![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Karnataka news: RSS કાર્યકર્તાઓની હત્યાના સળગતા મુદ્દા વચ્ચે કર્ણાટકમાં ભાજપ શા માટે હારી ગયું? હલાલ-હિજાબ નહીં, આ છે કારણ
ગત વખતે કોસ્ટલ કર્ણાટકમાં ભાજપે 19માંથી 17 સીટો જીતી હતી. આ વખતે આંકડો ઘટીને 13 પર આવ્યો છે. આરએસએસના મતે, હાર પાછળનું કારણ હલાલ-હિજાબ નથી પરંતુ સરકારનું તેમના કડારની સાથએ સાથે ઉભી ન રહેવું છે.
![Karnataka news: RSS કાર્યકર્તાઓની હત્યાના સળગતા મુદ્દા વચ્ચે કર્ણાટકમાં ભાજપ શા માટે હારી ગયું? હલાલ-હિજાબ નહીં, આ છે કારણ Assembly elections Karnataka news bjp performance on coastal Karnataka rss workers murder hijab halal Karnataka news: RSS કાર્યકર્તાઓની હત્યાના સળગતા મુદ્દા વચ્ચે કર્ણાટકમાં ભાજપ શા માટે હારી ગયું? હલાલ-હિજાબ નહીં, આ છે કારણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/20/908d6d8abf9fcfcf6d0eb1503fcd3df2168455271716081_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Karnataka news: RSS કાર્યકર્તાઓની હત્યાના સળગતા મુદ્દા વચ્ચે કર્ણાટકમાં ભાજપ શા માટે હારી ગયું? હલાલ-હિજાબ નહીં, આ છે કારણ ગત વખતે કોસ્ટલ કર્ણાટકમાં ભાજપે 19માંથી 17 સીટો જીતી હતી. આ વખતે આંકડો ઘટીને 13 પર આવ્યો છે. આરએસએસના મતે, હાર પાછળનું કારણ હલાલ-હિજાબ નથી પરંતુ સરકારનું તેમના કડારની સાથએ સાથે ઉભી ન રહેવું છે.
કર્ણાટક ચૂંટણીના પરિણામો જાહેર થયાના એક સપ્તાહ બાદ પણ ભાજપમાં હારનું મંથન ચાલુ છે. બીજેપી સાથે આરએસએસના વરિષ્ઠ નેતાઓ વિશ્લેષણ કરી રહ્યા છે કે કેવી રીતે તટીય કર્ણાટકમાં હિન્દુત્વ કાર્ડ નિષ્ફળ ગયું. તે પણ જ્યારે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષ અને આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે બંને સંઘની પૃષ્ઠભૂમિ અને મૈસૂર પ્રદેશમાંથી આવે છે. બંને વચ્ચે સુગમ કાર્યકારી સમીકરણ હોવા છતાં આ વિસ્તારમાં ભાજપને કારમી હાર મળવી એ કોઈ આંચકાથી ઓછું નથી.
કોસ્ટલ કર્ણાટકમાં ઘણી સીટો પર ભાજપનો કુલ વોટ શેર લગભગ અડધો થઈ ગયો છે. કોસ્ટલ કર્ણાટકમાં પણ ભાજપની સીટ ટેલીમાં ઘટાડો નોંધાયો છે. 2018માં પાર્ટીએ અહીં 19માંથી 17 સીટો જીતી હતી, જ્યારે આ વખતે તે માત્ર 13 સીટો જ જીતી શકી હતી.
'સરકાર અમારી સાથે ઉભી ન હતી'
કહેવામાં આવી રહ્યું છે કે કર્ણાટક ચૂંટણીના પરિણામથી સંઘ ખૂબ જ નારાજ છે કારણ કે સંગઠન દરિયાકાંઠાના વિસ્તારમાં સૌથી વધુ સક્રિય છે. આ વિસ્તારમાં ઘણા RSS સ્વયંસેવકોની હત્યાના મામલા પણ સામે આવ્યા છે અને પ્રતિબંધિત PFI સાથે સતત સંઘર્ષ પણ ચાલી રહ્યો છે.
એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ સાથે વાત કરતાં RSSના એક વરિષ્ઠ કાર્યકર્તાએ કહ્યું કે ચૂંટણી પરિણામો હિજાબ-હલાલ જેવા મુદ્દાઓની નિષ્ફળતા નથી, જેને પાર્ટીની હારનું પ્રાથમિક કારણ ગણાવવામાં આવી રહ્યું છે. “હિજાબ અને હલાલ સંબંધિત મુદ્દાઓ અસામાન્ય ન હતા. આ સંબંધિત હતા જે ઉઠાવવામાં આવ્યા હતા અને પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા. દુર્ભાગ્યપૂર્ણ છે કે અમારી સરકાર હોવા છતાં તે અમારા સભ્યો અને સ્વયંસેવકો સાથે ઉભી જોવા મળી નથી. તેમણે PFI કટ્ટરપંથીઓ અને અમે ઉગ્રવાદીઓ સામે એકલા હાથે લડ્યા હતા
પ્રવીણ નેતારુની હત્યાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
આરએસએસના સભ્ય અને બીજેવાયએમના નેતા પ્રવીણ નેતારુની હત્યા આરએસએસ માટે એક વળાંક હતો. સ્થાનિક ભાજપ અને આરએસએસના સભ્યોએ ત્યારબાદ ભારે વિરોધ પ્રદર્શન કર્યા અને તત્કાલીન ભાજપ સરકાર પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો.
RSSના એક કાર્યકર્તાએ ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું કે, 'અમારા ડઝનબંધ યુવા સ્વયંસેવકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી, કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હતા. સરકારે તેમના પરિવારની કાળજી લીધી નથી. અમે સંઘના લોકો અને સ્થાનિક લોકોએ તેને કોઈક રીતે પરિવાર ચલાવવામાં મદદ કરી. કેટલાક હત્યાના કેસ દાયકાઓથી ચાલી રહ્યા છે, સાક્ષીઓ પણ પ્રતિકૂળ થઈ ગયા છે. સરકારે કંઈ કર્યું નથી. અમારા યુવા સાથીઓ અસુરક્ષિત અનુભવી રહ્યા છે..
તટીય કર્ણાટકના દક્ષિણ કન્નડ, ઉડુપી અને ઉત્તરા કન્નડ જિલ્લામાં ભાજપે 19 વિધાનસભા બેઠકો, ઉત્તરા કન્નડમાં બે અને દક્ષિણમાં એક બેઠક ગુમાવી છે. ભાજપે જે બેઠકો જીતી છે ત્યાં પણ વોટ શેર ઓછામાં ઓછા 20 ટકાથી ઘટીને 40 ટકા થયો છે.
દક્ષિણ કન્નડ, જે ઘણા દાયકાઓથી ભાજપનો ગઢ છે, ત્યાં પાર્ટીના વોટ શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. 2018માં અહીં ભાજપનો વોટ શેર 82 ટકા હતો જે 2023માં ઘટીને 53 ટકા થઈ ગયો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)