઘટી હતી, કેરળના કોઝિકોડના કાલીકટ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે જ આ વિમાન ક્રેશ થઇ ગયું હતું. જેને પગલે બન્ને પાઇલટ અને ક્રૂ મેમ્બર સહિત 19 લોકોના સૃથળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે 125 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 15 લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. લેન્ડિંગ સમયે જ વિમાને કાબુ ગુમાવી દીધો હતો અને રનવેને પાર કરીને ખાડીમાં 30 ફુટ નીચે જતુ રહ્યું હતું. વિમાનના બે ટુકડા થઇ ગયા હતા. આ ઘટના રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ બની હતી. કેરળમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે જેને પગલે એરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી થઇ ગઇ હતી, રિપોર્ટ અનુસાર જ્યારે વિમાને લેન્ડિંગ કર્યું ત્યારે વિઝિબિલિટી અતી ઓછી હતી. દુબઈથી આવેલા વિમાનમાં મોટાભાગના લોકો કુટુંબ સાથે આવ્યા હતા. હાલમાં નિયમિત વિમાન સેવા બંધ હોવાથી વંદે ભારત મિશન હેઠળ ચલાવાતી વિમાની સેવાનો લોકો લાભ લઈ રહ્યાં છે. કોઝિકોડના કરિપુરનું એરપોર્ટ પર્વતીય વિસ્તારમાં છે. તેનો રનવે ટેબલ ટોપ છે. એટલે કે, એક ચોક્કસ અંતર પછી રનવેના આગળના ભાગમાં ઊંડી ખીણ છે. આવા સ્થળે પાઈલટ પાસે વિમાન રોકવા માટે ઘણી ઓછી જગ્યા હોય છે. એવું કહેવાય છે કે, ભારે વરસાદના કારણે લેન્ડિંગ કરતા સમયે વિમાન રનવે પર આગળ નીકળીને ખીણમાં પડી ગયું. પ્રધાનમંત્રી મોદીએ કોઝિકોડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસમાં ભોગ બનેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમેએ કહ્યું કે, તેઓ કોઝીકોડમાં થયેલ વિમાન અકસ્માતથી આહત છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, “કોઝિકોડમાં થયેલ વિમાન દુર્ઘટનાથી હું આહત છું. મારા વિચાચર એ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. પ્રાર્થના કરું છું કે ઇજાગ્રસ્ત ઝડપથી સાજા થઈ જાય. કેરળના મુખ્યમંત્રી સાથે વાત કરી. અધિકારી ઘટનાસ્થળ પર છે અને તનામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે.”
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Embed widget