ABP Ideas of India: નીતિન ગડકરી બોલ્યા- જાતિ, ધર્મ, સંપ્રદાયના આધાર પર ભેદભાવ અમને મંજૂર નથી
ABP Ideas of India Live: એબીપી નેટવર્ક પર ભવિષ્યના ભારતની વિચારસરણી માટે આઈડિયાઝ ઓફ ઈન્ડિયાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં દેશની અનેક અગ્રણી હસ્તીઓ તેમના શ્રેષ્ઠ વિચારો રજૂ કરશે.

Background
ABP Ideas of India Live: એબીપી નેટવર્ક પર ભવિષ્યના ભારતની વિચારસરણી માટે આઈડિયાઝ ઓફ ઈન્ડિયાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં દેશની અનેક અગ્રણી હસ્તીઓ તેમના શ્રેષ્ઠ વિચારો રજૂ કરશે. આ અગ્રણીઓમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, અભિનેતા આમિર ખાન, એન. નારાયણ મૂર્તિ, કૈલાશ સત્યાર્થી સહિત અનેક દિગ્ગજ હસ્તીઓ ભાગ લઈ રહી છે.
ABP Ideas of India Live: પેટ્રોલ અને ડીઝલ પરની આપણી નિર્ભરતા ઓછી થશેઃ ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, "ઈલેક્ટ્રિક બસોમાં 1200 ટકાનો વધારો જોવા મળ્યો છે, ઈલેક્ટ્રિક કાર માટે વેઈટીંગ લિસ્ટ શરૂ થઈ ગયું છે. તે દિવસ દૂર નથી જ્યારે પેટ્રોલ અને ડીઝલ પરની આપણી નિર્ભરતા ઓછી થઈ જશે."
ABP Ideas of India Live: રાજકારણમાં કોઈ હાર અંતિમ હોતી નથીઃ નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, "હું અહીં વિરોધીઓને એટલું જ કહીશ કે રાજકારણમાં કોઈ પણ હાર અંતિમ હોતી નથી. અમે પણ બે બેઠકો પર આવવાથી રોકાયા નથી ચાલતા રહ્યા."





















