શોધખોળ કરો

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

મણિપુરના જિરીબામ જિલ્લામાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ રાજ્યમાં હિંસા અને આક્રોશ ફેલાયો છે. શનિવારે (16 નવેમ્બર 2024), સેંકડો લોકોએ ઇમ્ફાલ ઘાટીના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કર્યું.

Manipur Violence:  મણિપુરના જિરીબામ જિલ્લામાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ રાજ્યમાં હિંસા અને આક્રોશ ફેલાયો છે. શનિવારે (16 નવેમ્બર 2024), સેંકડો લોકોએ ઇમ્ફાલ ઘાટીના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કર્યું. ત્રણેય મૃતદેહો અંગે કહેવાય છે કે આ એ જ લોકો છે જે થોડા દિવસો પહેલા જિરીબામથી ગુમ થયા હતા. મૃતકોમાં એક મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. મૃતદેહો મળવાના સમાચાર ફેલાતા જ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ હતી. ઇમ્ફાલ પશ્ચિમ અને અન્ય જિલ્લાઓમાં દેખાવકારોએ ટાયરો સળગાવીને રસ્તાઓ બંધ કરી દીધા હતા. આ દરમિયાન, સ્થાનિક બજારો અને દુકાનો બંધ હતી, અને ઇમ્ફાલમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા.


વિરોધ અને કર્ફ્યુની જાહેરાત

જિરીબામમાં મૃતદેહ મળ્યા બાદ તણાવ વધી ગયો છે અને મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. આ હિંસા બાદ રાજ્ય સરકારે શનિવારે (16 નવેમ્બર 2024) શાળાઓ અને કોલેજોમાં રજાનો આદેશ આપ્યો હતો. સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે  ઉગ્રવાદીઓએ આ ગુમ થયેલા લોકોનું અપહરણ કર્યું હતું જ્યારે તેઓ ભાગી રહ્યા હતા. આ મામલે પોતાની ચિંતા વ્યક્ત કરતા મૈતી સંગઠનોએ દાવો કર્યો છે કે આ લોકો ઉગ્રવાદીઓના હાથે માર્યા ગયા છે. જોકે, પોલીસનું કહેવું છે કે ગુમ થયેલા લોકોની શોધ ચાલી રહી છે.

ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ

મણિપુરમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઘણા જિલ્લાઓમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. આ આદેશ હેઠળ, 16 નવેમ્બર, 2024 થી પ્રભાવી ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, બિષ્ણુપુર અને અન્ય અસરગ્રસ્ત જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ બે દિવસ માટે સ્થગિત રહેશે. રાજ્યમાં અફવાઓ અને ભડકાઉ સામગ્રીના ફેલાવાને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે, જે હિંસા તરફ દોરી શકે છે. સરકારે ચેતવણી આપી છે કે આ આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.


કોંગ્રેસના સરકાર પર પ્રહાર

કોંગ્રેસ પાર્ટીએ મણિપુરમાં વધી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી છે અને આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર આ હિંસા પ્રત્યે નકારાત્મક વલણ અપનાવી રહી છે. કોંગ્રેસે ટ્વિટ કર્યું કે મણિપુરમાં હિંસા અને આગચંપીની ઘટનાઓ ચાલુ છે અને આ દરમિયાન વડાપ્રધાન વિદેશ પ્રવાસે ગયા છે. પાર્ટીએ મણિપુરમાં શાંતિ અને સુરક્ષા પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. 

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Iran-US Tensions:ઇરાની અધિકારીએ મંશા કરી વ્યક્ત, માદુરો જેવો જ વ્યવહાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ થવો જરૂરી
Iran-US Tensions:ઇરાની અધિકારીએ મંશા કરી વ્યક્ત, માદુરો જેવો જ વ્યવહાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ થવો જરૂરી
Union Budget 2026:સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી થશે શરૂ,ઇતિહાસમાં પહેલી વાર રવિવારે સામાન્ય બજેટ થશે રજૂ
Union Budget 2026:સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી થશે શરૂ,ઇતિહાસમાં પહેલી વાર રવિવારે સામાન્ય બજેટ થશે રજૂ
દિલ્લીની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરી, પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પાર
દિલ્લીની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરી, પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પાર
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Embed widget