શોધખોળ કરો

ઈમરજન્સીની યાદમાં 25 જૂને 'બંધારણ હત્યા દિવસ' ઉજવવામાં આવશે, કેન્દ્ર સરકારની મોટી જાહેરાત

Emergency 1975: 25 જૂને 'બંધારણ હત્યા દિવસ' જાહેર, કેન્દ્રની જાહેરાત, 1975માં આ દિવસે ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી.

Constitution Murder Day: કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા 25 જૂનને બંધારણ હત્યા દિવસ જાહેર કર્યો છે. આ અંગે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. 25 જૂન 1975ના રોજ દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે એક્સ (ટ્વિટર) પર પોસ્ટ કરેલા જાહેરનામાને શેર કરીને આ માહિતી આપી છે.

અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, - 25 જૂન 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાની સરમુખત્યારશાહી માનસિકતા દર્શાવતા દેશમાં કટોકટી લાગુ કરીને ભારતીય લોકશાહીના આત્માનું ગળું દબાવી દીધું હતું. લાખો લોકોને કારણ વગર જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. ભારત સરકારે દર વર્ષે 25 જૂનને 'બંધારણ હત્યા દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. આ દિવસ એ તમામ લોકોના વિરાટ યોગદાનની યાદ અપાવશે, જેમણે 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરી હતી.

ભારતના બંધારણના અનુચ્છેદ 352 હેઠળ રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવાનો અધિકાર છે. વડાપ્રધાનની અધ્યક્ષતા હેઠળના મંત્રીમંડળની લેખિત ભલામણ પર કટોકટીની જાહેરાત કરવામાં આવે છે. આના હેઠળ નાગરિકોના તમામ મૂળભૂત અધિકારો મોકૂફ થઈ જાય છે. જ્યારે સમગ્ર દેશ કે કોઈ રાજ્યમાં દુકાળ, બાહ્ય દેશોના આક્રમણ કે આંતરિક વહીવટી અવ્યવસ્થા કે અસ્થિરતા વગેરેની સ્થિતિ ઉત્પન્ન થાય, તે સમયે તે વિસ્તારની તમામ રાજકીય અને વહીવટી સત્તાઓ રાષ્ટ્રપતિના હાથમાં ચાલી જાય છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ વખત કટોકટી લાગુ થઈ ચૂકી છે. આમાં વર્ષ 1962, 1971 તથા 1975માં અનુચ્છેદ 352 હેઠળ રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે 1975માં કટોકટી લાગુ કરવાની જાહેરાત અલાહાબાદ હાઈકોર્ટના એક ચુકાદા બાદ આવી હતી. હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીના ચૂંટણીને પડકારતી અરજી પર 12 જૂન 1975ના રોજ ચુકાદો સંભળાવ્યો હતો. હાઈકોર્ટે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની રાયબરેલીથી ચૂંટણીને રદ કરી દીધી હતી અને આગામી 6 વર્ષ સુધી તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો. આ પછી ઇન્દિરા ગાંધીના રાજીનામાની માંગ શરૂ થઈ ગઈ અને દેશમાં જગ્યા-જગ્યાએ આંદોલનો થવા લાગ્યા. સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો. આ પછી કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી. રાજકીય પક્ષો આને અલોકતાંત્રિક નિર્ણય ગણાવતા ઇન્દિરા સરકાર અને કોંગ્રેસને ઘેરતા રહ્યા. જે પરિસ્થિતિઓમાં કટોકટી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જે રીતે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આની જાણકારી આપી, તે અંગે સવાલો ઉઠ્યા. ઇન્દિરા સરકારના નિર્ણયને સરમુખત્યારશાહી ગણાવતા વિવિધ સંગઠનો વિરોધમાં ઉતરી આવ્યા અને ભારે વિરોધ શરૂ થઈ ગયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
કયા દેશનો પાસપોર્ટ દુનિયામાં નંબર-1, ભારત અને પાકિસ્તાન કયા સ્થાને ? સામે આવી 2026 ની પાસપોર્ટ રેન્કિંગ, જુઓ લિસ્ટ
કયા દેશનો પાસપોર્ટ દુનિયામાં નંબર-1, ભારત અને પાકિસ્તાન કયા સ્થાને ? સામે આવી 2026 ની પાસપોર્ટ રેન્કિંગ, જુઓ લિસ્ટ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
દિલ્હીમાં ચાર માળની એક ઇમારતમાં ભીષણ આગ, 9 લોકો જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
દિલ્હીમાં ચાર માળની એક ઇમારતમાં ભીષણ આગ, 9 લોકો જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા

વિડિઓઝ

Smart Traffic Signal: ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા હવે 'સ્માર્ટ'
Ambalal Patel Prediction: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી
Kesar Mango : તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની મબલખ આવક, 14 દિવસમાં 1 લાખ બોક્સની આવક
Bhavnagar Murder News: મિલકતની લાલચમાં માતા-પિતાની હત્યા, આરોપી પુત્ર અને વહુની ધરપકડ
Ahmedabad Murder Case: અમદાવાદમાં ગુંડાઓને પોલીસને પડકાર, જીવરાજબ્રિજ નજીક યુવકની હત્યાથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!
Gold Silver Rate Today: સોનું ₹2,960 સસ્તું થયું પણ ચાંદીમાં તેજીનો તરખાટ, જાણો આજના લેટેસ્ટ ભાવ
Gold Silver Rate Today: સોનું ₹2,960 સસ્તું થયું પણ ચાંદીમાં તેજીનો તરખાટ, જાણો આજના લેટેસ્ટ ભાવ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
Embed widget