શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોના ઇફેક્ટઃ એર ઇન્ડિયાએ 200 કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ ખત્મ કર્યો
કોરોના વાયરસના કારણે તમામ સ્થાનિક અને ઇન્ટરનેશનલ ઉડાણો 14 એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે.
![કોરોના ઇફેક્ટઃ એર ઇન્ડિયાએ 200 કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ ખત્મ કર્યો Air India suspends contract of around 200 employees કોરોના ઇફેક્ટઃ એર ઇન્ડિયાએ 200 કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ ખત્મ કર્યો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/02225530/12.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ સરકારી એરલાઇન એર ઇન્ડિયાએ ગુરુવારે લગભગ 200 કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ અસ્થાયી રીતે ખત્મ કરી દીધો છે. જેમાં એર ઇન્ડિયાના પાયલટ પણ સામેલ છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે, આ લિસ્ટમાં એ કર્મચારીઓ છે જેઓને નિવૃતિ બાદ ફરીથી તક આપવામાં આવી હતી. કોરોના વાયરસના કારણે તમામ સ્થાનિક અને ઇન્ટરનેશનલ ઉડાણો 14 એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે.
વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, લગભગ તમામ ઉડાણો રદ છે એવામાં ગયા સપ્તાહમાં કંપનીની આવકમાં ભારે ઘટાડો થયો હતો. જેને જોતો એરલાઇને નિર્ણય કર્યો છે કે જે કર્મચારીઓને નિવૃતિ બાદ તક આપવામાં આવી હતી તેમનો કોન્ટ્રાક્ટ અસ્થાયી રીતે રદ કરવામાં આવ્યો છે.
એર ઇન્ડિયાએ આ અગાઉ તમામ કર્મચારીઓને આપવામાં આવતા એલાઉન્ટમાં 10 ટકાનો ઘટાડો કર્યો હતો જેમાં કેબિન ક્રૂ પણ સામેલ છે. આ સરકારી કંપનીએ પોતાના કર્મચારીઓના આ એલાઉન્સમાં આગામી ત્રણ મહિના સુધી કાપ મુક્યો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)