![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોનાની થર્ડ વેવ બાળકો માટે કેટલી ઘાતક નિવડશે? જાણો આ મુદ્દે ડોક્ટર ગુલેરિયાએ શું કહ્યું?
ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, વાયરસના કારણે લહેરો આવતી રહે છે કારણ કે વાયરસ તેનું સ્વરૂપ બદલે છે. લોકડાઉનથી સંક્રમણ ઓછું ફેલાતા કેસ ઘટી જાય છે. જો કે લોકડાઉન ખૂલતા જ ઇન્ફેકશન ફરી વધતા લાગે છે. જો કે હાલ એવું કોઇ સચોટ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે, જેના આધારે કહી શકાય કે થર્ડ વેવ બાળકો માટે ઘાતક હશે
![કોરોનાની થર્ડ વેવ બાળકો માટે કેટલી ઘાતક નિવડશે? જાણો આ મુદ્દે ડોક્ટર ગુલેરિયાએ શું કહ્યું? aiims dr guleria over corona third wave affect children કોરોનાની થર્ડ વેવ બાળકો માટે કેટલી ઘાતક નિવડશે? જાણો આ મુદ્દે ડોક્ટર ગુલેરિયાએ શું કહ્યું?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/08/50ce7c07e79b5c21aa3e3e91c24669cc_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, વાયરસના કારણે લહેરો આવતી રહે છે કારણ કે વાયરસ તેનું સ્વરૂપ બદલે છે. લોકડાઉનથી સંક્રમણ ઓછું ફેલાતા કેસ ઘટી જાય છે. જો કે લોકડાઉન ખૂલતા જ ઇન્ફેકશન ફરી વધતા લાગે છે. જો કે હાલ એવું કોઇ સચોટ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે, જેના આધારે કહી શકાય કે થર્ડ વેવ બાળકો માટે ઘાતક હશે.
એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાના મુજબ ત્રીજી લહેર માટે અમારી પાસે કોઇ ડેટા નથી. આ સ્થિતિમાં એ કહેવું પણ મુશ્કેલ છે કે,બાળકો માટે કેટલી ઘાતક હશે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, વાયરસના કારણે લહેરો આવતી રહે છે કારણ કે વાયરસ તેનું સ્વરૂપ બદલે છે. લોકડાઉનથી સંક્રમણ ઓછું ફેલાતા કેસ ઘટી જાય છે. જો કે લોકડાઉન ખૂલતા જ ઇન્ફેકશન ફરી વધતા લાગે છે. જો કે હાલ એવું કોઇ સચોટ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે, જેના આધારે કહી શકાય કે થર્ડ વેવ બાળકો માટે ઘાતક હશે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, હાલ એવો કોઇ વૈજ્ઞાનિક ડેટા નથી કે એવું કહી શકાય કે, આગળની વેવ બાળકોને ટારગેટ કરશે.
એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ચેઇન ઓફ ટ્રાન્સમિશન રોકવા માટે કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર અપનાવવું પડશે. હવે ચિંતા એ છે કે, થર્ડ વેવ ક્યારે આવશે કે આવી શકશે અને બાળકો માટે કેટલી ગંભીર હશે?સ્પેનિશ ફ્લૂ, એચ 1 એન 1 પણ વેવ જોવા મળી હતી. અને તે હ્યુમન બિહેવિયરના કારણે હોય છે.
એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, જેવા કેસ ઘટવા લાગે છે. અનલોક થઇ જાય છે અને ફરી લોકો બેદરકાર બની જાય છે, આ કારણે એક બાદ એક વેવ આવતી રહે છે. જ્યાં સુધી વધુમાં વધુ લોકો વેક્સિનેટ ન થઇ જાય ત્યાં સુધી સાવધાની રાખવી જરૂરી છે. અત્યાર સુધીમાં કોઇ દેશમાંથી એવા ડેટા પણ નથી આવ્યા કે, જેના પરથી કહી શકાય કે, થર્ડ વેવ બાળકો માટે ઘાતક હશે. આ વસ્તુ ઇન્ડિયન કે ગ્લોબલ ડેટા બંનેમાંથી એકમાં પણ નથી જોવા મળી. આગામી વેવને રોકવા માટે હજું પણ આપણે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર કરવું જરૂરી છે.
ડોક્ટર વીકે પોલ સરીખેએ રાહતની વાત કરતા કહ્યું કે, હજું સુધી નિશ્ચિત નથી થયું કે. થર્ડ વેવ બાળકોને વધુ પ્રભાવિત કરશે. પાછળાને કે કોઇ અન્ય દેશના ડેટા પણ આ વાતનું સમર્થન નથી કરતા. એક્સ્પર્ટનું માનવું છે કે, જો પરિવારના લોકો વેક્સિનેટ થઇ જાય તો બાળકને સંક્રમણથી બચાવી શકાશે. કોવિડની પ્રબંધન ટીમના મુખ્ય સદસ્ય ડોક્ટર વી.કે પોલે કહ્યું કે,"એ અનિશ્ચિત છે કે, થર્ડ વેવ વિશેષ રીતે બાળકોને પ્રભાવિત કરશે. અત્યાર સુધી બાળકોએ વયસ્ક સમાન સેરોપ્રેવલેન્સનું પ્રદર્શન કરે છે. તેનો અર્થ છે કે, તે વયસ્કની જેમ જ પ્રભાવિત થાય છે"
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)