શોધખોળ કરો

અન્ના હજારેનો ઉદ્ધવ સરકારને સવાલ- દારૂની દુકાનો ખૂલી શકતી હોય તો મંદિરો કેમ નહીં ?

અન્ના હજારેએ રાજ્યમાં મંદિરો ફરીથી નહીં ખોલવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, જો મંદિર પરથી પ્રતિબંધ નહીં હટાવવા માટે આંદોલન થશે તો પોતાનું સમર્થન આપશે.

પુણેઃ સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ રાજ્યમાં મંદિરો ફરીથી નહીં ખોલવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, જો મંદિર પરથી પ્રતિબંધ નહીં હટાવવા માટે આંદોલન થશે તો પોતાનું સમર્થન આપશે. હજારેએ ઠાકરે સરકાર પર મંદિરો ફરીથી ખોલવાના ઈનકાર કરવા પર સવાલ ઉઠાવ્યો અને આ માટે તેમણે શરાબની દુકાનો બહાર લાગેલી લાંબી લાઈન તરફ ઈશારો કરીને સરકાર પર કટાક્ષ પણ કર્યો.

અહમદનગરના રાલેગણ સિદ્ધિ ગામમાં તેમણે મંદિરો ફરીથી ખોલવાની માંગ કરી રહેલા કેટલાક લોકોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું, રાજ્ય સરકાર મંદિર કેમ નથી ખોલી રહી. લોકો માટે મંદિર ખોલવામાં રાજ્ય સરકારને શું ખતરો લાગી રહ્યોછે. જો કોવિડ કારણ હોય તો શરાબની દુકાનો બહાર લાંબી લાઈનો કેમ છે.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકારે કોરોના વાયરસની સ્થિતિમાં સુધારો જોતાં અનેક ક્ષેત્રો ફરીથી ખોલ્યા છે. સંપૂર્ણ રસીકરણ કરાવી ચુકેલા લોકોને મુંબઈમાં લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે રાજ્ય સરકારે હજુ પણ કોરોના વાયરસના પ્રસારના ડરથી ધાર્મિક સ્થળો ખોલવાથી ડરી રહી છે. વિપક્ષ ભાજપ પણ લોકો માટે મંદિર ખોલવાની માંગ કરી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 56,366 છે. જ્યારે 62,63,416 લોકો કોરોના મુક્ત થઈ ગયા છે. રાજ્યમાં 1,37,157 લોકોના કોરોનાથી મોત થયા છે.

ભારતમાં કોરોના ચેપનો પ્રકોપ ફરી વધવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં સૌથી વધુ કોરોના કેસ ભારતમાં જ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે સવારે લેટેસ્ટ ડેટા જાહેર કરવામાં આવ્યો હતો. મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 42,909 નવા કોરોના કેસ આવ્યા અને 380 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો. જ્યારે 24 કલાકમાં 34,763 લોકો પણ કોરોનાથી સાજા થયા છે એટલે કે ગઈકાલે 7766 એક્ટિવ કેસ વધ્યા છે. વર્લ્ડોમીટર વેબસાઇટ અનુસાર ભારતમાં ગત દિવસે સૌથી વધુ કોરોના કેસ નોંધાયા હતા. અમેરિકામાં 37262, બ્રિટનમાં 33196, ઈરાનમાં 31516, જાપાનમાં કોરોનાના 22748 કેસ નોંધાયા છે. જોકે ગઈકાલે રશિયા, મેક્સિકો, ઈરાન, ઈન્ડોનેશિયામાં ભારત કરતા ઓછા મૃત્યુ થયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget