શોધખોળ કરો

Agniveer New Rule: અગ્નિવીરો માટે મોટા સમાચાર, જો પરમેનન્ટ થતા પહેલા લગ્ન કર્યા તો નોકરી જશે, જાણો નવો નિયમ

ભારતીય સેનાએ અગ્નિવીરો માટે નવો નિયમ જાહેર કર્યો છે. જો કોઈ અગ્નિવીર કાયમી સૈનિક (Permanent Soldier) બનતા પહેલા લગ્ન કરશે, તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે. જાણો 4 વર્ષની સેવા બાદ કેટલો સમય લગ્ન પર પ્રતિબંધ રહેશે.

Indian Army Agniveer Update: અગ્નિવીર યોજના હેઠળ સેનામાં જોડાયેલા અને કાયમી થવાનું સપનું જોતા લાખો યુવાનો માટે ભારતીય સેનાએ એક નવો અને અત્યંત મહત્વપૂર્ણ નિયમ જાહેર કર્યો છે. સેનાએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ અગ્નિવીર તેની કાયમી નિમણૂક (Permanent Enrollment) પહેલાં લગ્ન કરશે, તો તેને પસંદગી પ્રક્રિયા માટે ગેરલાયક (Disqualified) ઠેરવવામાં આવશે.

આ નિયમ સીધો સૈનિકોના અંગત જીવન સાથે જોડાયેલો હોવાથી દરેક અગ્નિવીરે આ ગાઈડલાઈન જાણવી જરૂરી છે.

પરમેનન્ટ થતા પહેલા લગ્ન પર પ્રતિબંધ

અગ્નિવીરોમાં સૌથી મોટો સવાલ એ હતો કે તેઓ લગ્ન ક્યારે કરી શકે? સેનાની નવી ગાઈડલાઈન મુજબ:

  • જે અગ્નિવીરો 4 વર્ષની સેવા પછી સેનામાં કાયમી સૈનિક બનવા માંગે છે, તેઓ જ્યાં સુધી ફાઈનલ પરમેનન્ટ એપોઈન્ટમેન્ટ ન મળે ત્યાં સુધી લગ્ન કરી શકશે નહીં.

  • જો કોઈ ઉમેદવાર પ્રોસેસ દરમિયાન અથવા કાયમી સૈનિક બનતા પહેલા લગ્ન કરી લે છે, તો તે ઓટોમેટિકલી ગેરલાયક ઠરશે.

  • આવા ઉમેદવાર કાયમી સૈનિક બનવા માટે અરજી પણ કરી શકશે નહીં.

લગ્ન ક્યારે કરી શકાશે? સેનાનું ગણિત સમજો

સેનાએ લગ્નની મંજૂરી માટેનો સમયગાળો પણ સ્પષ્ટ કર્યો છે.

  1. 4 વર્ષની સેવા: પહેલા 4 વર્ષનો કાર્યકાળ પૂરો કરવાનો રહેશે.

  2. પ્રોસેસિંગ ટાઈમ: સેવા પૂર્ણ થયા બાદ, જે 25% અગ્નિવીરોને કાયમી કરવાના છે, તેમની પસંદગી પ્રક્રિયા ચાલશે. આમાં આશરે 4 થી 6 મહિના નો સમય લાગી શકે છે.

  3. નિર્ણય: જ્યાં સુધી સેનાનું ફાઈનલ લિસ્ટ અને નિમણૂક પત્ર ન મળે ત્યાં સુધી, એટલે કે સેવા પૂરી થયાના 6 મહિના સુધી પણ લગ્નથી દૂર રહેવું પડશે.

  4. છૂટછાટ: એકવાર તમે કાયમી સૈનિક તરીકે નિયુક્ત થઈ જાઓ, પછી તમને લગ્ન કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળશે.

2022 ની બેચ નિવૃત્તિના આરે

આ નિયમ અત્યારે એટલા માટે મહત્વનો છે કારણ કે અગ્નિવીર યોજના 2022 માં શરૂ થઈ હતી.

  • પહેલી બેચની 4 વર્ષની સેવા જૂન-જુલાઈ 2026 માં પૂર્ણ થવા જઈ રહી છે.

  • અંદાજે 20,000 અગ્નિવીરો આ બેચમાં છે.

  • આમાંથી માત્ર 25% (લગભગ 5,000) સૈનિકોને જ કાયમી કરવામાં આવશે. બાકીના 75% નિવૃત્ત થશે.

જે 25% યુવાનો કાયમી થવા માંગે છે, તેમણે શારીરિક કસોટી અને લેખિત પરીક્ષાની સાથે સાથે હવે આ 'લગ્ન પ્રતિબંધ'ના નિયમનું પણ પાલન કરવું પડશે.

જો નિયમ તોડ્યો તો શું થશે?

રિપોર્ટ્સ મુજબ, સેનાએ કડક વલણ અપનાવ્યું છે. જો કોઈ અગ્નિવીર 'વેિટિંગ પીરિયડ' (Waiting Period) દરમિયાન લગ્ન કરશે તો:

  • તે ભલે ગમે તેટલો હોશિયાર કે ફિટ હોય, તેને કાયમી કરવામાં આવશે નહીં.

  • તેની ઉમેદવારી રદ કરવામાં આવશે.

  • તેથી, અગ્નિવીરોને સલાહ આપવામાં આવી છે કે જ્યાં સુધી ખભા પર કાયમી સૈનિકનો બેજ ન લાગે, ત્યાં સુધી શરણાઈના સૂરથી દૂર રહેવું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
Embed widget