શોધખોળ કરો

આ વર્ષે પણ નહી યોજાય અમરનાથ યાત્રા, કોરોનાના કારણે રદ કરવાનો નિર્ણય

અમરનાથ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી છે.

અમરનાથ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ 28 જૂનથી ઓનલાઈન દર્શન કરી શકશે. 

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ શ્રાઈન બોર્ડ સાથે ચર્ચા કર્યાં બાદ આ અંગે જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે લોકોનું આરોગ્ય એ અમારી અગ્રિમતા છે, જેને ધ્યાનમાં રાખી આ યાત્રા રદ્દ કરવામાં આવી છે. આ પહેલા પહેલા સિન્હાએ શુક્રવારે કહ્યું હતું કે સરકાર જલ્દી વાર્ષિક અમરનાથ યાત્રાના આયોજનને લઈ નિર્ણય કરશે. 

સમૃદ્ધની સપાટીથી 3,880 મીટરની ઉંચાઈ પર હિમાલયમાં આવેલા અમરનાથની 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રા 28 જૂનથી પહલગામ અને બાલટલ રુટથી શરૂ થવાની હતી અને 22 ઓગસ્ટ સુધી ચાલવાની હતી. જોકે કોરોના મહામારીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી શ્રાઈન બોર્ડે આ વર્ષે અમરનાથ યાત્રા નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં પણ કોરોના મહામારીને લીધે યાત્રા રદ્દ કરવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગયા સપ્તાહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોલાવેલી બેઠકમાં મનોજ સિંહાએ ભાગ લીધો હતો. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, અગ્રણી સુરક્ષા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
Lucknow Fire: લખનૌના કોચિંગ સેન્ટરમાં ભયંકર આગ, અત્યાર સુધીમાં 15 વિદ્યાર્થીઓના મોત
Lucknow Fire: લખનૌના કોચિંગ સેન્ટરમાં ભયંકર આગ, અત્યાર સુધીમાં 15 વિદ્યાર્થીઓના મોત
IMD Alert: આગામી 48 કલાકમાં મુંબઈ સહિત આ વિસ્તારો આભ ફાટશે? આગામી 2 દિવસ આ 5 રાજ્યો માટે ભારે!
IMD Alert: આગામી 48 કલાકમાં મુંબઈ સહિત આ વિસ્તારો આભ ફાટશે? આગામી 2 દિવસ આ 5 રાજ્યો માટે ભારે!
મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 6 બળવાખોર સાંસદ શિંદે જૂથમાં જોડાયા  
મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 6 બળવાખોર સાંસદ શિંદે જૂથમાં જોડાયા  

વિડિઓઝ

US Iran Deal : અમેરિકા-ઈરાન વચ્ચે પ્રથમ તબક્કાની વાતચીત પૂર્ણ
Donald Trump : ઈરાન સાથે શાંતિવાર્તા વચ્ચે ટ્રમ્પે ફરી આપી હુમલાની ધમકી
Mumbai Monsoon : મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?
Gujarat Rain Update : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain Forecast : અમદાવાદ સહિત ગુજરાતમાં 15 જિલ્લામાં વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 6 બળવાખોર સાંસદ શિંદે જૂથમાં જોડાયા  
મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 6 બળવાખોર સાંસદ શિંદે જૂથમાં જોડાયા  
ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?
ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રિક્ષા ભાડામાં મોટો વધારો: હવે મિનિમમ 25 રૂપિયા ચૂકવવા પડશે, જાણો પ્રતિ કિલોમીટરે કેટલા વધ્યા
રિક્ષા ભાડામાં મોટો વધારો: હવે મિનિમમ 25 રૂપિયા ચૂકવવા પડશે, જાણો પ્રતિ કિલોમીટરે કેટલા વધ્યા
પૂર્વ અગ્નિવીરો માટે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: આ ભરતીમાં મળશે 20% અનામત
પૂર્વ અગ્નિવીરો માટે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: આ ભરતીમાં મળશે 20% અનામત
સોનાના ભાવમાં 28%નો મોટો કડાકો! શું સોનાની તેજીનો અંત આવ્યો? જાણો વિગત
સોનાના ભાવમાં 28%નો મોટો કડાકો! શું સોનાની તેજીનો અંત આવ્યો? જાણો વિગત
Embed widget