શોધખોળ કરો

Aryan Khan Case: મુંબઇમાં ચાર ફ્લેટ, મોંઘી ઘડિયાળો, વિદેશ પ્રવાસ... આર્યન ખાનની ધરપકડ કરનારા સમીર વાનખેડેની લક્ઝરી લાઇફનો ખુલાસો

આર્યન ખાન કેસમાં લાંચ માંગવા બદલ સીબીઆઇએ સમીર વાનખેડે વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે

Aryan Khan Case: બોલિવૂડના સ્ટાર એક્ટર  શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડે એક પછી એક થઇ રહેલા ખુલાસાઓને કારણે મુશ્કેલીમાં છે. એક રિપોર્ટ અનુસાર, વાનખેડે તેમના પરિવાર સાથે અનેક વિદેશી યાત્રાઓ કરી ચૂક્યા છે. એટલું જ નહીં, વાનખેડે પાસે અપ્રમાણસર સંપત્તિ પણ છે. એનસીબીના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આર્યન ખાન કેસમાં લાંચ માંગવા બદલ સીબીઆઇએ સમીર વાનખેડે વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે.

CBI FIRમાં કહેવામાં આવ્યું છે કે વાનખેડે અને અન્ય કેટલાક લોકોએ મળીને આર્યન ખાન પાસેથી 25 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. પૈસા ન આપવા બદલ આર્યનને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

વિજિલન્સ વિભાગે તપાસ કરી હતી

એનસીબીના વિજિલન્સ વિભાગે પણ આર્યન ખાન કેસની તપાસ કરી હતી. તેના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આર્યન ખાન અને તેના મિત્ર અરબાઝ મર્ચન્ટના નામ છેલ્લે ઉમેરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય કેટલાક શંકાસ્પદ લોકોને પડતા મૂકવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્રૂઝ પર દરોડા દરમિયાન એક શંકાસ્પદ પર એક રોલિંગ પેપર મળી આવ્યું હતું પરંતુ તેને છોડી દેવામાં આવ્યો હતો.

વિજિલન્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે NCB ઓફિસની તપાસ ટીમ દ્વારા CCTV ફૂટેજ લેવામાં આવ્યા હતા પરંતુ તે ખરાબ થઇ ગયા હતા. તેમજ જે રાત્રે આર્યન ખાનને NCB ઓફિસમાં લાવવામાં આવ્યો હતો તે DVR અને મુંબઈની ટીમે રજૂ કરેલી હાર્ડ કોપીમાં તફાવત હતો.

5 વર્ષમાં 6 દેશોનો પ્રવાસ કર્યો

રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 2017 થી 2021 સુધીના પાંચ વર્ષમાં સમીર વાનખેડેએ તેના પરિવાર સાથે છ વિદેશ યાત્રાઓ કરી હતી. આ દેશોમાં બ્રિટન, આયરલેન્ડ, પોર્ટુગલ, દક્ષિણ આફ્રિકા અને માલદીવનો સમાવેશ થાય છે, જ્યાં તે 55 દિવસ રોકાયા હતા. તેમણે દાવો કર્યો છે કે તેમણે માત્ર 8.75 લાખ રૂપિયા ખર્ચ્યા છે.

રિપોર્ટમાં સમીર વાનખેડેની મોંઘી ઘડિયાળો અને અન્ય સંપત્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે તેમની આવકના સ્ત્રોત કરતાં વધુ છે. આમાં એક રોલેક્સ ઘડિયાળનો પણ સમાવેશ થાય છે જે દેખીતી રીતે તેને MRP કરતા ઘણી ઓછી કિંમતે વેચવામાં આવી હતી. તેમની પાસે મુંબઈમાં ચાર ફ્લેટ અને વાશિમમાં 41,688 એકર જમીન પણ છે.

એજન્સીએ તપાસ રિપોર્ટમાં કહ્યું છે કે સમીર વાનખેડેએ દાવો કર્યો છે કે તેમણે ગોરેગાંવ ફ્લેટ પર 82.8 લાખ રૂપિયા ખર્ચ્યા હતા, જેની કિંમત 2.45 કરોડ રૂપિયા છે. લગ્ન પહેલા તેમણે અને તેમની પત્નીએ 1.25 રૂપિયામાં ખરીદેલા ફ્લેટનો પણ ઉલ્લેખ છે. તેની આવકનો સ્ત્રોત એક રહસ્ય છે. વાનખેડે અને તેમની પત્નીના આવકવેરા રિટર્ન દર્શાવે છે કે તેમની વાર્ષિક આવક રૂ. 45,61,460 છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ

વિડિઓઝ

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને બચાવો દૂષણથી
Hun To Bolish : હું તો બોલીશ : સંકટ મોટું પણ લૉકડાઉન નહીં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Weather Update: ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ
Weather Update: ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
સાઉદી અરેબિયામાં સૈન્ય છાવણી પર ઇરાનનો મોટો હુમલો, 10 અમેરિકી સૈનિક ઘાયલ, કેટલાક વિમાનોને નુકસાન
સાઉદી અરેબિયામાં સૈન્ય છાવણી પર ઇરાનનો મોટો હુમલો, 10 અમેરિકી સૈનિક ઘાયલ, કેટલાક વિમાનોને નુકસાન
Embed widget