શોધખોળ કરો

Aryan Khan Case: મુંબઇમાં ચાર ફ્લેટ, મોંઘી ઘડિયાળો, વિદેશ પ્રવાસ... આર્યન ખાનની ધરપકડ કરનારા સમીર વાનખેડેની લક્ઝરી લાઇફનો ખુલાસો

આર્યન ખાન કેસમાં લાંચ માંગવા બદલ સીબીઆઇએ સમીર વાનખેડે વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે

Aryan Khan Case: બોલિવૂડના સ્ટાર એક્ટર  શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડે એક પછી એક થઇ રહેલા ખુલાસાઓને કારણે મુશ્કેલીમાં છે. એક રિપોર્ટ અનુસાર, વાનખેડે તેમના પરિવાર સાથે અનેક વિદેશી યાત્રાઓ કરી ચૂક્યા છે. એટલું જ નહીં, વાનખેડે પાસે અપ્રમાણસર સંપત્તિ પણ છે. એનસીબીના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આર્યન ખાન કેસમાં લાંચ માંગવા બદલ સીબીઆઇએ સમીર વાનખેડે વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે.

CBI FIRમાં કહેવામાં આવ્યું છે કે વાનખેડે અને અન્ય કેટલાક લોકોએ મળીને આર્યન ખાન પાસેથી 25 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. પૈસા ન આપવા બદલ આર્યનને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

વિજિલન્સ વિભાગે તપાસ કરી હતી

એનસીબીના વિજિલન્સ વિભાગે પણ આર્યન ખાન કેસની તપાસ કરી હતી. તેના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આર્યન ખાન અને તેના મિત્ર અરબાઝ મર્ચન્ટના નામ છેલ્લે ઉમેરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય કેટલાક શંકાસ્પદ લોકોને પડતા મૂકવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્રૂઝ પર દરોડા દરમિયાન એક શંકાસ્પદ પર એક રોલિંગ પેપર મળી આવ્યું હતું પરંતુ તેને છોડી દેવામાં આવ્યો હતો.

વિજિલન્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે NCB ઓફિસની તપાસ ટીમ દ્વારા CCTV ફૂટેજ લેવામાં આવ્યા હતા પરંતુ તે ખરાબ થઇ ગયા હતા. તેમજ જે રાત્રે આર્યન ખાનને NCB ઓફિસમાં લાવવામાં આવ્યો હતો તે DVR અને મુંબઈની ટીમે રજૂ કરેલી હાર્ડ કોપીમાં તફાવત હતો.

5 વર્ષમાં 6 દેશોનો પ્રવાસ કર્યો

રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 2017 થી 2021 સુધીના પાંચ વર્ષમાં સમીર વાનખેડેએ તેના પરિવાર સાથે છ વિદેશ યાત્રાઓ કરી હતી. આ દેશોમાં બ્રિટન, આયરલેન્ડ, પોર્ટુગલ, દક્ષિણ આફ્રિકા અને માલદીવનો સમાવેશ થાય છે, જ્યાં તે 55 દિવસ રોકાયા હતા. તેમણે દાવો કર્યો છે કે તેમણે માત્ર 8.75 લાખ રૂપિયા ખર્ચ્યા છે.

રિપોર્ટમાં સમીર વાનખેડેની મોંઘી ઘડિયાળો અને અન્ય સંપત્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે તેમની આવકના સ્ત્રોત કરતાં વધુ છે. આમાં એક રોલેક્સ ઘડિયાળનો પણ સમાવેશ થાય છે જે દેખીતી રીતે તેને MRP કરતા ઘણી ઓછી કિંમતે વેચવામાં આવી હતી. તેમની પાસે મુંબઈમાં ચાર ફ્લેટ અને વાશિમમાં 41,688 એકર જમીન પણ છે.

એજન્સીએ તપાસ રિપોર્ટમાં કહ્યું છે કે સમીર વાનખેડેએ દાવો કર્યો છે કે તેમણે ગોરેગાંવ ફ્લેટ પર 82.8 લાખ રૂપિયા ખર્ચ્યા હતા, જેની કિંમત 2.45 કરોડ રૂપિયા છે. લગ્ન પહેલા તેમણે અને તેમની પત્નીએ 1.25 રૂપિયામાં ખરીદેલા ફ્લેટનો પણ ઉલ્લેખ છે. તેની આવકનો સ્ત્રોત એક રહસ્ય છે. વાનખેડે અને તેમની પત્નીના આવકવેરા રિટર્ન દર્શાવે છે કે તેમની વાર્ષિક આવક રૂ. 45,61,460 છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
Embed widget