શોધખોળ કરો

Rajya Sabha: રાજ્યસભામાં આજે રજૂ કરાશે દિલ્હી સર્વિસ બિલ, AAP-કોગ્રેસે જાહેર કર્યો વ્હિપ, લોકસભાની મળી છે મંજૂરી

હવે આ બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ તેના રાજ્યસભા સભ્યોને વ્હીપ જાહેર કર્યો છે.

નવી દિલ્હીઃ દિલ્હી સર્વિસ બિલને લોકસભામાંથી મંજૂરી મળી ગઇ છે. હવે આ બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ તેના રાજ્યસભા સભ્યોને વ્હીપ જાહેર કર્યો છે. જેમાં તેમને 7 અને 8 ઓગસ્ટે ગૃહમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. વ્હીપમાં જણાવાયું છે કે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના તમામ સભ્યોને 7 ઓગસ્ટથી 8 ઓગસ્ટ, 2023 સુધી ગૃહમાં હાજર રહેવા અને પાર્ટીના સ્ટેન્ડને સમર્થન આપવા વિનંતિ કરવામાં આવે છે. કોંગ્રેસે પણ સોમવારે તેના રાજ્યસભા સાંસદોને હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યો છે.  રાજ્યસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક જયરામ રમેશે 4 ઓગસ્ટે વ્હીપ જાહેર કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું છે કે  રાજ્યસભામાં કોંગ્રેસ પાર્ટીના તમામ સભ્યોને સોમવારે (7 ઓગસ્ટ, 2023) સવારે 11 વાગ્યાથી ગૃહ સ્થગિત થાય ત્યાં સુધી ગૃહમાં હાજર રહેવા અને પક્ષના સ્ટેન્ડને સમર્થન આપવા વિનંતી કરવામાં આવે છે.

રવિવારે રાજ્યસભામાં પાર્ટીના સાંસદોને એક રિમાઇન્ડર પણ મોકલવામાં આવ્યું હતું. દિલ્હી સરકારમાં વરિષ્ઠ અધિકારીઓની બદલીઓ અને પોસ્ટિંગ પરના વટહુકમને બદલવા માટેનું બિલ 3 ઓગસ્ટના રોજ વિરોધ પક્ષોના બહિષ્કાર વચ્ચે લોકસભામાં ધ્વનિ મતથી પાસ કરવામાં આવ્યું હતું.

ચર્ચા બાદ સાંજે મતદાન કરાશે

એજન્સીના જણાવ્યા અનુસાર, દિલ્હી સર્વિસ બિલ પર ચર્ચા સમાપ્ત થયા પછી સોમવારે સાંજે જ બિલને પસાર કરવા માટે મતદાન કરવામાં આવશે. કોંગ્રેસ નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ અભિષેક મનુ સિંઘવી રાજ્યસભામાં વિપક્ષ વતી ચર્ચા શરૂ કરી શકે છે. અભિષેક મનુ સિંઘવીએ પણ વહીવટી સેવાઓ પર નિયંત્રણ સંબંધિત મામલામાં સુપ્રીમ કોર્ટની 5 જજની બંધારણીય બેન્ચ સમક્ષ દિલ્હી સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

દિલ્હીના અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે સરકાર

આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ તરફથી પ્રતિક્રિયાઓ સામે આવી છે. AAP મંત્રી ગોપાલ રાયે કહ્યું કે કેન્દ્ર સરકાર બળપૂર્વક દિલ્હીના અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે. આવતીકાલે તમામ વિરોધ પક્ષો સાથે મળીને આ બિલનો વિરોધ કરશે.

કેજરીવાલ કામ કરવામાં અસમર્થ

બીજેપી સાંસદ પ્રવેશ સાહિબ સિંહે કહ્યું કે જ્યારે સીએમ અરવિંદ કેજરીવાલ ચૂંટણીમાં ઉભા હતા, ત્યારે તેઓ જાણતા હતા કે દિલ્હીને રાજ્યનો નહીં પણ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની સત્તાઓ અલગ અલગ હોય છે. તે જનતાને બતાવવા માંગે છે કે તે કામ કરવામાં અસમર્થ છે, આ વાત ગૃહમંત્રી અમિત શાહે પણ લોકસભામાં કરી હતી.

આ બિલનો વિરોધ કરવો ખોટો

બીજી તરફ કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે કહ્યું કે આ બિલ લોકસભામાં પસાર થશે તે નિશ્ચિત હતું, કારણ કે ત્યાં સરકાર પાસે બહુમતી છે. લોકસભાની જેમ રાજ્યસભામાં પણ અન્ય કેટલાક પક્ષો આ બિલને સમર્થન આપે તો પાસ થઈ જશે.મારા મતે આ બિલનો વિરોધ કરવો ખોટું છે.

બિલ પસાર થાય તે પહેલા જ કેજરીવાલને મોટો ફટકો

જો કે રાજ્યસભામાં આ બિલ રજૂ થાય તે પહેલા જ કેજરીવાલને મોટો ફટકો પડ્યો હતો, કારણ કે આ પહેલા બસપાએ દિલ્હી સર્વિસ બિલ પર આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની વાત કરી હતી પરંતુ બસપા લોકસભા અને રાજ્યસભામાં મતદાન દરમિયાન બોયકોટ કરવાની જાહેરાત કરી છે.  બીજી તરફ ઓડિશાની સત્તારૂઢ બીજેડી અને ટીડીપીએ આ બિલ પર કેન્દ્ર સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. અગાઉ, YSR પણ કેન્દ્રને સમર્થન આપવાની વાત કરી ચૂક્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget