શોધખોળ કરો

દેશભરમાં 554 રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, આજે 41 હજાર કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપશે PM મોદી

Amrit Bharat Station Yojna: સ્ટેશનો પર મુસાફરોને આધુનિક સુવિધાઓ આપવામાં આવશે.

Amrit Bharat Station Yojna: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને હજારો કરોડ રૂપિયાની ભેટ આપશે, જેમાં અનેક રેલવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સામેલ છે. વડાપ્રધાન વીડિયો કોન્ફ્રરન્સ મારફતે 41,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતના લગભગ બે હજાર રેલ્વે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ધાટન કરશે. વડાપ્રધાન અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 554 રેલવે સ્ટેશન પસંદ કરવામાં આવ્યા છે. સ્ટેશનોને 19,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે રિડેવલપ કરવામાં આવશે. સ્ટેશનો પર મુસાફરોને આધુનિક સુવિધાઓ આપવામાં આવશે. આમાં છત, પ્લાઝા, સુંદર લેન્ડસ્કેપિંગ, ઇન્ટર મોડલ કનેક્ટિવિટી,  બાળકોના રમત ક્ષેત્ર, કિઓસ્ક, ફૂડ કોર્ટ વગેરેનો સમાવેશ થાય છે. સ્ટેશનની ઇમારતોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને સ્થાપત્યથી પ્રેરિત હશે.

દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં રેલવે સ્ટેશનની કાયાપલટ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ઘણા ભાગોમાં રોડ ઓવર બ્રિજ (ROB) અને અંડરપાસનો શિલાન્યાસ કરશે. બાંધકામ પૂર્ણ થયા બાદ તેઓ લેવલ ક્રોસિંગ ગેટનું ઉદ્ઘાટન પણ કરશે. જેમાં દિલ્હીનું તિલક બ્રિજ રેલ્વે સ્ટેશન સામેલ છે. આ કાર્યક્રમ હેઠળ ઉત્તર રેલ્વેના 92 આરઓબી અને આરયુબીનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ઉત્તર પ્રદેશમાં 56, હરિયાણામાં 17, પંજાબમાં 13, દિલ્હીમાં ચાર, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં એક-એકનો સમાવેશ થાય છે. લખનઉ ડિવિઝનમાં 43 આરઓબી અને આરયુબીનો શિલાન્યાસ, દિલ્હી ડિવિઝનમાં 30, ફિરોઝપુર ડિવિઝનમાં 10, અંબાલા ડિવિઝનમાં સાત અને મુરાદાબાદ ડિવિઝનમાં બેનો શિલાન્યાસ કરવામાં આવશે. વાસ્તવમાં લેવલ ક્રોસિંગને દૂર કરવું એ ટ્રેનની કામગીરી માટે પ્રાથમિકતા છે.

ફાટક મુક્ત કરવાની દિશામાં કામ

નોંધનીય છે કે રેલવે ફાટકોને દૂર કરવાની દિશામાં ઝડપથી કામ કરી રહી છે. આનાથી માત્ર ટ્રેનોની ગતિ જ નહીં પરંતુ રેલ અને રોડ ટ્રાફિક પણ અલગ થશે. ટ્રેનની અવરજવરમાં કોઈ અડચણ નહીં આવે અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા પણ સુવ્યવસ્થિત રીતે ચાલતી રહેશે. ટ્રેનોની અવરજવરને કારણે લેવલ ક્રોસિંગ ગેટ પર વાહનોની ભીડ રહેશે નહીં. આનાથી અકસ્માતો તો ઘટશે જ પરંતુ ટ્રેનમાં મુસાફરીનો સમય પણ ઘટશે.

માલગાડીઓની અવરજવરને સરળ બનાવીને આર્થિક પ્રવૃત્તિને પ્રોત્સાહન મળશે. સરેરાશ રેલવે દરરોજ 1,200 થી વધુ પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન કરે છે. તેમાં દરરોજ બે કરોડ મુસાફરો મુસાફરી કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
Embed widget