શોધખોળ કરો

Aryan Khan Case: મુંબઇમાં ચાર ફ્લેટ, મોંઘી ઘડિયાળો, વિદેશ પ્રવાસ... આર્યન ખાનની ધરપકડ કરનારા સમીર વાનખેડેની લક્ઝરી લાઇફનો ખુલાસો

આર્યન ખાન કેસમાં લાંચ માંગવા બદલ સીબીઆઇએ સમીર વાનખેડે વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે

Aryan Khan Case: બોલિવૂડના સ્ટાર એક્ટર  શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડે એક પછી એક થઇ રહેલા ખુલાસાઓને કારણે મુશ્કેલીમાં છે. એક રિપોર્ટ અનુસાર, વાનખેડે તેમના પરિવાર સાથે અનેક વિદેશી યાત્રાઓ કરી ચૂક્યા છે. એટલું જ નહીં, વાનખેડે પાસે અપ્રમાણસર સંપત્તિ પણ છે. એનસીબીના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આર્યન ખાન કેસમાં લાંચ માંગવા બદલ સીબીઆઇએ સમીર વાનખેડે વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે.

CBI FIRમાં કહેવામાં આવ્યું છે કે વાનખેડે અને અન્ય કેટલાક લોકોએ મળીને આર્યન ખાન પાસેથી 25 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. પૈસા ન આપવા બદલ આર્યનને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

વિજિલન્સ વિભાગે તપાસ કરી હતી

એનસીબીના વિજિલન્સ વિભાગે પણ આર્યન ખાન કેસની તપાસ કરી હતી. તેના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આર્યન ખાન અને તેના મિત્ર અરબાઝ મર્ચન્ટના નામ છેલ્લે ઉમેરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય કેટલાક શંકાસ્પદ લોકોને પડતા મૂકવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્રૂઝ પર દરોડા દરમિયાન એક શંકાસ્પદ પર એક રોલિંગ પેપર મળી આવ્યું હતું પરંતુ તેને છોડી દેવામાં આવ્યો હતો.

વિજિલન્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે NCB ઓફિસની તપાસ ટીમ દ્વારા CCTV ફૂટેજ લેવામાં આવ્યા હતા પરંતુ તે ખરાબ થઇ ગયા હતા. તેમજ જે રાત્રે આર્યન ખાનને NCB ઓફિસમાં લાવવામાં આવ્યો હતો તે DVR અને મુંબઈની ટીમે રજૂ કરેલી હાર્ડ કોપીમાં તફાવત હતો.

5 વર્ષમાં 6 દેશોનો પ્રવાસ કર્યો

રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 2017 થી 2021 સુધીના પાંચ વર્ષમાં સમીર વાનખેડેએ તેના પરિવાર સાથે છ વિદેશ યાત્રાઓ કરી હતી. આ દેશોમાં બ્રિટન, આયરલેન્ડ, પોર્ટુગલ, દક્ષિણ આફ્રિકા અને માલદીવનો સમાવેશ થાય છે, જ્યાં તે 55 દિવસ રોકાયા હતા. તેમણે દાવો કર્યો છે કે તેમણે માત્ર 8.75 લાખ રૂપિયા ખર્ચ્યા છે.

રિપોર્ટમાં સમીર વાનખેડેની મોંઘી ઘડિયાળો અને અન્ય સંપત્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે તેમની આવકના સ્ત્રોત કરતાં વધુ છે. આમાં એક રોલેક્સ ઘડિયાળનો પણ સમાવેશ થાય છે જે દેખીતી રીતે તેને MRP કરતા ઘણી ઓછી કિંમતે વેચવામાં આવી હતી. તેમની પાસે મુંબઈમાં ચાર ફ્લેટ અને વાશિમમાં 41,688 એકર જમીન પણ છે.

એજન્સીએ તપાસ રિપોર્ટમાં કહ્યું છે કે સમીર વાનખેડેએ દાવો કર્યો છે કે તેમણે ગોરેગાંવ ફ્લેટ પર 82.8 લાખ રૂપિયા ખર્ચ્યા હતા, જેની કિંમત 2.45 કરોડ રૂપિયા છે. લગ્ન પહેલા તેમણે અને તેમની પત્નીએ 1.25 રૂપિયામાં ખરીદેલા ફ્લેટનો પણ ઉલ્લેખ છે. તેની આવકનો સ્ત્રોત એક રહસ્ય છે. વાનખેડે અને તેમની પત્નીના આવકવેરા રિટર્ન દર્શાવે છે કે તેમની વાર્ષિક આવક રૂ. 45,61,460 છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget